બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Dinesh
Last Updated: 06:00 PM, 8 March 2024
મહાશિવરાત્રીના પાવન પર્વને લઇ રાજ્યના વિવિધ શહેરોમાં ધર્મપ્રિય જનતા દ્વારા ભગવાન શિવજીની સવારી યાત્રાનું આયોજન કરાર્યું હતું. વડોદરામાં આજે ભવ્ય શિવજીની સવારી નીકળી હતી. જે યાત્રા પ્રતાપનગર વિસ્તારથી નીકળી હતી, ભગવાન શિવજીની પરિવાર સાથેની યાત્રાથી વડોદરા શહેર શિવમય બન્યું હતું. અત્રે જણાવીએ કે, સત્યમ શિવમ સુંદરમ પરિવાર દ્વારા 2013થી શિવયાત્રાનું આયોજન કરાય છે. આ યાત્રામાં ડી જે, અખાડાની અનેક ઝાંખી જોવા મળી હતી.
સોમનાથ મંદિરમાં ધર્મોત્સવનું આયોજન
મહાશિવરાત્રીના પાવન પર્વને લઇ પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મંદિરમાં ધર્મોત્સવનું આયોજન કરાયું છે. 42 કલાકના ધર્મોત્સવમાં શ્રદ્ધાળુઓની સગવડોનું ધ્યાન રખાયું છે. મહાશિવરાત્રીને લઇ ચાર પ્રહરની મહાપૂજા સાથે મહાઆરતી કરવામાં આવશે. ધ્વજા અને પાલખી પૂજા બાદ પાલખીયાત્રા નિકળશે. યજ્ઞશાળામાં હોમાત્મક લઘુરુદ્ર તેમજ શ્રદ્ધાળુઓ માટે બિલ્વપૂજાનું આયોજન કરાયું છે.
જામનગરમાં મહાશિવરાત્રીની ધામધૂમથી ઉજવણી
જામનગરમાં દેવોના દેવ મહાદેવનો તહેવાર મહાશિવરાત્રીની ધામધૂમથી ઉજવણી કરાઈ છે. જામનગરના કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં લોકોની ભીડ જોવા મળી હતી. જામનગર છોટા કાશી તરીકે પણ ઓળખાય છે ત્યારે જામનગરમાં મહાદેવના અનેક મંદિરો આવેલા હોવાથી શિવરાત્રી નિમિત્તે વહેલી સવારથી જ ભક્તોની ખૂબ જ ભીડ જોવા મળી રહી હતી. વહેલી સવારથી જ ભક્તો મંદિરે મહાદેવના દર્શન કરવા તથા અભિષેક કરવા માટે ઉમટી પડ્યા હતા.
બરફમાંથી અનોખુ શિવલીંગ બનાવાયુ
સુરેન્દ્રનગરમાં મહાશિવરાત્રીની ઉત્સાહભેર ઉજવણી કરાઈ છે. પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરિય વિશ્વવિદ્યાલયમાં ઉત્સાહભેર ઉજવણી કરાઈ છે. 100 મણથી વધુ બરફમાંથી અનોખુ શિવલીંગ બનાવાયુ છે. મહાશિવરાત્રીને લઇ બરફના શિવલીંગના દર્શને શિવ ભક્તો ઉમટ્યા હતાં.
વાંચવા જેવું: એક છોડ પર ઊગે છે તો પણ ભાંગ અને ગાંજામાં શું અંતર?, જાણો ભાંગના ફાયદા અને નુકસાન
પાલનપુરમાં શિવજીની શોભાયાત્રા
મહાશિવરાત્રિની રાજ્યભરમાં આસ્થાભેર ઉજવણી કરાઈ છે ત્યારે પાલનપુરમાં શિવજીની શોભાયાત્રા યોજાઈ હતી. 8 ફૂટ લાંબા 11 હજાર રુદ્રાક્ષથી બનેલા શિવલિંગની શોભાયાત્રાથી પાલનપુર શહેર શિવમય બન્યું હતું. શોભાયાત્રા બાદ મહાઆરતી તેમજ તણાવ મુક્ત રાજયોગ કાર્યક્રમનું આયોજન કરાયું છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અહીં ક્લિક કરીને અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir