બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
Khyati
Last Updated: 11:23 AM, 5 April 2022
સાંડેસરા બંધુઓના 16 હજાર કરોડના કૌભાંડ બાદ છઠ્ઠી સૌથી મોટી કંપનીનું ઇ-ઓક્શન કરવામાં આવ્યું. વડોદરા સ્ટર્લિંગ બાયોટેક કંપની 650 કરોડમાં વેચવામાં આવી. એક અમેરિકન કંપનીએ 650 કરોડમાં ખરીદી છે. હરાજીમાં કુલ પાંચ કંપનીઓએ ભાગ લીધો હતો. જેમાંથી ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલી અને બેલ્જિયમ ફર્મ ગણાતી અમેરિકાની પરફેક્ટ ડે નામની કંપનીએ સૌથી ઉંચી બોલી લગાવી હતી.
4 એપ્રિલે કરવામાં આવ્યુ ઇ-ઑક્શન
મહત્વનું છે કે 4 એપ્રિલના રોજ બપોરે 11થી 1:30 કલાકે ઇ-ઑક્શન કરવામાં આવ્યું હતું. જેમાં 5 કંપનીઓએ ભાગ લીધો હતો. અરવિંદો ફાર્મા કેડિલા હેલ્થ કેર, યુપીએલ સહિત કેટલીય ભારતીય કંપનીઓએ પણ તેમા રસ દાખવ્યો હતો. તબક્કાવારની બોલી બાદ રુપિયા 548.43 કરોડની બેઝ પ્રાઇઝ રાખવામાં આવી હતી. ફાર્માસ્યુટિકલ જીલેટીન ક્ષેત્રમાં છઠ્ઠી સૌથી મોટી કંપનીના 650 કરોડ રુપિયા ઉપજ્યા હતા.
સાંડેસરા બંધુઓનું 16000 કરોડનું કૌભાંડ
નીતિન સાંડેસરા અને ચેતન સાંડેસરાની કંપની સ્ટર્લિંગ બાયોટેક દ્વારા દેશની આંધ્ર બેંક,પંજાબ નેશનલ બેંક સહિત વિવિધ બેંકો પાસેથી રૂપિયા 16 હજાર કરોડની લોન લીધા બાદ ભરપાઈ કરવામાં આવી નહોતી. તેમની સામે આ અંગે 2017માં ગુનો નોંધાતા સાંડેસરા પરિવારના ચાર સભ્યો દેશ છોડી ભાગી ગયા હતા. આ મામલે ઇડી દ્વારા અત્યાર સુધી કુલ 14,543 કરોડની મિલકતો જપ્ત કરવામાં આવી હતી.
સાંડેસરા બંધુઓનું બોલિવુડ કનેક્શન
નેશનલાઇઝ બેંકો અને ફાયનાન્સ કંપનીઓને કરોડોનો ચૂનો ચોપડી વિદેશમાં ફરાર થઇ જનાર કૌભાંડી સાંડેસરા બંધુઓનું બોલિવુડ કનેક્શન સામે આવ્યું હતું.. 16 હજાર કરોડના બેંક કૌભાંડમાં બોલિવુડ અભિનેતા ડીનો મોરિયા અને પ્રોડ્યુસર સંજય ખાનની સંપત્તિ ટાંચમાં લેવામાં આવી હતી.સાંડસરાના બંગલાનું ઈન્ટરિયર ડિઝાઈન શારુખની પત્ની ગૌરી ખાન અને સુઝાને કર્યું હતું.. સુઝાનની મુલાકાતને પગલે સાંડેસરા સંજય ખાનના સંપર્કમાં આવ્યો હતો. મહત્વનું છે કે ઇડીએ હમણા થોડા સમય પહેલા સાંડેસરા ગ્રૂપ કેસમાં મની લોન્ડરીંગ એકટ હેઠળ રૂ. 8.79 કરોડની આઠ જંગમ અને સ્થાવર મિલકતો ટાંચમાં લીધી હતી. જેમાં અભિનેતા ડીનો મારિયા તથા સંજયખાનની મિલકતોનો પણ સમાવેશ થતો હતો.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir