બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / ગુજરાત / Vadodara Prerna case completes two years, Minister of State for Home, when will your sister get justice? The family is helpless and shocked.
Vishal Khamar
Last Updated: 12:12 AM, 3 November 2023
નવસારીના વિજલપોર શહેરની એક 20 વર્ષીય આશાસ્પદ દીકરી ઉચ્ચ શિક્ષણ સાથે પોતાના ઉજ્જવળ ભવિષ્યની આશાએ વડોદરાની OASIS સંસ્થામાં રહેતી હતી. OASIS માં સારી કામગીરી હોવાથી દીકરી અને તેનો પરિવાર બંને ખુશ હતા. પરંતુ ગત 28 ઓકટોબર 2021 ના રોજ વડોદરામાં રિક્ષામાં આવેલા બે અજાણ્યા નરાધમોએ તેની અસ્મત લૂટી લેતા તેના જીવનમાં ઉઠલ પાથલ થઈ ગઈ હતી. પોતાના ઉપર થયેલા અત્યાચારને દીકરીએ પોતાની ડાયરીમાં લખ્યો હતો પણ પોતાની માતાને કહેવાની હિંમત ભેગી કરી શકી ન હતી. જોકે પોતાને સંભાળ્યા બાદ દીકરી નવસારી આવી હતી અને એ દિવસો દિવાળીના હતા. જેમાં ગત 3 નવેમ્બર 2021 ના રોજ સુરત જવા નીકળેલી દીકરી મોડી રાતે ગુજરાત ક્વીન ટ્રેનના ડબ્બામાં ચઢી હતી અને તેનો કોઈ પીછો કરતો હોવા સાથે જ તેની હત્યા થઈ શકેની સંભાવના તેણે OASIS ના સંજીવ શાહને મોબાઈલ મેસેજ દ્વારા વ્યક્ત કરી હતી. પરંતુ બીજા દિવસે વહેલી સવારે વલસાડના રેલ્વે યાર્ડમાં ટ્રેનના ડબ્બામાં તેનો શંકાસ્પદ રીતે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.
સમગ્ર ઘટનાં બાબતે ગૃહમંત્રીએ ન્યાય અપાવવાની ખાત્રી આપી હતી
સમગ્ર ઘટના પ્રકાશમાં આવ્યા બાદ રેલ્વે પોલીસ સાથે જ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ એક્ટિવ થતા હતા અને ઉચ્ચ પોલીસ એજન્સીઓના અધિકારીઓને જોડીને SIT ની રચના કરીને તપાસને વેગ અપાવ્યો હતો. પરંતુ તપાસમાં નવસારીની દીકરી સાથે દુષ્કર્મ આચરનાર અને તેના સંદિગ્ધ મોત વિશેનું રહસ્ય ઉકેલાયું નહીં, આજે બે વર્ષ વિત્યા છતાં ના તો નરાધમો હાથ લાગ્યા અને ના તો મોત ક્યા કારણે થયુ, OASIS ની કામગીરી વગેરે તમામ બાબતો ઉપર પરદો જ પડી રહ્યો છે. ત્યારે દીકરીને ન્યાય અપાવવા માતાનું કાળજું કંપી રહ્યુ છે. આજે પણ દીકરીની યાદ આવતા જ આંખમાંથી અશ્રુઓની નદીઓ વહેવા માંડે છે. જ્યારે રાજ્યના ગૃહ મંત્રીએ મૃતકાને પોતાની બહેન માની ન્યાય અપાવવા આકાશ પાતાળ એક કરીને પણ આરોપીઓને શોધી કાઢવાનું વચન આપ્યુ હોય અને બે વર્ષે પણ માતા ન્યાય માટે રઝળતી રહે, ત્યારે ફરી પીડિતાની માતાએ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પાસે આશાની નજર સાથે સરકારી વકીલની માંગ કરી છે. જેમાં થકી OASIS સામે કેસ કરી શકે અને દીકરીના મોતનું રહસ્ય ઉકેલી તેને ન્યાય અપાવવા ઝઝૂમી શકે. જોકે માતા દીકરીની ડાયરીમાં જ તેના મોતનું રહસ્ય હોવાનું માની તેની દાયરીની પણ માંગ કરી રહી છે.
બે વર્ષથી માતા વ્હાલસોયી દીકરીનાં મોતનું કારણ જાણવા કરી રહી છે પ્રયાસ
નવસારીની દીકરી સાથે બળાત્કાર અને તેના સંદિગ્ધ મોત પ્રકરણમાં બે વર્ષથી ન્યાય માટે સરકાર અને પોલીસ પર આશા રાખીને બેઠેલી માતા તેની દીકરીના મોત પાછળના કારણો જાણવા પ્રયાસો કરી રહી છે. OASIS જેવી સંસ્થા સામે કાર્યવાહી ન થવાથી પણ દુઃખી છે. ત્યારે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી માતા બનાવીને આપેલો વિશ્વાસ જાળવી રાખે અને દીકરીને ન્યાય અપાવે એવી આશા મૃતકાની માતા સેવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir