બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / મનોરંજન / tv disha vakani all set to make comeback as dayaben in taarak mehta ka ooltah chashmah after 6 year confirms asit modi
Manisha Jogi
Last Updated: 01:19 PM, 31 July 2023
ટીવી ઈન્ડસ્ટ્રીનો ફેમસ કોમેડી શૉ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’એ સફળતા સાથે 15 વર્ષ પૂર્ણ કર્યા છે. આ ખાસ તકે શૉની આખી ટીમે સેલિબ્રેશન કર્યું છે અને શૉના પ્રોડ્યૂસર અસિત મોદીએ ફેન્સને એક મોટી ખુશખબરી આપી છે.
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ વિવાદોને કારણે ચર્ચામાં છે. છેલ્લા કેટલાક દિવસોમાં મહિલા કલાકારોએ શૉના પ્રોડ્યૂસર અસિત મોદી સામે મોરચો ખોલ્યો હતો. કેટલાક કલાકારોએ શૉને અલવિદા કહી દીધું છે, જેમની જગ્યાએ નવા સ્ટાર્સ લેવામાં આવ્યા છે. તેમ છતાં આજ સુધી એક કલાકારની જગ્યા કોઈ લઈ શક્યું નથી. અહીંયા ‘દયાબેન’ના પાત્રની વાત કરવામાં આવી રહી છે. પહેલા આ શૉમાં દિશા વાકાણી ‘દયાબેન’નું પાત્ર ભજવી રહી હતી. દિશા વાકાણી 6 વર્ષથી આ શૉથી દૂર રહી હતી.
શૉ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’એ સફળતા સાથે 15 વર્ષ પૂર્ણ કરતા આ શૉના પ્રોડ્યૂસર અસિત મોદીએ ખાસ જાહેરાત કરી છે. આ જાહેરાત પછી દર્શકોમાં ખૂબ જ ખુશી જોવા મળી રહી છે.
જો તમે પણ તારક મહેતાના ફેન છો, તો તમે પણ આ જાહેરાત સાંભળીને ખુશ થઈ જશો. અસિત મોદીએ કન્ફર્મ કર્યું છે કે, આ શૉમાં ‘દયાબેન’નું પાત્ર ભજવનાર દિશા વાકાણી કમબેક કરી રહી છે. દિશા વાકાણી આ શૉથી 6 વર્ષ સુધી દૂર રહી છે. અનેક લોકોએ અસિત મોદીને દિશા વાકાણીના કમબેક બાબતે સવાલો પૂછ્યા છે.
અસિત મોદીએ અનેક વાર કહ્યું છે કે, દિશા વાકાણી માટે આ શૉના દરવાજા હંમેશા ખુલ્લા રહેશે. તેમને કોઈપણ સમયે શૉમાં પરત લેવામાં આવશે.
જેઠાલાલ અને દયાબેન આ શૉમાં મહત્ત્વપૂર્ણ પાત્ર ભજવી રહ્યા છે. જ્યારથી દયાબેને આ શૉમાંથી એક્ઝિટ લીધી છે, ત્યારથી દર્શકો ખૂબ જ નિરાશ હતા. આ કારણોસર ફેન્સ દયાબેનની વાપસી બાબતે ખૂબ જ સવાલ કરતા હતા, ઉપરાંત શૉના રેટિંગમાં પણ ફેરફાર થયો છે.
છેલ્લા ઘણા વર્ષોમાં અનેક કલાકારોએ આ શૉને અલવિદા કહી દીધું છે. જેમાં શૈલેષ લોઢા, ભવ્યા ગાંધી, રાજ ઉનડકટ અને નેહા મહેતા પણ શામેલ છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir