બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / tv disha vakani all set to make comeback as dayaben in taarak mehta ka ooltah chashmah after 6 year confirms asit modi

મનોરંજન / આતુરતાનો અંત! શું 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં થશે દયાબેનની રિ-એન્ટ્રી, અસિત મોદીએ કર્યો ખુલાસો

Manisha Jogi

Last Updated: 01:19 PM, 31 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’એ સફળતા સાથે 15 વર્ષ પૂર્ણ કર્યા છે. આ ખાસ તકે શૉની આખી ટીમે સેલિબ્રેશન કર્યું છે અને શૉના પ્રોડ્યૂસર અસિત મોદીએ ફેન્સને એક મોટી ખુશખબરી આપી છે.

  • ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’એ સફળતા સાથે 15 વર્ષ કર્યા
  • પ્રોડ્યૂસર અસિત મોદીએ ફેન્સને ખુશખબરી આપી
  • દિશા વાકાણી 6 વર્ષથી આ શૉથી દૂર રહી હતી

 
ટીવી ઈન્ડસ્ટ્રીનો ફેમસ કોમેડી શૉ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’એ સફળતા સાથે 15 વર્ષ પૂર્ણ કર્યા છે. આ ખાસ તકે શૉની આખી ટીમે સેલિબ્રેશન કર્યું છે અને શૉના પ્રોડ્યૂસર અસિત મોદીએ ફેન્સને એક મોટી ખુશખબરી આપી છે. 

 ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ વિવાદોને કારણે ચર્ચામાં છે. છેલ્લા કેટલાક દિવસોમાં મહિલા કલાકારોએ શૉના પ્રોડ્યૂસર અસિત મોદી સામે મોરચો ખોલ્યો હતો. કેટલાક કલાકારોએ શૉને અલવિદા કહી દીધું છે, જેમની જગ્યાએ નવા સ્ટાર્સ લેવામાં આવ્યા છે. તેમ છતાં આજ સુધી એક કલાકારની જગ્યા કોઈ લઈ શક્યું નથી. અહીંયા ‘દયાબેન’ના પાત્રની  વાત કરવામાં આવી રહી છે. પહેલા આ શૉમાં દિશા વાકાણી ‘દયાબેન’નું પાત્ર ભજવી રહી હતી. દિશા વાકાણી 6 વર્ષથી આ શૉથી દૂર રહી હતી. 

શૉ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’એ સફળતા સાથે 15 વર્ષ પૂર્ણ કરતા આ શૉના પ્રોડ્યૂસર અસિત મોદીએ ખાસ જાહેરાત કરી છે. આ જાહેરાત પછી દર્શકોમાં ખૂબ જ ખુશી જોવા મળી રહી છે. 

જો તમે પણ તારક મહેતાના ફેન છો, તો તમે પણ આ જાહેરાત સાંભળીને ખુશ થઈ જશો. અસિત મોદીએ કન્ફર્મ કર્યું છે કે, આ શૉમાં ‘દયાબેન’નું પાત્ર ભજવનાર દિશા વાકાણી કમબેક કરી રહી છે. દિશા વાકાણી આ શૉથી 6 વર્ષ સુધી દૂર રહી છે. અનેક લોકોએ અસિત મોદીને દિશા વાકાણીના કમબેક બાબતે સવાલો પૂછ્યા છે. 
અસિત મોદીએ અનેક વાર કહ્યું છે કે, દિશા વાકાણી માટે આ શૉના દરવાજા હંમેશા ખુલ્લા રહેશે. તેમને કોઈપણ સમયે શૉમાં પરત લેવામાં આવશે. 

જેઠાલાલ અને દયાબેન આ શૉમાં મહત્ત્વપૂર્ણ પાત્ર ભજવી રહ્યા છે. જ્યારથી દયાબેને આ શૉમાંથી એક્ઝિટ લીધી છે, ત્યારથી દર્શકો ખૂબ જ નિરાશ હતા. આ કારણોસર ફેન્સ દયાબેનની વાપસી બાબતે ખૂબ જ સવાલ કરતા હતા, ઉપરાંત શૉના રેટિંગમાં પણ ફેરફાર થયો છે. 

છેલ્લા ઘણા વર્ષોમાં અનેક કલાકારોએ આ શૉને અલવિદા કહી દીધું છે. જેમાં શૈલેષ લોઢા, ભવ્યા ગાંધી, રાજ ઉનડકટ અને નેહા મહેતા પણ શામેલ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ