બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Tough test for farmers, Gujarat's earthlings waiting for rain, crops urgently need water, situation is painful
Vishal Khamar
Last Updated: 11:45 PM, 26 August 2023
મહેસાણા જિલ્લામાં વરસાદ ખેચાંતા ખેડૂતો પરેશાનમાં મુકાયા છે. છેલ્લા 20 દિવસથી વરસાદ ન આવતા ખેડૂતોના ઉભા પાકને નુકસાન થવાની ભીતિ ઉભી થઇ છે. સતલાસણા, ખેરાલુ, વડનગર, બહુચરાજી, કડી અને જોટાણા તાલુકાઓના અમુક વિસ્તાર એવા છે કે ખેતી માટે પૂરતું પાણી મળતું નથી. અને ચોમાસામાં ફક્ત વરસાદી પાણી ઉપર જ ખેડૂતો ખેતી કરે છે.આથી વરસાદ ઉપર નિર્ભર ખેડૂતોનો ઉભો પાક સુકાઈ જવાની શક્યતાઓ દેખાઈ રહી છે. 15 દિવસથી પાણી નહીં મળતા ધનાળા ગામના પાટીયા પાસે એકઠા થઈ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલાને સાથે રાખી નર્મદા કેનાલના અધિકારીઓ સુધી વાત પહોંચાડવા રજૂઆત કરાઈ હતી.
અરવલ્લી જિલ્લામાં સરેરાશ 65 ટકા વરસાદ પડ્યો
અરવલ્લી જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. અરવલ્લી જિલ્લામાં સરેરાશ 65 ટકા વરસાદ પડ્યો છે. ત્યારે ખરીફ પાક પર ખતરો તોળાઈ રહ્યો છે. અંદાજે 2 લાખ હેક્ટરમાં મગફળી,કપાસ અને મકાઈ સહિતના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે ખેડૂતો વરસાદ માટે પ્રાર્થના કરી રહ્યા છે.
મામલતદાર દ્વારા કલેક્ટરનાં આદેશનું પાલન ન થતા ખેડૂતોને લાખોનું નુકશાન
જૂનાગઢ જીલ્લાનાં માળિયા હાટીનામાં નદીનાં કુદરતી વહેણને વગદાર લોકોએ બંધ કરી દેતા ખેડૂતોનાં પાકને સિંચાઈ માટે પાણી ન મળતા નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે ફરિયાદ થતા આખતે કોઝ વે તોડી પાડવાનો આદેશ અપાયો હતો. કલેક્ટરનાં આદેશની અમલવારી ન થતા ખેડૂતોને લાખોનું નુકશાન થયું છે. માળિયા હાટીના તાલુકાનાં જામવાડી ગામમાં નદીનાં વહેણને રોકી કોઝવે બનાવામાં આવ્યો હતો. નદી પર 1 મીટરની ઉંચાઈનાં કોઝવેને બદલે 12 મીટર જેટલો ગેરકાયદેસર કોઝવે બનાવી દેવાયો હતો. પરંતું કોઝવેને તેની ઉંચાઈ કરતા વધુ ઉંચો બનાવી દેવામાં આવતા નદીનાં પાણી ખેતરોમાં ઘુસી જતા ખેડૂતોને મોટાપાયે નુકશાન થયું હતું. જે બાબતે સરપંચ દ્વારા કલેક્ટરને ફરિયાદ કરતા કલેક્ટર દ્વારા ગેરકાયદેસર કોઝવે તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. પરંતું મામલતદાર દ્વારા કલેક્ટરનાં આદેશનું પાલન ન થતાં ખેડૂતોને લાખોનું નુકશાન થવા પામ્યું હતું.
સપ્ટેમ્બરમાં વરસાદ ન આવે તો પાક નિષ્ફળ જવાની ભીંતી
ચાલુ સીઝનમાં ગીરસોમનાથમાં છેલ્લા 30 વર્ષનો સૌથી ઓછો વરસાદ વરસ્યો છે. વરસાદ ખેંચાતા હવે પાણીની અછતનાં કારણે નુકશાન થવાની શક્યતાઓ વર્તાઈ રહી છે. ત્યારે ગીર સોમનાથ જીલ્લામાં અતિભારે વરસાદ બાદ હવે વરસાદ ન વરસતા પાક નિષ્ફળ જવાની ભીંતી ખેડૂતે સેવી રહ્યા છે. ગીર સોમનાથનાં અનેક વિસ્તારોમાં જળતાંડવમાં બચી ગયેલ પાક પાણીની અછતનાં કારણે સુકાવા લાગ્યો છે. વરસાદ ન આવતા ખેડૂતોએ પાકને પિયત આપવાની જરૂર પડી છે. ખેડૂતોએ જણાવ્યું હતું કે, જો સપ્ટેમ્બરમાં વરસાદ ન આવે તો ખેતરમાં મોંઘા બિયારણ લાવી વાવેતર કરેલ પાક નિષ્ફળ જવાની ભીંતી સેવાઈ રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir