બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:29 AM, 25 January 2024
ADVERTISEMENT
આજે પોષ પૂનમ છે. પોષ પૂનમ એ સૂર્ય અને ચંદ્રના મિલનનો પવિત્ર દિવસ છે. પોષ મહિનો એ સૂર્યદેવનો મહિનો છે અને પૂનમ એ ચંદ્રની તિથિ છે. એટલે કે સૂર્ય આત્મા છે અને ચંદ્ર મન છે. સૂર્ય અને ચંદ્રનો આ અદ્ભુત સંગમ પોષ પૂનમની તારીખે જ થાય છે. આ દિવસે સૂર્ય અને ચંદ્ર બંનેની પૂજા કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને જીવનમાં આવતા અવરોધો દૂર થાય છે.

ADVERTISEMENT
પોષ માસની પૂનમનું મહત્વ
હિન્દુ ધર્મમાં પૂનમ અને અમાસનાં દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાની સનાતન પરંપરા રહી છે. કહેવાય છે કે પોષ પૂનમના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાથી શુભ ફળ મળે છે. હિન્દુ ધર્મમાં આ પૂનમને ખૂબ મહત્વ આપવામાં આવે છે. આ દિવસે પૂજા કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે અને ઈચ્છિત ફળ પ્રાપ્ત થાય છે.
પોષ પૂનમે પૂજા અને સ્નાન કેવી રીતે કરવા
સવારે સ્નાન કરતા પહેલા સંકલ્પ લેવો. સૌપ્રથમ માથા પર જળ ચઢાવો અને પ્રણામ કરો. પછી સ્નાન કરવાનું શરૂ કરો. સ્વચ્છ વસ્ત્રો પહેરો અને સૂર્યની પૂજા કરો. આ પછી મંત્રનો જાપ કરો અને કંઈક દાન કરો. આ દિવસે વ્રત રાખવું વધુ સારું રહેશે. પૂર્ણ ચંદ્રની રાત્રે ચંદ્રની સામે ધ્યાન કરો અથવા પ્રાર્થના કરો. તમારી વિનંતી સ્વીકારવામાં આવશે.
ADVERTISEMENT

પોષ પૂનમે કયા મંત્રોનો જાપ કરવો
ADVERTISEMENT

ADVERTISEMENT
પૌષ પૂનમ માટેના ઉપાયો
આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરો
પૂનમના દિવસે માં લક્ષ્મીએ અવતાર લીધો હતો. તેથી માં લક્ષ્મીને પૂનમ ખૂબ જ પ્રિય છે. આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરો અને તેમને ખીર ચઢાવો અને પછી તેને 7 છોકરીઓમાં વહેંચો. તેનાથી તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ વધશે.
ADVERTISEMENT
વાંચવા જેવું: ભારતના મંદિરોમાં થતા ચમત્કારો સાંભળીને આખી દુનિયા આશ્ચર્યચકિત, મધરાત થતા બોલવા લાગે છે મૂર્તિઓ ?
લક્ષ્મી સ્તોત્રનો પાઠ કરો
પોષ પૂનમની મધ્યરાત્રિએ ઘીનો દીવો પ્રગટાવો અને લક્ષ્મી સ્તોત્રનો પાઠ કરો. એવું માનવામાં આવે છે કે આનાથી આર્થિક લાભ થાય છે.
પીપળના વૃક્ષને જળ અર્પણ કરો
પૂનમના દિવસે પીપળના વૃક્ષને જળ અર્પણ કરો. મીઠાઈઓ અર્પણ કરો. તેનાથી વિવાહિત જીવનમાં આર્થિક લાભ અને મધુરતા પણ આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.