બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Arohi
Last Updated: 04:03 PM, 14 July 2022
શિવભક્તિનો મહિનો શ્રાવણ થોડા દિવસોમાં જ શરૂ થવાનો છે. આ મહિનો સંપૂર્ણ રીતે ભગવાન શિવને સમર્પિત છે. શ્રાવણ માસમાં ભક્તો પોતપોતાની રીતે શિવની પૂજા કરે છે અને આ માસમાં ભોલેનાથની પૂજાનું ખાસ મહત્વ છે.
આ મહિનો ભોલે શંકરનો સૌથી પ્રિય મહિનો માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ મહિનામાં પૂર્ણ ભક્તિ સાથે શિવની પૂજા અને ધ્યાન કરવાથી તે ખૂબ જ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદથી વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ થાય છે.
ઘરે કરાવો રૂદ્રાભિષેક
જો કે આ આખા મહિનામાં ભગવાન શિવની પૂજા કરવાથી શ્રેષ્ઠ ફળ મળે છે. પરંતુ પ્રદોષ અને સોમવારને શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આ સમયે ભગવાન શિવની પૂજા અને ધ્યાન કરવાથી દરેક પ્રકારના દોષ દૂર થાય છે. આ ખાસ પ્રસંગો પર ઓછામાં ઓછા એક વખત તમારા ઘરમાં રુદ્રાભિષેક કરવાનો પ્રયાસ કરો.
રુદ્રાભિષેક કરવાથી પ્રસન્ન થાય છે ભગવાન શિવ
રુદ્રાભિષેક એટલે કે શિવનો અભિષેક કરવાથી તેઓ ખૂબ જ પ્રસન્ન થાય છે. રૂદ્રાભિષેક માટે કોઈ યોગ્ય આચાર્યને બુક કરો શ્રાવણ માસમાં રુદ્રાભિષેક કરવાથી ઘરના દુઃખ અને દરિદ્રતા દૂર થાય છે. અને ઘરમાં સુખ-સમૃદ્ધિ અને શાંતિ રહે છે. શ્રાવણમાં ભગવાન મહાદેવ ને પ્રસન્ન કરવા રુદ્રાભિષેક કરવો ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે.
જે વ્યક્તિ શ્રાવણમાં ભગવાન ભોલેનાથને તમામ વિધિ વિધાનની સાથે રુદ્રાભિષેક કરે છે તેના પર ભગવાન શિવ અને માતા પાર્વતી ના આશીર્વાદ રહે છે. આ સાથે પરિવારના તમામ સભ્યો પ્રેમથી લાંબુ આયુષ્ય પ્રાપ્ત કરે છે, સ્વસ્થ રહે છે. તેમને તમામ ભૌતિક સુખો મળે છે.
સોમવારનું વ્રત પણ આપે છે શુભ ફળ
જે લોકો શ્રાવણ મહિનામાં દરરોજ ભગવાન શંકરની પૂજા કરી શકતા નથી. તેમણે ઓછામાં ઓછા સોમવારે ભગવાન શિવની પૂજા અને ઉપવાસ અવશ્ય કરવા જોઈએ. જે લોકો શ્રાવણ માસમાં સોમવારના તમામ વ્રત રાખીને પૂર્ણ ભક્તિભાવથી મહાદેવની પૂજા કરે છે તેમની તમામ શુભ મનોકામનાઓ પૂર્ણ થાય છે.
શ્રાવણમાં જેટલો સમય મળે તેટલો સમય પુરી શ્રદ્ધા અને સાત્વિકતાથી શિવની ઉપાસના કરો કારણકે શ્રાવણમાં શિવ બહુ જલ્દી પ્રસન્ન થાય છે. આપણાં કાર્યો અને ભાગ્યને કારણે વિવિધ ગ્રહો મુશ્કેલી આપે છે. પરંતુ મુખ્યત્વે શિવ આ સમગ્ર ન્યાય વિભાગના સંચાલક છે અને તેમની કૃપાથી ગ્રહોની મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir