બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / three innocent girls died due to eating laiya and namkeen in rae bareli

કરૂણ ઘટના / ઓહ માઈ ગોડ! અહીં 3 બાળકીઓ મમરા ખાઈ લેતા થયું મોત, સમગ્ર પંથકમાં મચી ચકચાર

Premal

Last Updated: 01:20 PM, 17 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તર પ્રદેશના રાયબરેલી જિલ્લાના ઉંચાહાર કોતવાલી ક્ષેત્રના મિર્જા ઈનાયતુલ્લાપુર ગામમાં નમકીન ખાવાથી ત્રણ બાળકીઓના મોત થયા છે. જેના કારણે પરિવારમાં અરેરાટી ફેલાઇ ગઇ છે. શનિવારે નમકીન ખાવાથી ત્રણ બાળકીઓની તબિયત બગડી ગઇ હતી.

  • ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં નમકીન ખાવાથી ત્રણ બાળકીઓના મોત
  • બાળકીઓના મોત થતાં પરિવારજનોમાં શોકનો માહોલ
  • એસડીએમે ઘટનાની તપાસ કરી, પોલીસે દુકાનદારની કરી ધરપકડ

નમકીન ખાવાથી ત્રણ બાળકીઓના મોત 

જાણકારી મુજબ, શુક્રવારે બાળકીઓના પિતા નવીનકુમાર જમુનાપુર ચોકડીથી નમકીન લઇને આવ્યાં હતા. તેઓ વ્યવસાયે ખેડૂત છે. શનિવારે સવારે તેમની ત્રણેય દીકરીઓએ નમકીન ખાધુ. ત્યારબાદ તેમની તબિયત કથળી હતી. ત્રણેય દીકરીઓને ઉલટી થઇ હતી. પરિવારજનો ત્રણેય દીકરીઓને સીએચસી લઇ ગયા. જ્યાં તબીબોએ એક બાળકીને મૃત જાહેર કરી. જ્યારે બે બાળકીઓને જિલ્લા હોસ્પિટલ મોકલવામાં આવી. જિલ્લા હોસ્પિટલમાં બીજી બાળકીનું મોત થયુ. જ્યારે ત્રીજી બાળકીનું મોડી રાત્રે સારવાર દરમ્યાન મોત થયુ. આ કરૂણ ઘટનાથી પરિવારજનોમાં શોકનો માહોલ ફેલાયો છે. 

સ્થાનિક વહીવટી તંત્રમાં દોડધામ

ઘટનાની માહિતી મળતા સ્થાનિક વહીવટી તંત્રમાં દોડધામ મચી હતી. તો સુચના બાદ એસડીએમ વિનય કુમાર મિશ્ર ગામ ગયા હતા અને ઘટનાની તપાસ કરી હતી. પોલીસે દુકાનદાર અને બે બાળકોની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી છે. પોલીસે બાળકોના મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે મોકલ્યાં છે. એસડીએમે જણાવ્યું કે, આ મામલાની ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ