બ્રેકિંગ ન્યુઝ
પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ
દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
Air Indiaની એકસાથે 70થી વધુ ફ્લાઇટ્સ રદ
VTV / three Ias Officers Raghuraj Rajendran Amrapali Kata And Mangesh Ghildiyal Appointed In The Pmo
Parth
Last Updated: 10:12 AM, 13 September 2020
વડાપ્રધાન કાર્યાલયમાં ત્રણ આઈએએસ ઓફિસરને મોટી જવાબદારી આપવામાં આવી છે. કેબિનેટની નિયુક્તિ સમિતિ(ACC)એ ત્રણ નિયુક્તિઓ પર મહોર લગાવી છે. જેમાં ઉત્તરાખંડના ટિહરીના ડીએમ મંગેશ ઘીલ્ડીયાલ પણ સામેલ છે. તેમને PMOના અન્ડર સેક્રેટરીનું પદ મળ્યું છે. આ મામલે ઉત્તરાખંડના સચિવને 12મી સપ્ટેમ્બરે જ પત્ર આપવામાં આવ્યો હતો.
આ સિવાય મધ્ય પ્રદેશ કેડરના IAS અધિકારી રઘુરાજ રાજેન્દ્રનને PMOમાં ડાયરેક્ટર અને આંધ્ર પ્રદેશ કેડરના IAS અધિકારી આમ્રપાલી કાટાને ડેપ્યુટી સેક્રેટરીની જવાબદારી આપવામાં આવી છે.
ટિહરીના ડીએમની PM ઓફીસમાં તૈનાતી
મંગેશ ઘીલ્ડીયાલ પહેલા રુદ્રપ્રયાગ જિલ્લાના ડીએમ હતા જ્યાં કેદારનાથના પુનર્નિર્માણ અને ચાર ધામ રોડના નિર્માણથી જોડાયેલ કામ તેમણે જોયું. આ બંને પ્રોજેક્ટ વડાપ્રધાન મોદીએ જ લોન્ચ કર્યા હતા. રુદ્રપ્રયાગનાં પહેલા મંગેશ ઘીલ્ડીયાલ બાગેશ્વર જિલ્લામાં જિલાઅધિકારી પદ પર હતા.
મધ્ય પ્રદેશ કેડરના IAS અધિકારી રઘુરાજ રાજેન્દ્રન
આ જ રીતે મધ્ય પ્રદેશ કેડરમાં વર્ષ 2004ની બેચના રઘુરાજ રાજેન્દ્રનને PM ઓફીસમાં ડાયરેક્ટરના પદ પર નિયુક્ત કરવામાં આવ્યા છે. આ પહેલા સ્ટીલ મંત્રાલય,આ પેટ્રોલીયમ અને પ્રાકૃતિક ગેસ તથા સ્ટીલના કેબિનેટ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના પ્રાઈવેટ સેક્રેટરીના રૂપમાં પોતાની સેવા અદા કરી ચુક્યા છે.
આંધ્ર પ્રદેશ કેડરના અધિકારી છે આમ્રપાલી કાટા
આમ્રપાલી કાટાના આંધ્ર પ્રદેશ કેડરના 2010 બેચના આઈએએસ અધિકારી છે. તેમને PMOમાં ડેપ્યુટી સેક્રેટરી પદ પદ નિયુક્ત કરવામાં આવ્યા છે. તે મંત્રીમંડળ સચિવાલયમાં ઉપ સચિવ હતા. નોંધનીય છે કે ACCના ચેરમેન પીએમ મોદી છે જ્યારે ગૃહમંત્રી અમિત શાહ તેના સદસ્ય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ