બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Vishal Khamar
Last Updated: 10:00 PM, 30 December 2023
ગાંધીનગરનાં ઉવારસદ ગામમાં યુવકને ઝાડા-ઉલ્ટી થતા તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયો હતો. યુવકને સારવાર આપવા છતાં પણ તેની તબિયતમાં કોઈ સુધારો ન થતા યુવકનાં સેમ્પલ લઈ લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલ્યા હતા. ત્યારે રિપોર્ટ આવ્યા બાદ કિશોરનો કોલેરા હોવાનું માલુમ પડતા આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલીક યુવકની સારવાર શરૂ કરી હતી. તો બીજી તરફ જીલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી ઉવારસદ અને કર્ણાવતી યુનિવર્સિટીનાં બે કિલોમીટરનાં વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો હતો.
આરોગ્ય વિભાગ દ્વારા ટીમો બનાવી સમગ્ર વિસ્તારમાં ડોર ટુ ડોર સર્વે શરૂ કર્યો
યુવક કોલેરા ગ્રસ્ત હોવાનું પ્રકાશમાં આવતા જીલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા વિવિધ ટીમો બનાવી ડોર ટુ ડોર સર્વે શરૂ કર્યો હતો. સર્વે દરમ્યાન આરોગ્ય વિભાગને ઝાડા-ઉલ્ટીની અસર હોય તેવા વધુ 2 દર્દીઓ મળી આવ્યા હતા. જે બંને દર્દીઓનાં સેમ્પલ લઈ આરોગ્ય વિભાગ દ્વારા તેને તપાસ અર્થે લેબોરેટરી ખાતે મોકલ્યા હતા. તેમજ ઈંટોનાં ભઠ્ઠામાં કામ કરતા અન્ય મજૂરોની પણ આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય તપાસ હાથ ધરાઈ હતી.
30 ડિસેમ્બરથી આગામી ત્રણ મહિના સુધી જાહેરનામું અમલી
એકાએક કોલેરાનાં કેસ પ્રકાશમાં આવતા ગાંધીનગર કલેક્ટર દ્વારા તાત્કાલિક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. જેમાં ઉવારસદ અને કર્ણાવતી યુનિવર્સિટી વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કરાયું હતું. તેમજ 2 કિલોમીટરનાં સમગ્ર વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરાયો હતો. તેમજ ઈંટોનાં ભઠ્ઠા અને આસપાસનાં વિસ્તારમાં આરોગ્ય વિભાગની ટીમો દ્વારા લોકોની આરોગ્ય ચકાસણી શરૂ કરી હતી. ત્યારે આ જાહેરનામું તા. 30 મી ડિસેમ્બર 2023 થી આગામી ત્રણ મહિના સુધી અમલમાં રહેશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir