બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Kinjari
Last Updated: 11:29 AM, 1 December 2021
આમાં સૌથી મોટું નામ વેંકટેશ અય્યરનું છે. તેણે ગયા મહિને જ ન્યૂઝીલેન્ડ સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. અગાઉ IPL 2021માં પણ તે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) તરફથી રમ્યો હતો. લીગમાં સિઝનનો અનુભવ હોવા છતાં, તેને KKR દ્વારા IPL 2022 માટે રૂ. 20 લાખથી રૂ. 8 કરોડનો સીધો પગાર ચૂકવીને જાળવી રાખવામાં આવ્યો છે. તેમનો પગાર 40 ગણો વધી ગયો છે.
અબ્દુલ સમદ
સનરાઇઝર્સ હૈદરાબાદે 20 વર્ષીય જમ્મુ અને કાશ્મીરના ઓલરાઉન્ડર અબ્દુલ સમદને IPL 2020માં તેની મૂળ કિંમત 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. પરંતુ IPL 2022 માટે જાહેર કરવામાં આવેલી રિટેન્શન લિસ્ટમાં પણ સમદનું નસીબ ખુલ્યું. હૈદરાબાદે તેને 20 ગણો વધુ પગાર આપીને 4 કરોડ રૂપિયામાં રિટેન કર્યો હતો. સમદે IPL 2021માં 7 મેચમાં 75 રન આપીને 1 વિકેટ લીધી હતી. તેણે IPL 2020માં રમાયેલી 12 મેચોમાં 111 રન બનાવ્યા હતા. ત્યારબાદ સમદે 170ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા હતા
અર્શદીપ સિંહ
પંજાબ કિંગ્સે IPL 2022 માટે માત્ર 2 ખેલાડીઓને રિટેન કર્યા છે. જેમાં ટીમના ઓપનર મયંક અગ્રવાલ અને અનકેપ્ડ ભારતીય અર્શદીપ સિંહ છે. 20 વર્ષીય અર્શદીપને પંજાબ કિંગ્સે 2019માં રૂ. 20 લાખની મૂળ કિંમતે ખરીદ્યો હતો અને 20 ગણો વધુ પગાર આપીને રૂ. 4 કરોડમાં તેને રિટેન કર્યો હતો. IPL 2021માં અર્શદીપનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. તેણે 12 મેચમાં 18 વિકેટ લીધી હતી. અર્શદીપે આ વર્ષે IPLમાં દર 14 બોલમાં એક વિકેટ લીધી હતી. તેણે અત્યાર સુધી લીગની 23 મેચમાં 30 વિકેટ ઝડપી છે.
ઉમરાન મલિક
સનરાઇઝર્સ હૈદરાબાદે જમ્મુ-કાશ્મીરના ફાસ્ટ બોલર ઉમરાન મલિકને IPL 2022 માટે રિટેન કરવાનો નિર્ણય લીધો છે. ઉમરાને IPL 2021માં ડેબ્યૂ કર્યું હતું. તેને હૈદરાબાદે 10 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. પરંતુ તેને પણ 4 કરોડ રૂપિયામાં રિટેન કર્યો છે. તેણે અત્યાર સુધી માત્ર 3 મેચ રમી છે, જેમાં તેણે 2 વિકેટ ઝડપી છે. પરંતુ તેની સ્પીડથી બધાને ચોંકાવી દીધા છે. ઉમરાને IPL 2021માં 152.95 kmphની ઝડપે બોલ ફેંક્યો હતો. આ સાથે તે લીગના ઈતિહાસમાં સૌથી ઝડપી બોલ ફેંકનાર ભારતીય બન્યો. તે ટી20 વર્લ્ડ કપમાં નેટ બોલર તરીકે ટીમ ઈન્ડિયા સાથે પણ જોડાયેલો હતો.
યશસ્વી જયસ્વાલ
યશસ્વી જયસ્વાલે 2020માં અંડર-19 વર્લ્ડ કપમાં 6 મેચમાં 400 રન બનાવ્યા હતા. આ પછી IPL 2020 પહેલા તેને રાજસ્થાન રોયલ્સે ખરીદ્યો હતો. તેને રાજસ્થાને 20 લાખની મૂળ કિંમત એટલે કે 2 કરોડ 40 લાખ રૂપિયા કરતાં 12 ગણી વધુ કિંમતે ખરીદ્યો હતો. IPL 2022 માટે પણ રાજસ્થાને તેને 4 કરોડમાં રિટેન રાખવાનો નિર્ણય કર્યો છે. યશસ્વીએ IPLની 14મી સિઝનમાં 10 મેચ રમી હતી. આ દરમિયાન તેણે 249 રન બનાવ્યા હતા. યશસ્વીએ IPL 2021માં પણ અડધી સદી ફટકારી હતી. તેનો સ્ટ્રાઈક રેટ 148.21 હતો. તેણે ગત સિઝનમાં 32 ફોર અને 10 સિક્સર ફટકારી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir