બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ
દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
Nirav
Last Updated: 05:14 PM, 22 January 2021
કોંગ્રેસ પાર્ટીની વર્કિંગ કમિટીની બેઠકમાં આજે અમુક નેતાઓ દ્વારા પાર્ટીની અંદર આંતરિક ચૂંટણીઓ કરાવવાની અપીલ કરાવવામાં આવી હતી, ત્યારે રાજસ્થાન સીએમ અશોક ગેહલોત ગુસ્સે થયા હતા તેમણે સવાલ ઉઠાવતા આ નેતાઓને પૂછ્યું હતું કે ચૂંટણીની એટલી ઉતાવળ શા માટે છે? શું આ નેતાઓને સોનિયા ગાંધીના નેતૃત્વ પર ભરોસો નથી?
આનંદ શર્મા તરફથી ઉઠાવાયો હતો પાર્ટીમાં ચૂંટણીનો મુદ્દો
મહત્વનું છે કે આજે કોંગ્રેસ કમિટીની વર્કિંગ કમિટીની બેઠક મળી હતી, જેમાં વરિષ્ઠ નેતા આનંદ શર્માની ત્યારફ્થી સંગઠનમાં ચૂંટણીનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો, જો કે આ બાબતને લઈને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત આક્રોશિત થઈ ગયા હતા, તેઓ લગભગ 15 મિનિટ સુધી બોલ્યા હતા, જેમાં તેમણે કહ્યું હતું કે આજે કૃષિ આંદોલન, મોંઘવારી અને અર્થવ્યવસ્થા જેવા ઘણા મુદ્દાઓ છે જેના ઉપર ફોકસ કરવું ઘણું જરૂરી છે, સંગઠનમાં ચૂંટણીની આટલી જલ્દી શું છે ?
નોંધનીય છે કે પાર્ટીમાં 23 નેતાઓનું એક ગ્રુપ ઘણા સમયથી પાર્ટીમાં ફૂલટાઈમ અધ્યક્ષની માંગણી કરી રહ્યું છે અને આ માટે તેમણે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીને પત્ર પણ લખ્યો હતો.જો કે બેઠકમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે પાર્ટીને જલ્દીથી આ મુદ્દે શેડ્યૂલ કાઢવું જોઈએ, કેમ કે આ સિવાય ઘણા મુદ્દાઓ ખૂબ જ જરૂરી છે.
મે મહિનામાં થઈ શકે છે ચૂંટણી
શુક્રવારની બેઠકમાં આ વાત સામે આવી હતી કે કોંગ્રેસ મે મહિનામાં આંતરિક ચૂંટણી કરાવડાવી શકે છે અને જૂન 2021થી પાર્ટીને નવો અધ્યક્ષ મળી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ