બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / The two-time Mavthans did not keep the farmers anywhere
Vishal Khamar
Last Updated: 09:57 PM, 29 April 2023
રાજ્યમાં ભર ઉનાળે વરસાદ વરસી રહ્યો છે. ખેડૂતોએ તૈયાર કરેલા પાકને વેચવાનો સમય હતો અને એકાએક વરસાદ થતા ખેડૂતોના તૈયાર પાક પર પાણી ફરી વળ્યા. થોડા દિવસ પહેલા પણ કમસોમી વરસાદ થયો હતો. તેમા પણ ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો. અગાઉના વરસાદથી બચી ગયેલા પાકને વેચીને ખેડૂતોએ નુકસાન ભરપાઈ કરવાનું વિચાર્યુ હતુ. જોકે કુદરત રૂઠી જતા ખેડૂતોના બચી ગયેલો પાક પણ ધોવાઈ ગયો છે.. કુદરત રૂઠી જતા હવે ખેડૂતો માત્ર સરકારે પર સહાયની આશા લગાવીને બેઠા છે. અગાઉ થયેલા વરસાદનો સરકારે સરવે કર્યો છે. જોકે હવે ફરી વરસાદ થતા ક્યારે સરવે બાદ સહાય ચૂકવાશે તે તો આગામી દિવસોમાં જોવાનું રહેશે. પરંતુ ભર ઉનાળે થયેલા વરસાદમાં ખેડૂતોને થયેલા નુકસાનનો કઈ રીતે સરવે થશે. શું હવે ખેડૂતોને વળતર આપવાનો સરકાર પાસે અન્ય કોઈ વિકલ્પ છે. કે પછી સરકાર ફરીથી પાક વીમા યોજના ચાલુ કરશે. પાક વીમા યોજનાને શરૂ કરવામાં વિલંબ કેમ? સહાય-સરવેની બાબતમાં ખેડૂતો શું બદલાવ ઇચ્છે છે? કુદરતી આફત સામે પાક પેટર્નમાં બદલાવ સુચારૂ વિકલ્પ બની રહે?
પાક વીમા યોજના કેમ કરાઈ બંધ?
ખેડૂતો પાસેથી સમયસર પ્રિમિયમ કપાય પરંતુ રૂપિયા ચૂકવવામાં કંપની મનમાની કરતી હતી. તાલુકા અને જિલ્લા સ્તર પર પાક વીમા કંપનીઓની ઓફિસ ન હતી. કંપની પાસે અપૂરતો સ્ટાફ અને જે સ્ટાફ જે તે કવોલિફાઈડ પણ ન હતો. પાક વીમા યોજનાની ગાઈડલાઈન ગુજરાતી ભાષામાં જાહેર કરાઈ ન હતી. ખેડૂતો સુધી કંપનીઓ યોજનાની પૂરતી માહિતી પહોંચાડતી ન હતી. સમયસર રૂપિયા ન મળતા ખેડૂતોએ વિરોધ કર્યો હતો. ખેડૂતોના વિરોધને પગલે સરકારે પાક વીમો મરજિયાત કર્યો હતો. અગાઉની નુકસાનીનું વળતર હજૂ પણ ખેડૂતોને ચૂકવવાનું બાકી છે.
પાક વીમાના શું હતા નિયમ
પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ પાકવીમો ઉતારાય છે. ધિરાણ લેતા ખેડૂતોના ખાતામાંથી સીધા રૂપિયા કપાતા હતા. ખેડૂત ક્રેડિટ કાર્ડ અંતર્ગત પાક માટે લોન લેનારા ખેડૂતોને પાક વીમો ફરજિયાત હતો. નાણાંકીય સંસ્થાઓ પાસેથી ધિરાણ મેળવી ખેતી કરતા ખેડૂતો માટે પાક વીમો ફરજિયાત હતો. બેંક અને વીમા કંપનીઓ ખેડૂતોને જણાવ્યા વગર વીમાની રકમ લઈ લેતી હતી. ખરીફઋતુના પાક માટે પ્રિમિયમનો દર 2 ટકા છે. જ્યારે રવી કે ઉનાળુ પાક માટે પ્રિમિયમનો દર 1.5 ટકા છે. વાર્ષિક વાણિજ્ય અને બગાયતી પાક માટે 5 ટકા છે.
પાક વીમા યોજનામાં આવરવામાં આવતા જોખમ
ખરીફ ઋતુના ક્યાં પાક પર મળતો હતો વીમો?
ડાંગર |
મકાઈ |
જુવાર |
તુવેર |
મગ |
મઠ |
અડદ |
મગફળી |
તલ |
એરંડા |
બાજરી |
કપાસ |
કેળા |
રવી ઋતુના ક્યાં પાક પર મળતો હતો વીમો?
ઘઉં |
ચણા |
રાઈ |
બટાકા |
લસણ |
ડુંગળી |
જીરૂ |
વરિયાળી |
ઈસબગુલ |
માવઠાથી ક્યા પાકને નુકસાન?
ઘઉં |
જીરુ |
ધાણા |
રાયડો |
કપાસ |
તમાકુ |
એરંડા |
કેરી |
ડુંગળી |
ઈસબગુલ |
રાજગરો |
વરિયાળી |
બાજરી |
દાડમ |
સક્કરટેટી |
તરબૂચ |
લીંબુ |
તલ |
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir