બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / The statement of a witness has come out in the gang war in Delhis Tihar Jail
Kishor
Last Updated: 08:08 PM, 5 May 2023
દિલ્હીની તિહાર જેલમાં તાજેતરમાં ગેંગવોર થયું હતું.તિહાડ જેલમાં બંધ કુખ્યાત ગેંગસ્ટર ટિલ્લુ તાજપુરિયા ઉર્ફે સુનીલ માનની હત્યા કરવામાં આવી હતી. ગત મંગળવારે સવારે જેલમાં બંધ બદમાશોએ લોખંડની ગ્રીલ તોડીને તેના પર હુમલો કર્યો હતો. બદમાશોએ ટિલ્લુના પેટમાં લોખંડનો સળિયો માર્યો હતો . આ હુમલામાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. જેલના કર્મચારીઓએ તેને ઝડપથી દીન દયાલ ઉપાધ્યાય હોસ્પિટલમાં દાખલ કર્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આરોપી દીપક તીતર યોગેશ અને રાજેશ તથા રિયા સહિતના શખ્સોએ આ પ્રકરણને અંજામ આપ્યો હતો. જેને લઇને પોલીસે તેની સામે એફઆઈઆર નોંધી કાર્યવાહી પણ હાથ ધરી છે આવી સ્થિતિ વચ્ચે ઘટનાને નજરે જોનાર સાક્ષીનું નિવેદન સામે આવ્યું છે. ગોગી ગેંગના આરોપી દીપક, યોગેશ, રાજેશ અને રિયાઝે કેવી રીતે ટિલ્લુને માર માર્યો હતો તે ધ્રુજાવી દે તી ઘટના વર્ણવી હતી.
આરોપીઓને ટિલ્લુસામે નારાજગી હતી
હત્યાના આ વારદાતની સમગ્ર હકીકત જેલ નંબર 8 ના વોર્ડ નંબર પાંચમાં આવેલ સેલ નંબર સાતમાં બંધ રોહિતે સંભળાવી હતી. રોહિતે જણાવ્યું કે બી બ્લોકમાં ગોગી ગેંગના ગુર્ગે રિયાઝ ગેડા, રાજેશ, યોગેશ અને દિપક બંધ છે. આ ચારેય આરોપીઓને ટિલ્લુસામે નારાજગી હતી અને ગોગીનું મર્ડરમાં ટિલ્લુ જવાબદાર હોવાનું તેઓ માનતા હતા. બે મેં સવારે છ વાગ્યે તમામ લોકો દરેકમાં હતા આ દરમિયાન ટિલ્લુ 12 આંટા મારી રહ્યો હતો. અને રોહિત પોતાના સેલમાં હતો. આ વેળાએ રોહિતે કહ્યું કે ટીલ્લુભાઈ દોડતો પોતાના સેલમાં આવ્યો અને જલ્દીથી દરવાજો બંધ કરવા કહ્યું હતું અમુક લોકો છરી લઈ અને મારવા આવતા હોવાનું જણાવતા રોહિતે તાત્કાલિક દરવાજો બંધ કરવાની કોશિશ કરી હતી.
ટીલ્લુભાઈને બચાવવા માટે અનેક કોશિશ કરી
આ દરમિયાન અચાનક દરવાજા સામે યોગેશ અને દીપક આવી ગયા હતા. જેમણે ધક્કો મારી અને દરવાજો ખોલવાની કોશિશ કરી હતી. આથી દરવાજો ન ખુલતા યોગેશ અને દિપકએ અમારી ઉપર ગ્રીલ બહારથી જ છરી વડે હુમલો કર્યો હતો. આ દરમિયાન રિયાઝ પાછળથી આવ્યો હતો અને ટીલ્લુને કહી રહ્યો હતો કે આજે તારું કામ પૂરું જ કરી દેવું છે. વધુમાં રોહિતે કહ્યું કે મેં ટીલ્લુભાઈને બચાવવા માટે અનેક કોશિશ કરી હતી છતાં તેમાં નાકામ રહ્યો હતો. મને રિયાઝએ ધમકી આપી હતી કે જો તું વચ્ચે પડીશ તો તને પણ મારી નાખશું. તેમ કહી મારી ઉપર પણ ચાકુ વડે હુમલો કર્યો હતો. જેમાં મને હાથમાં ઇજા થઈ હતી. આથી દીપક, યોગેશ અને રિયાઝે દરવાજો ખોલી અને તાત્કાલિક સેલમાં ઘૂસી આવ્યા હતા. જયાંથી ટીલ્લુભાઈને ખેંચી અને બહાર લઈ ગયા હતા.
'મારો... મારો...બચાવો ન જોઈએ'...
બહાર આ ચારેય શખ્સોએ ટિલ્લુભાઈ પર છરી વડે હુમલો કર્યો હતો. જ્યા ટિલ્લુએ ભાગવાનો પ્રયાસ કરતા યોગેશે તેને પકડી લીધો અને દીપક અને રિયાઝને મારવા માટે બૂમો પાડી હતી. 'મારો... મારો...બચાવો ન જોઈએ'... આ પછી દીપક, રિયાઝ અને યોગેશે છરીઓ વડે માર માર્યો હતો. પેટ, છાતી, ગરદન અને અન્ય જગ્યાએ 100થી વધુ વખત તીક્ષ્ણ છરી વડે ઘા મારી ટિલ્લુને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ છરી પંખાની બ્લેડ-ટાઇલ્સમાંથી બનાવ્યુ હોવાનુ સામે આવ્યું છે.હુમલા બાદ જેલ સ્ટાફ ટીલ્લુભાઈ અને મને DDU હોસ્પિટલમાં લઈ ગયો હતો. જ્યા હોસ્પિટલમાં ટીલ્લુનું મોત થયું હોવાનું સામે આવ્યું હતું.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir