બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The security of political veterans including former CM Rupani will be reduced
Khyati
Last Updated: 06:55 PM, 23 March 2022
ગુજરાતમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી વિજય રૂપાણી, અને હિન્દુવાદી નેતા પ્રવિણ તોગડીયાને ઝેડ પ્લસ સુરક્ષા આપવામાં આવે છે. તે બાદ પૂર્વ ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાને પણ ઝેડ સિક્યુરિટી આપવામાં આવતી હતી. ત્યારે હવે પૂર્વ સીએમ, પૂર્વ ડે.સીએમ અને પૂર્વ ગૃહ રાજ્યમંત્રીની સુરક્ષામાં ઘટાડો કરવામાં આવી શકે છે.
ભાજપના પૂર્વ પદાધિકારીઓની સિક્યુરિટીમાં ઘટાડો થશે
રાજ્યના ગૃહ વિભાગ દ્વારા પૂર્વ CM,પૂર્વ DyCM અને પૂર્વ ગૃહ રાજ્યમંત્રીની સુરક્ષામાં ઘટાડો કરવામાં આવી શકે છે. ઇન્ટેલિજન્સના રિપોર્ટ બાદ ગૃહ વિભાગે બેઠક બોલાવી છે. જે મુજબ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની સિક્યુરિટી ડાઉનગ્રેડ કરાશે તેવી ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે. આ ઉપરાંત પૂર્વ DyCM નીતિન પટેલ અને પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાની સિક્યુરિટી ડાઉનગ્રેડ થઇ શકે છે. જો કે આ અંગે હજી હાલ કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. વિધાનસભા સત્ર પૂર્ણ થયા બાદ ઝેડ પ્લસ સિક્યુરિટી ડાઉનગ્રેડ કરવાનો નિર્ણય લેવાઇ શકે છે.
બેઠકમાં અધિકારીઓના લેવાયા અભિપ્રાય
મહત્વનું છે કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ અને મોટા પદાધિકારીઓને સરકાર તરફથી સિક્યુરિટી આપવામાં આવી છે. જ્યારે તેઓનો કાર્યકાળ પૂર્ણ થાય અને તેમના જીવ પર જોખમ ન હોય તેવા સંજોગોમાં નિયમ મુજબ સિક્યુરીટી પરત લેવામાં આવે છે. સિક્યુરિટી ઘટાડવાનો નિર્ણય ભાજપના પૂર્વ પદાધિકારીઓને ધ્યાનમાં લઈને લેવાયો છે. આ નિર્ણય ઇન્ટેલિજન્સના રિપોર્ટ રિસર્ચ બાદ રાજ્યના ગૃહવિભાગે સમીક્ષા બેઠક બોલાવી છે. તેમાં સૌ કોઈના અભિપ્રાય લઇને વિધાનસભાના સત્ર બાદ ઝેડ પ્લસ સિક્યુરિટી ડાઉનગ્રેડ કરવાનો મહત્વનો નિર્ણય કરાશે.
નિયમ મુજબ ઘટાડાશે સિક્યુરિટી
ગુજરાત રાજ્યના પોલીસ વિભાગમાં અધિક મુખ્ય સચિવ તરીકે ફરજ બજાવતા રાજકુમાર, અને રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા, અને ગુજરાત સ્થિત સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ બ્યુરોના અધિકારીઓની, ઉપસ્થિતિમાં એક બેઠક મળી હતી. જેમાં વિજયરૂપાણી, નીતિન પટેલ અને પ્રદિપસિંહ જાડેજાને અપાયેલી સિક્યુરિટી દૂર કરવા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જેમાં સેન્ટ્રલ ઇન્ટેલિજન્સના રિપોર્ટ આવ્યા બાદ અને રિસર્ચ બાદ પદાધિકારીઓ અને મંત્રીઓની સિક્યુરિટી ઘટાડવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir