બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The Khijli plot garden dispute in Porbandar has once again turned sour
Dinesh
Last Updated: 08:40 PM, 19 July 2023
પોરબંદરમાં ખીજળી પ્લોટના બગીચા વિવાદ મામલે નગરપાલિકાના પ્રમુખ અને કલેક્ટર આમને સામને હોય તેવું બન્યું છે. આપને જણાવીએ કે, ખીજળી પ્લોટમાં શૌચાલય બનાવવા સામે કલકેટરે મનાઈ હુકમ ફરમાવ્યો હતો જે બાદ પણ પાલિકાએ મનાઈ હુકમનો અનાદાર કરી બાંધકામ શરૂ કરતા વિવાદ વધુ એકવાર વકર્યો છે.
મનાઈ હુકમનો અનાદાર
ખીજળી પ્લોટમાં ઝાડીઝાંખરા કાપી શૌચાલય બનાવવા પાલિકાએ તજવીજ હાથ ધરતા સ્થાનિકોમાં આક્રોશ ફેલાયો હતો.જેને લઈ સ્થાનિકોએ જિલ્લા કલકેટરને લેખિત રજુઆત કરી હતી. જે બાબાતે જિલ્લા કલેકટરે સ્થાનિકોની રજુઆત ધ્યાને લઇ તાત્કાલિક અસરથી સ્થળ ખરાઈ કરાવી મનાઇ હુકમ ફરમાવ્યો હતો. આપને જણાવીએ કે, સોમવારે રજુઆત કરી હતી અને સાંજે જ 4 વાગ્યે કલેક્ટરે મનાઈ હુકમ ફરમાવ્યો હતો. જે પછી આજે બુધવારે સવારે પાલિકાએ મનાઈ હુકમનો અનાદાર કરી બાંધકામ શરૂ કરતા વિવાદ વધુ વકર્યો છે.
શું છે સમગ્ર મામલો
જે સમગ્ર મામલે સ્થાનિકોએ કન્ટેમ્પ્ટની કલેકટરને લેખિત ફરિયાદ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પોરબંદર નગરપાલિકાના પ્રમુખ અને ભાજપના નેતા સરજુ કારિયા વધુ એક વાર વિવાદમાં ઘેરાયા છે. ખીજળી પ્લોટમાં વર્ષો જુના વૃક્ષો જડમૂળથી ઉખેડી ત્યાં શૌચાલય બનાવવા પાલિકા કામગીરી હાથ ધરી હતી. જ્યાં બગીચો બને તેમાં વિરોધ નથી પરંતું શૌચાલય બગીચા બહાર બને તેના માટે અગાઉ પણ રાજકીય ચર્ચાઓ થઈ હતી અને આશ્વાસન પણ અપાયું હતું. પરંતુ વર્તમાનમાં પાલિકા શૌચાલય બનાવી રહી છે તેને લઈ સ્થાનિકો કલેકટરને આવેદન આપી રજુઆત કરી હતી.
પાર્ટીના બે નેતા વચ્ચે જંગ
જ્યારથી ખીજળી પ્લોટમાં બગીચો બનવાની કામગીરી શરૂ થઈ ત્યારથી શૌચાલયનો મુદ્દો ચાલી રહ્યો છે. એક જ પાર્ટીના બે નેતા વચ્ચે જંગ જામ્યો છે. પાલિકા પણ ભાજપ શાસિત છે તો વિરોધ કરનાર ભાજપ શહેર યુવા મોરચાના પ્રમુખ છે. જોવાનુંએ છે કે, શૌચાલય વિવાદમાં જીત કોની થશે એ ચર્ચાનો વિષય બની ગયો છે
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir