બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Manisha Jogi
Last Updated: 03:00 PM, 9 May 2023
ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી’ રાજનૈતિક વિવાદોથી ઘેરાઈ ગઈ છે. મધ્યપ્રદેશમાં બાગેશ્વર ધામના પિઠાધીશ્વર આચાર્ય ધિરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ આ ફિલ્મને સમર્થન આપ્યું છે. તેમણે આ ફિલ્મ બાબતે ‘લવ જેહાદ’નો ઉલ્લેખ કરતા જણાવ્યું છે કે, ‘બહેન દીકરીઓએ જાગવું જોઈએ. સત્ય કોઈને કોઈ સમયે સામે આવે જ છે. હાલના સમયમાં તમામ સનાતની હિંદુ સત્યની રજૂઆત કરે છે. અમારી તમને પ્રાર્થના છે કે, લવ જેહાદ મામલે બહેન દીકરીઓએ જાગૃત થવું જોઈએ.’
ભોપાલથી ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના લોકસભા સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુરે દાવો કર્યો છે કે, વિવાદિત ફિલ્મમાં જે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે, તે જ પ્રકારની પરિસ્થિતિ મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં છે. તેઓ જણાવે છે કે, ફિલ્મ જોઈ નથી, પરંતુ પીડિતોના વિડીયો જોયા છે, જેમની કહાની ફિલ્મમાં દર્શાવવામાં આવી છે. આ ફિલ્મ ત્રણ વ્યક્તિઓની સત્ય ઘટના પર આધારિત છે, હજારો લોકોએ આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કર્યો છે.
બકૌલ ઠાકુર જણાવે છે કે, ‘આ માત્ર કેરલમાં જ નથી રહ્યું, ભોપાલમાં પણ થઈ રહ્યું છે. અમને આ પ્રકારના મામલાઓની જાણકારી મળતી રહે છે. મેં અગાઉ પણ મીડિયાને જણાવ્યું હતું કે, યુવતીઓને લવ જેહાદમાં ફસાવવામાં આવી રહી છે અને તેમના પર અત્યાચાર કરવામાં આવી રહી છે. એક ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે, જે હેઠળ હિંદુ યુવક અને યુવતીઓનું ધર્માંતરણ કરવામાં આવી રહ્યું છે અને તેમના પર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે. આતંકવાદ માટે પ્રેરિત કરવામાં આવી રહી છે. ધર્મ પરિવર્તન કરીને તેમને દેશની વિરુદ્ધ ભડકાવવામાં આવી રહ્યા છે.’
લવ જેહાદ એક એવો શબ્દ છે, જેમાં મુસ્લિમ પુરુષ હિંદુ યુવતી સાથે લગ્ન કરીને ધર્મ પરિવર્તન કરવાની લાલચ આપવામાં આવે છે. અભિનેત્રી અદા શર્મા દ્વારા અભિનીત ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી’ની કહાનીમાં આ પ્રકારની પરિસ્થિતિ દર્શાવવામાં આવી છે. જેમાં યુવતીઓનું ધર્મ પરિવર્તન કરીને આતંકવાદી સંગઠન ISISમાં શામેલ કરવા માટે મજબૂર કરવામાં આવે છે. આ ફિલ્મ બાબતે એક વિવાદ પણ સામે આવ્યો છે અને નફરત ફેલાવવામાં આવી રહી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir