બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Priyakant
Last Updated: 12:37 PM, 28 October 2023
Kerala Solidarity Program : ઇઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, કેરળના મલપ્પુરમમાં પેલેસ્ટાઈનના સમર્થનમાં એક રેલીમાં હમાસના નેતા ખાલેદ મશાલના વર્ચ્યુઅલ સંબોધનથી ખળભળાટ મચી ગયો છે. આ તરફ હવે ભાજપે આ અંગે કાર્યવાહી કરવાની માંગ કરી છે. હમાસના નેતા ખાલેદ મશાલે શુક્રવારે મલપ્પુરમમાં એકજુટતા યુવા આંદોલન ( સોલિડેરિટી યુથ મૂવમેન્ટ) દ્વારા આયોજિત યુવા પ્રતિકાર રેલીમાં વર્ચ્યુઅલ રીતે ભાગ લીધો હતો.
એકજુટતા યુવા આંદોલન ( સોલિડેરિટી યુથ મૂવમેન્ટ) એ જમાત-એ-ઈસ્લામીની યુવા પાંખ છે જેણે મલપ્પુરમમાં આ રેલીનું આયોજન કર્યું હતું. તેનું સૂત્ર છે "બુલડોઝર હિન્દુત્વ અને રંગભેદ યહૂદીવાદ (ઝિઓનિઝમ) ને જડમૂળથી ઉખેડી નાખો". ભાજપના પ્રદેશ અધ્યક્ષ કે સુરેન્દ્રનને હમાસ નેતાની સંડોવણી પર પ્રતિક્રિયા આપી છે અને કાર્યવાહીની માંગ કરી છે.
શું કહ્યું BJP અધ્યક્ષે?
સમગ્ર મામલે BJPના પ્રદેશ અધ્યક્ષ કે સુરેન્દ્રને કહ્યું કે, કેરળના મલપ્પુરમમાં એકતા કાર્યક્રમમાં હમાસ નેતા ખાલેદ મશાલનું વર્ચ્યુઅલ એડ્રેસ ચિંતાજનક છે. પિનરાય વિજયન (કેરળના મુખ્યમંત્રી) કેરળ પોલીસ ક્યાં છે? 'સેવ પેલેસ્ટાઈન'ની આડમાં તેઓ આતંકવાદી સંગઠન હમાસ અને તેના નેતાઓને 'યોદ્ધાઓ' તરીકે મહિમા આપી રહ્યા છે..આ અસ્વીકાર્ય છે!'
Hamas leader Khaled Mashel's virtual address at the Solidarity event in Malappuram is alarming. Where's @pinarayivijayan's Kerala Police ? Under the guise of 'Save Palestine,' they're glorifying Hamas, a terrorist organization, and its leaders as 'warriors.' This is… pic.twitter.com/51tWi88wTb
— K Surendran (@surendranbjp) October 27, 2023
કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું કે, હમાસના આતંકવાદીએ કેરળમાં ભાષણ આપ્યું હતું અને તેણે ત્યાંના હિંદુઓને ખતમ કરવાની વાત કરી હતી. તેમને જણાવી દઈએ કે ઘણા ભારત આવ્યા પરંતુ કંઈ કરી શક્યા નહીં. એ જ રીતે હમાસનો પણ નાશ થશે. ભારત પેલેસ્ટાઈનની સાથે છે. પરંતુ પ્રિયંકા ગાંધી વોટ માટે આતંકવાદી હમાસ સાથે ઉભા છે.
કોઝિકોડમાં પણ ગાઝાના સમર્થનમાં રેલી
તમને જણાવી દઈએ કે, કેરળમાં કોંગ્રેસની આગેવાની હેઠળના યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF)ના મુખ્ય સહયોગી IUMLએ પણ ગાઝામાં મહિલાઓ અને બાળકો સહિત નાગરિકોની કથિત હત્યાની નિંદા કરતા ગુરુવારે ઉત્તર કોઝિકોડમાં એક વિશાળ રેલીનું આયોજન કર્યું હતું. હજારો IUML સમર્થકોએ પેલેસ્ટાઈન સોલિડેરિટી હ્યુમન રાઈટ્સ રેલીમાં ભાગ લીધો હતો જેનું ઉદ્ઘાટન IUML નેતા પનાક્કડ સૈયદ સાદિક અલી શિહાબ થંગલ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ રેલીમાં કોંગ્રેસના નેતા શશિ થરૂરે 7 ઓક્ટોબરે ઈઝરાયલ પર થયેલા હુમલાને આતંકવાદી કૃત્ય ગણાવ્યું હતું. આ પછી થરૂરની ઘણી ટીકા થઈ હતી. આ પછી, કેરળમાં મુસ્લિમ સમુદાયો માટે કામ કરતી સંસ્થા 'મહલ એમ્પાવરમેન્ટ મિશન' (MEM)એ શુક્રવારે અહીં 30 ઓક્ટોબરે યોજાનાર પેલેસ્ટાઈન એકતા કાર્યક્રમમાંથી શશિ થરૂરને હટાવવાનો નિર્ણય કર્યો.
ઇઝરાયલ-હમાસ યુદ્ધ
નોંધનીય છે કે, 7 ઓક્ટોબરે હમાસે ઈઝરાયેલ પર હવા, પાણી અને જમીનથી હુમલો કર્યો હતો. આ હુમલામાં સેંકડો ઇઝરાયલી નાગરિકો માર્યા ગયા હતા જ્યારે હમાસના લડવૈયાઓએ 200થી વધુ લોકોને બંધક બનાવ્યા હતા. ત્યારથી ગાઝા પટ્ટી પર ઈઝરાયલ દ્વારા સતત બોમ્બમારો કરવામાં આવી રહ્યો છે. પેલેસ્ટાઇનમાં હમાસના લડવૈયાઓ પણ ચૂપ રહ્યા નથી. તેઓ હજુ પણ ત્રણ મોરચે ઈઝરાયલ પર હુમલો કરી રહ્યા છે. લેબનોન, સમુદ્રને અડીને આવેલા વિસ્તારો અને ઇજિપ્તને અડીને આવેલા દક્ષિણ ગાઝામાંથી રોકેટ અને મિસાઇલો છોડવામાં આવી રહી છે. આ હુમલા બાદ ઈઝરાયલે હમાસને ખતમ કરવાની પ્રતિજ્ઞા લીધી છે. ઇઝરાયલ ગાઝા પટ્ટીમાં હમાસના સ્થાનો પર સતત બોમ્બમારો કરી રહ્યું છે. આ હુમલાઓમાં અત્યાર સુધીમાં 7000 થી વધુ પેલેસ્ટાઈનના મોત થયા છે. ગાઝાના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, આમાંથી 3000 બાળકો છે. યુદ્ધના કારણે લાખો લોકોએ ગાઝા છોડી દીધું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir