બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
VTV / The government gave medical insurance worth 10 lakhs to the poor: Know how to take advantage of this assistance of Ayushman India?
Vishal Khamar
Last Updated: 09:46 PM, 11 July 2023
દેશના જરૂરિયાતમંદ છેવાડાના વ્યક્તિ સુધી સારી આરોગ્ય સુવિધા પહોંચે તે હેતુથી 2018માં કેન્દ્ર સરકારે આયુષ્માન યોજના શરૂ કરી હતી જે હવે લાભાર્થીઓના વટવૃક્ષ સમાન બનતી જાય છે. આ યશકલગીમાં વધુ એક છોગુ ગુજરાત સરકારે ઉમેર્યુ છે. હવે ગુજરાતમાં આયુષ્માન યોજનાની સહાય મર્યાદા 5 લાખથી વધીને 10 લાખ કરવામાં આવી છે. રાજ્ય સરકારે વિધાનસભા ચૂંટણી પહેલા પોતાના ચૂંટણી વાયદા તરીકે પણ આ યોજનાની સહાય મર્યાદા વધારવાની વાત કરી હતી જેની હવે અમલવારી થઈ ચુકી છે.
ટેકનોલોજીના જમાનામાં આજના વ્યક્તિ માહિતીની દ્રષ્ટિએ થોડો મજબૂત થયો છે એટલે આયુષ્માન યોજના અંગે સરેરાશ લાભાર્થી સામાન્ય માહિતી તો ધરાવતો હોય, પરંતુ જયારે સરકારી યોજનાનો લાભ મેળવવો હોય તો તેના માટે લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. આયુષ્માન યોજના અંતર્ગત રાજ્યમાં કેટલી હોસ્પિટલ સામેલ થયેલી છે.. જેટલી હોસ્પિટલ સામેલ છે તેની માહિતી લાભાર્થી પાસે છે કે નહીં.. દર્દી જે બીમારીથી પીડાય છે તે બીમારીનો સમાવેશ આયુષ્માન યોજના અંતર્ગત છે કે કેમ.. ઘણી વાર એવા કિસ્સા સામે આવ્યા કે જેમાં હોસ્પિટલના ડેસ્ક તરફથી પણ દર્દીઓને જરૂરી માહિતી પહોંચાડવામાં ન આવી હોય અને સરવાળે દર્દી પરેશાન થયો હોય. આવા ઘણા પ્રશ્નો મારા તમારા કે જનસામાન્યના હોવાના જ છે ત્યારે યોજનાની વધેલી સહાય મર્યાદાનો લાભ કઈ રીતે મેળવવો અને સર્વમાન્ય પ્રશ્નોના જવાબ શું હોય શકે?
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની સહાય વધારવામાં આવી છે. ગુજરાત સરકાર PMJAY અંતર્ગત 10 લાખની સહાય આપશે. સરકારે વિધાનસભા ચૂંટણી પહેલા જાહેરાત કરી હતી. સૈદ્ધાંતિક જાહેરાતની અમલવારીની શરૂઆત પણ થઈ ગઈ છે. ત્યારે સરકારનાં સંકલ્પ પત્રમાં PMJAY ની સહાય વધારવાનો મુદ્દો હતો. આયુષ્યમાન ભારત યોજનાંમાં 5 લાખ કેન્દ્ર સરકાર તરફથી મળશે. જ્યારે અન્ય 5 લાખ રાજ્ય સરકાર ઉમેરશે.
ગુજરાતના કેટલા લોકોને મળશે લાભ? |
1 કરોડ 79 લાખ |
PMJAYમાં રાજ્યની કેટલી સરકારી હોસ્પિટલ? |
2 હજાર |
PMJAYમાં રાજ્યની કેટલી ખાનગી હોસ્પિટલ? |
795 |
PMJAY અંતર્ગત સ્વીકૃત દાવાની સંખ્યા |
ગુજરાતનું કેટલામું સ્થાન? |
2 |
કેટલી રકમના દાવાનું સમાધાન? |
10 હજાર 221 કરોડના 53.99 લાખ દાવાનું સમાધાન |
હોસ્પિટલનું લીસ્ટ કેવી રીતે ચેક કરશો?
આયુષમાન યોજના માટે હેલ્પલાઈન નંબર
18002331022
આયુષ્માન યોજનામાં કેટલી બીમારીનો સમાવેશ?
કઈ શસ્ત્રક્રિયા આયુષ્માન યોજનામાં સામેલ?
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir