બ્રેકિંગ ન્યુઝ

logo
logo

બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ

logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

VTV / મનોરંજન / Extra / the-event-of-triple-talaq-has-also-happened-with-this-heroine-who-is-she

NULL / ત્રિપલ તલાકનો ભોગ ભારતની ખ્યાતનામ હિરોઇન પણ બની છે કોણ છે અભિનેત્રી

vtvAdmin

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

છેલ્લા કેટલાક દિવસથી સમગ્ર દેશમાં ત્રિપલ તલાક મુદ્દે વિવિધ પ્રકારના મત મતાંતરો સેવાઈ રહ્યા હતા ત્યારે સુપ્રીમ કોર્ટે અંગે ચુકાદો સંભળાવતા કહ્યું હતું કે ત્રિપલ તલાકનો મુદ્દો ગેર બિનબઁધારણીય બાબત છે. આ ચુકાદાને ભારતભરની મહિલાઓએ હરેખભેર સ્વીકારી લીધો છે. લાંબી સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે આજે ટ્રીપલ તલાક પર મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. પાંચ જજની બેંચમાંથી 3 જજે ત્રિપલ તલાકને ગેરબંધારણીય ઠેરવ્યો હતો એટલે કે આ નિર્ણયની સાથે જ દેશમાં ત્રિપલ તલાક સમાપ્ત થયો હતો.

ત્રિપલ તલાક અને હલાલાનો ભોગ ભારતની એક ખ્યાતનામ અભિનેત્રી પણ બની હતી. 1 ઓગષ્ટ 1933ના રોજ મુંબઇ ખાતે જન્મેલી મહજબી બાનો આગળ જતા મીના કુમારીના નામે જાણીતી બની હતી. મીનાકુમારી નાઝના ઉપનામથી ખુબ જાણીતી હતી. તે ઉત્તમ કવિયત્રી અને ગાયક પણ હતી.

સમય જતા મીના કુમારીની ઓળખાણ પાકીઝા ફિલ્મના દિગ્દર્શક કમાલ અમરોહી સાથે એક દવાખાનામા થઈ અને 14 ફેબ્રુઆરી1952ના રોજ તે લગ્નમા પરીણમી. 19 વર્ષીય મીનાએ 34 વર્ષના ફિલ્મ દિગ્દર્શક કમાલ અમરોહી સાથે લગ્ન થયા. ગણ્યા ગાઠ્યા લગ્નજીવ બાદ એકવાર મીના કુમારીને તેમના પતિએ ગુસ્સામાં આવીને ત્રિપલ તલાક આપ્યા આ ઘટનાથી તે ખુબ વ્યથીત થઈ કારણકે ધર્મના નામ પર સ્ત્રીઓ સાથે આવો વ્યવહાર તે સહી ના શકી. 1964મા બંનેના છુટાછેડા થયા. આ સમગ્ર ઘટના બાદ મીનાકુમારી ખુબ પડી ભાંગી હતી. અંતે મીના સીગારેટ અને દારુના રવાડે ચડી ગઇ. એકલવાયુ જીવન જીવતી મીના કુમારી ફક્ત 39 વર્ષની નાની ઉંમરે 31 માર્ચ 1972માં ફાની દુનિયા છોડીને જતી રહી હતી. મીનાને તેની કારકિર્દી દરમિયાન એક ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો છે.

આજે ત્રિપલ તલાકના સુપ્રિમે આપેલ ચુકાદા દ્વારા મીનાકુમારી જેવી કેટલીય મહિલાઓને ન્યાય મળ્યો છે. આ નિર્ણયને ભારત સહિત વિશ્વના કેટલાક રાષ્ટ્રોએ પણ વખાણ્યો છે. સુપ્રિમ કોર્ટે આ સાથે સરકારને હુકમ પણ કર્યો છે કે આ અંગે 6 માસની અવધીમાં એક ખાસ કાયદો બનાવે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ