બ્રેકિંગ ન્યુઝ
બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ
ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ
પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ
અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ
અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા
હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ
જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા
ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર
દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી
આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ
vtvAdmin
Last Updated: 04:43 PM, 30 March 2019
છેલ્લા કેટલાક દિવસથી સમગ્ર દેશમાં ત્રિપલ તલાક મુદ્દે વિવિધ પ્રકારના મત મતાંતરો સેવાઈ રહ્યા હતા ત્યારે સુપ્રીમ કોર્ટે અંગે ચુકાદો સંભળાવતા કહ્યું હતું કે ત્રિપલ તલાકનો મુદ્દો ગેર બિનબઁધારણીય બાબત છે. આ ચુકાદાને ભારતભરની મહિલાઓએ હરેખભેર સ્વીકારી લીધો છે. લાંબી સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે આજે ટ્રીપલ તલાક પર મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. પાંચ જજની બેંચમાંથી 3 જજે ત્રિપલ તલાકને ગેરબંધારણીય ઠેરવ્યો હતો એટલે કે આ નિર્ણયની સાથે જ દેશમાં ત્રિપલ તલાક સમાપ્ત થયો હતો.
ADVERTISEMENT
ત્રિપલ તલાક અને હલાલાનો ભોગ ભારતની એક ખ્યાતનામ અભિનેત્રી પણ બની હતી. 1 ઓગષ્ટ 1933ના રોજ મુંબઇ ખાતે જન્મેલી મહજબી બાનો આગળ જતા મીના કુમારીના નામે જાણીતી બની હતી. મીનાકુમારી નાઝના ઉપનામથી ખુબ જાણીતી હતી. તે ઉત્તમ કવિયત્રી અને ગાયક પણ હતી.
સમય જતા મીના કુમારીની ઓળખાણ પાકીઝા ફિલ્મના દિગ્દર્શક કમાલ અમરોહી સાથે એક દવાખાનામા થઈ અને 14 ફેબ્રુઆરી1952ના રોજ તે લગ્નમા પરીણમી. 19 વર્ષીય મીનાએ 34 વર્ષના ફિલ્મ દિગ્દર્શક કમાલ અમરોહી સાથે લગ્ન થયા. ગણ્યા ગાઠ્યા લગ્નજીવ બાદ એકવાર મીના કુમારીને તેમના પતિએ ગુસ્સામાં આવીને ત્રિપલ તલાક આપ્યા આ ઘટનાથી તે ખુબ વ્યથીત થઈ કારણકે ધર્મના નામ પર સ્ત્રીઓ સાથે આવો વ્યવહાર તે સહી ના શકી. 1964મા બંનેના છુટાછેડા થયા. આ સમગ્ર ઘટના બાદ મીનાકુમારી ખુબ પડી ભાંગી હતી. અંતે મીના સીગારેટ અને દારુના રવાડે ચડી ગઇ. એકલવાયુ જીવન જીવતી મીના કુમારી ફક્ત 39 વર્ષની નાની ઉંમરે 31 માર્ચ 1972માં ફાની દુનિયા છોડીને જતી રહી હતી. મીનાને તેની કારકિર્દી દરમિયાન એક ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો છે.
ADVERTISEMENT
આજે ત્રિપલ તલાકના સુપ્રિમે આપેલ ચુકાદા દ્વારા મીનાકુમારી જેવી કેટલીય મહિલાઓને ન્યાય મળ્યો છે. આ નિર્ણયને ભારત સહિત વિશ્વના કેટલાક રાષ્ટ્રોએ પણ વખાણ્યો છે. સુપ્રિમ કોર્ટે આ સાથે સરકારને હુકમ પણ કર્યો છે કે આ અંગે 6 માસની અવધીમાં એક ખાસ કાયદો બનાવે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT