બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / ગુજરાત / સુરત / The court may give a verdict in Rahul Gandhi's defamation case by today afternoon
Priyakant
Last Updated: 11:09 AM, 20 April 2023
રાહુલ ગાંધીને માનહાની કેસ મામલે આજે સુરત કોર્ટ ચુકાદો આપી શકે છે. સુરતની સેશન્સ કોર્ટ આજે કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીની 'મોદી સરનેમ' ટિપ્પણી બદલ તેમની વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં દોષિત ઠેરવવા પર સ્ટે મૂકવાની અરજી પર પોતાનો ચુકાદો સંભળાવે તેવી શક્યતા છે. આ કેસમાં સુરતની કોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે.
સુરત સેશન્સ કોર્ટ બપોરે 12.30 વાગ્યા સુધીમાં ચુકાદો સંભળાવી શકે છે. આ કેસમાં કોર્ટે કોંગ્રેસના પૂર્વ સાંસદ રાહુલ ગાંધીને બે વર્ષની જેલની સજા સંભળાવી છે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના ધારાસભ્ય અને ફરિયાદી પૂર્ણેશ મોદીએ આ જ કોર્ટમાં અગાઉ દાખલ કરેલા તેમના જવાબમાં રાહુલ ગાંધીની અરજીનો વિરોધ કરતા કહ્યું હતું કે કોંગ્રેસ નેતા "પુનરાવર્તિત અપરાધી" છે અને તેના પર અપમાનજનક નિવેદનો કરવાનો આરોપ છે.
Modi surname remark: Surat Court to pronounce verdict today on Rahul Gandhi's plea against conviction
— ANI Digital (@ani_digital) April 20, 2023
Read @ANI Story | https://t.co/uH5vzOA2Qo#PMModi #Surat #SuratCourt #RahulGandhi pic.twitter.com/a83Emk7T9Q
રાહુલની લોકસભાની સદસ્યતા પુનઃસ્થાપિત થઈ શકે
કાયદાકીય નિષ્ણાતોના મતે જો કોર્ટ રાહુલ ગાંધીની તરફેણમાં ચુકાદો આપે છે તો તેમની લોકસભાની સદસ્યતા પુનઃસ્થાપિત થઈ શકે છે. દોષિત ઠરાવ રદ કરવા માટે રાહુલ ગાંધી વતી અપીલ કરવામાં આવી છે. જો કોર્ટ અપીલને મંજૂર કરે છે તો રાહુલ ગાંધીને આમાંથી રાહત મળી શકે છે.
શું કહ્યું હતું પૂર્ણેશ મોદીએ ?
આ મામલામાં સુનાવણી દરમિયાન પૂર્ણેશ મોદી તરફથી કહેવામાં આવ્યું હતું કે, રાહુલ ગાંધી વિરુદ્ધ 10થી વધુ અપરાધિક માનહાનિના કેસ ચાલી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે પણ તેમને ફટકાર લગાવી છે. મોદીના વકીલ હર્ષ ટોલિયાએ કહ્યું કે, કોર્ટ દ્વારા દોષિત જાહેર થયા બાદ પણ રાહુલ ગાંધી કહી રહ્યા છે કે તેમણે કોઈ ભૂલ કરી નથી.
2 વર્ષની થઈ છે સજા
સુરતમાં મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની અદાલતે આ વર્ષે 23 માર્ચે રાહુલ ગાંધીને દોષિત ઠેરવ્યા હતા અને 13 એપ્રિલ, 2019 ના રોજ ચૂંટણી રેલીમાં તેમની "મોદી અટક" ટિપ્પણી બદલ તેમની સામે નોંધાયેલા ફોજદારી માનહાનિના કેસમાં તેમને 2 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. આ પછી રાહુલ ગાંધીની સંસદની સદસ્યતા પણ જતી રહી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir