બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / ગુજરાત / 'The Chief Minister's attention has been drawn, hence after an extensive discussion...', what did the Agriculture Minister say about the onion export ban in the state?
Vishal Khamar
Last Updated: 11:29 PM, 15 December 2023
ડુંગળીની નિકાસ બંધી અને ઓછા ભાવને લઈ ગાંધીનગરમાં સૌરાષ્ટ્રના APMCના હોદ્દેદારો અને કૃષિ મંત્રીની બેઠક પૂર્ણ થઈ છે. APMCના હોદ્દેદારા ડુંગળીના ભાવ અને નિકાસબંધીને લઈ કૃષિ મંત્રી રાઘવજી પટેલ સાથે બેઠક યોજાઈ હતી. બેઠક પૂર્ણ થયા બાદ કૃષિ મંત્રી રાઘવજી પટેલે નિવેદન આપ્યુ હતુ કે, કેન્દ્ર સરકારના કૃષિ મંત્રી અને ખાતર મંત્રી સહિત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ધ્યાન દોર્યુ છે. ડુંગળીના ભાવો અંગે કેન્દ્ર સરકારને અમે ધ્યાન દોરીશું. આ સાથે તેમણે ઉમેર્યુ હતુ કે, ખેડૂતોને મળતા ભાવો ઓછા થયા છે.અમે વિસ્તૃત ચર્ચા કર્યા બાદ કેન્દ્ર સરકારને રજૂઆત કરીશું.
આ બાબતે મુખ્યમંત્રીનું ધ્યાન દોર્યું છેઃ રાઘવજી પટેલ (કૃષિ મંત્રી)
ડુંગળીની નિકાસબંધીના કારણે ઉદ્ભવેલી પરિસ્થિતિ અંગે રાજકોટ માર્કેટિંગ યાર્ડ, ગોંડલ માર્કેટિંગ યાર્ડ, મહુવા માર્કેટિંગ યાર્ડના ચેરમેનો સહિતના સૌરાષ્ટ્રના જુદા-જુદા માર્કેટિંગ યાર્ડના ચેરમેનોનું પ્રતિનિધિ મંડળ આજે મને આ પ્રશ્ને મળેલ. પ્રતિનિધિ મંડળ સાથે ખુબ લાંબી વિશેષ છણાવટ થઈ. પ્રતિનિધિ મંડળના પ્રશ્ને અમે ખુબ ચર્ચા વિચારણા પણ કરી અને જે પરિસ્થિતિ ઉદભવી છે. ડુંગળીની નિકાસબંધીના કારણે અને ખેડૂતોને ભાવના પ્રશ્ને જે પરિસ્થિતિ ઉભી થઈ છે. એ અંગે મે ભારત સરકારના કૃષિ મંત્રી, ભારત સરકારના મંત્રી મનસુખભાઈ માંડવીયા સહિતના અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ધ્યાન દોર્યુ છે. અમારા મુખ્યમંત્રી પણ આ પ્રશ્ને કેન્દ્ર સરકારનું ધ્યાન દોરવાના છે. આજે આ પ્રતિનિધિ મંડળ સાથે આ પ્રશ્ને ઉભી થયેલી પરિસ્થિતિ અંગે ખેડૂતોમાં જે અસંતોષ ઉભો થયો છે. અને ખેડૂતોને મળતા ભાવ ઉપર જે તરાપ પડી છે. તે પ્રશ્ને અમારે વિગતવાર ચર્ચા-વિચારણા થઈ છે.
કૃષિ મંત્રી દ્વારા ઉપર રજૂઆત કરીને આ નિકાસબંધી દૂર કરવા માટે રજૂઆત કરશેઃ ઘનશ્યામ પટેલ
આ બાબતે મહુવા એપીએમસી ચેરમેન ઘનશ્યામભાઈ પટેલે જણાવ્યું હતું કે, આજે અમે ઘણા બધા યાર્ડનાં ચેરમેનો કૃષિ મંત્રીને મળવા માટે આવ્યા હતા. ડુંગળીની જે નિકાસ બંધી થઈ તે અંગે અમે રજૂઆત કરી હતી. ખેડૂતોને જે અન્યાય થઈ રહ્યો છે તે મંત્રી તેમજ રાકેશભાઈને આ બાબતે રજૂઆત કરી હતી. આ બાબતે કૃષિ મંત્રી દ્વારા ઉપર રજૂઆત કરીને આ નિકાસબંધી દૂર કરવા માટે રજૂઆત કરશે. એવું અમને આશ્વાસન આપ્યું છે. અને અમે આશા રાખીએ છીએ કે ખેડૂતોનાં હિતમાં આ નિર્ણયમાં ફેરફાર થશે. ડુંગળી જે છે તે ખેતરમાંથી સીધી આવે છે. ભાવ જે મળે છે તે ખેડૂતોને સીધા મળે છે. પણ ખેડૂતોને ઉતારો ઓછો છે. 300 વીઘી દીઠ ઉત્પાદન ઉતરવું જોઈએ. તેની 150 થી 200 મણ માત્રા છે. પુરવઠો ઓછો છે એટલે ભાવ વધ્યા છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir