બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / The British filled this 800-year-old temple with sand
Priyakant
Last Updated: 11:02 AM, 9 September 2022
કોણાર્કના સૂર્ય મંદિર પાસેથી એક સદી બાદ હવે રેતી કાઢવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે મંગળવારે જગમોહન (ઓડિટોરિયમ)માંથી રેતી કાઢવાની કામગીરી શરૂ કરી હતી. એએસઆઈના જણાવ્યા અનુસાર, બિલ્ડિંગની દિવાલો પર રેતી દબાણ કરી રહી હતી, જેના કારણે તિરાડ આવી રહી હતી.
ASIના ભુવનેશ્વર સર્કલના સુપરિન્ટેન્ડેન્ટ અરુણ મલિકે જણાવ્યું હતું કે, અમે રેતી કાઢવાનું કામ શરૂ કરતા પહેલા ભૂમિપૂજન કર્યું હતું. આ કામમાં ત્રણ વર્ષનો સમય લાગી શકે છે. છેલ્લા બે વર્ષથી તેના વિશે નિષ્ણાતોની સલાહ લેવામાં આવી રહી છે અને હવે એક સુરક્ષિત સિસ્ટમ બનાવવામાં આવી છે. અમે ચાર દરવાજાઓમાંથી રેતી દૂર કરીશું અને પછી ગર્ભગૃહને ખાલી કરીશું જેથી લોકો અંદર જઈ શકે, મલિકે કહ્યું. આપણે કેટલાક પથ્થરો તોડવા પડશે અને પછી રેતી કાઢવામાં આવશે. ટેક્નિકલ સહાય માટે BDR નિર્માણ પ્રાઈવેટ લિમિટેડને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, પરંતુ રેતી કાઢવાનું કામ ASIના કર્મચારીઓ કરશે. પહેલા પશ્ચિમના દરવાજામાંથી રેતી હટાવીને આ દરવાજા પર છિદ્રો બનાવવામાં આવશે જેથી આગળની સ્થિતિનો અંદાજ લગાવી શકાય.
800 વર્ષ જૂનું છે આ મંદિર
800 વર્ષ પહેલા 13મી સદીમાં આ મંદિર ગંગા વંશના નરસિંહદેવે ભગવાન સૂર્યની પૂજા માટે બંધાવ્યું હતું. મુખ્ય પ્રધાન નાટ્ય મંડપ પહેલેથી જ નાશ પામ્યો છે અને હવે માત્ર જગમોહન(ઓડિટોરિયમ) બાકી છે. આ મંદિર બનાવવા માટે લગભગ 1200 કારીગરોએ 16 વર્ષ સુધી કામ કર્યું હતું.
@ASIGoI's, Bhubaneswar Circle, @MinOfCultureGoI has taken up the challenging task of removing the sand filled in the Jagamohana of the Sun Temple, Konark by the British in 1903 for its immediate conservation. pic.twitter.com/2gIeLYEny3
— Archaeological Survey of India (@ASIGoI) September 8, 2022
અંગ્રેજોએ રેતી કેમ ભરી હતી ?
1900 અને 1903ની વચ્ચે બ્રિટિશ સરકારે આ ઇમારતને બચાવવાની જવાબદારી લીધી અને જગમોહન(ઓડિટોરિયમ)ને રેતીથી બંધ કરી દીધું. રેતી તેની અંદર પણ ભરાયેલી હતી જેથી તે પડી ન જાય. જોકે, હવે આ રેતીના કારણે દિવાલ પર ભાર આવી ગયો છે અને તિરાડો પડવા લાગી છે. 2020માં સરકારે તેમાંથી રેતી કાઢવાનો નિર્ણય લીધો હતો.
આ તરફ ASI અધિકારીઓએ જણાવ્યું કે, તે છતના વજનને સંભાળી લેશે તેવું વિચારીને તેમાં રેતી ભરવામાં આવી હતી, જોકે થયું તેનાથી વિપરીત. રેતી નીચે બેસી ગઈ અને દિવાલોમાં તિરાડ પડવા લાગી. હવે પડકાર એ છે કે, બિલ્ડિંગને સુરક્ષિત રીતે બચાવીને રેતી કેવી રીતે બહાર કાઢવી. એક અધિકારીએ જણાવ્યું કે, જગમોહન(ઓડિટોરિયમ)ની અંદર 14 ફૂટની ઊંચાઈએ રેતી છે. અમારે છતને કામચલાઉ આધાર પણ આપવો પડશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir