બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ
દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
VTV / ગુજરાત / અમદાવાદ / વડોદરા / The big organizers of Garba are saying, Gujarat's biggest Garba will not be held this year
Kiran
Last Updated: 02:06 PM, 13 August 2021
ગુજરાતમાં ગરબા ખૈલયાઓ માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે. આ વખતે પણ કોરોનાની દહેશતને પગલે ગરબા ન યોજવાન માટે આયોજકોએ નિર્ણય લીધો છે.
આ વખતે નવરાત્રિ યોજાશે કે નહીં ?
રાજ્યમાં મોટા શહેરોમાં દર વર્ષ મોટા આયોજનકો દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવતું હોય છે પરતું બે વર્ષથી કોરોના કહેરને પગલે ગરબા યોજી શકાતા નથી ત્યારે આ વર્ષે પણ ગરબા નહીં યોજાય તેવું લાગી રહ્યું છે કેમ કે ગરબા આયોજકોએ કોરોનાની સંભવિત ત્રીજી લહેરની આશંકાએ આ વખતે ગરબા નહીં યોજવા તેવો નિર્ણય લીધો છે.મહત્વનું છે કે અમદાવાદ, સુરત,રાજકોટ, વડોદરા, ગાંધીનગર જેવા શહેરોમાં મોટા ગરબાના મોટા આયોજનકો થતા હોય છે તેમજ પાર્ટી પ્લોટમાં પણ ખૈલયાઓ દ્વારા ગરબાની રમઝટ બોલાવાતી હોય છે ત્યારે વડોદરા અને અમદાવાદના આયોજકો આ વખતે ગરબા નહી યોજે તેવું જણાવી રહ્યા છે.
અમદાવાદમાં આયોજકો ગરબા યોજવા તૈયાર નથી
શહેરમાં મણિનગરનો મણિયારો, એમઝોન ઈવેન્ટ, બોલિવૂડ હબ, ગોકુળ રાસગરબા, શ્રી ઈવેન્ટના આયોજકો ગરબાનું આયોજન નહી કરે ત્યારે આ વખતે ગરબા નહી યોજે તેવું જણાવતા આયોજકો કહી રહ્યા છે કે ગરબામાં સામાજિક અંતર જળવાય તે શક્ય નથી તેમજ માસ્ક સાથે પણ ખેલૈયાઓ ગરબા રમી શકતા નથી સાથે મોટા ગરબા રમવાના મેદાનમાં ઓછા લોકો સાથે આયોજન કરવુ તે પોસાય તેમ ન હોવાથી આયોજકોએ નિર્ણય લીધો છે.
વડોદરા શહેરમાં મોટા ગરબાનું આયોજન નહી થાય
આ વખતે કોરોનાની સંભવિત ત્રીજી લહેરની કારણે વડોદરા શહેરમાં પણ ગરબા યોજાશે કે નહીં તેને લઈને આશંકા જોવા મળી રહી છે. ત્યારે આયોજકો દ્વારા સ્પષ્ટ સંકેત આપવામાં આવ્યા છે કે આ વખતે ગરબા નહીં યોજાય કોરોનાની ત્રીજી લહેરની આશંકાને લઈ યુનાઈટેડ વે અને માં શક્તિના આયોજકો ગરબાના આયોજન માટે તૈયાર નથી. યુનાઈટેડ વે ગરબાના આયોજક હેમંત શાહે કહ્યું કે, લોકોના સ્વાસ્થ્યને ધ્યાને રાખીને આ વખતે ગરબા નહીં કરવાનો નિર્ણય કર્યો છે ગયા બર્ષની જેમ અમે આ વર્ષે પણ ગરબાનું આયોજન નહી કરીએ તેવું જણાવતા કહ્યું કે ગરબામાં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન થઈ શકતું નથી એટલું આ વખતે ગરબા યોજવા સંભવ નથી.
શું કહી રહ્યા છે ગરબાના આયોજકો
ત્રીજી લહેરની આશંકાને પગલે આ વર્ષે પણ નવરાત્રિનું આયોજન થાય તેમ લાગી રહ્યું નથી મોટા ભાગના આયોજકો એક જ સૂર કહી રહ્યા છે ત્યારે આ વખતે ગરબાનું આયોજન ટાળવું પડશે તેવું આયોજકો જણાવી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ