બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
VTV / ગુજરાત / સુરત / The arrest of the deceased's wife and son-in-law in connection with the discovery of the dead body of an unknown person in Pandesara in Surat city
Dinesh
Last Updated: 10:28 PM, 10 December 2023
સુરત શહેરમાં પાંડેસરામાં અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળવા મામલે મૃતકની પત્ની અને જમાઈની ધરપકડ કરવામાં આવી છે. પત્નીએ જમીન વેચવાને લઈને પોતાના પુત્ર અને જમાઈ સાથે મળી પોતાના પતિની હત્યા કરી હતી. પાંડેસરામાં કૈલાશ નગર ખાડી પુલ પાસે એક અજાણીયા વ્યક્તિની મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતા પાંડેસરા પોલીસ સ્થળે આવી પહોંચી હતી. તપાસ કરતાં મરણજાનાર વ્યક્તિના ગળાના ભાગે નિશાન મળી આવ્યા હતા. જે જોઈને વ્યક્તિની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું.
પોલીસ આરોપીઓને દબોચ્યા
પોલીસે ગુનાની ગંભીરતા લઈ હત્યારાને પકડી પાડવા તપાસ હાથ ધરી હતી. દરમિયાન જાણવા મળ્યું હતું કે મળી આવેલો મૃતદેહ રાજારામ ધોલાઈ યાદવનો છે. મૃતદેહની ઓળખ થયા બાદ પાંડેસરા પોલીસ કરાજારામના પરિવાર સુધી પહોંચી હતી. પાંડેસરા પોલીસે પરિવારને પૂછપરછ કરતા મરણજનાર રાજારામની પત્ની, પુત્ર અને જમાઈએ જ હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. જે બાદ પોલીસે મૃતકની ઉર્મીલા યાદવ અને જમાઈ રાજુ રામધારી યાદવની ધરપકડ કરી છે. પોતાના વતન બિહારમાં રહેલ જમીન વેચી નશામાં પૈસા બરબાદ કરતો હતો. નશાની હાલતમાં અવાર નવાર પરિવારને માર મારતો હતો. રાજારામ વતનમાં રહેલ અન્ય જમીન પણ વેચવાની ફિરાકમાં હતો. એક સાંજે રાજારામ પોતાના ઘરે પત્ની અને પુત્ર સાથે ઝઘડતો હતો. તે દરમિયાન તેમનો જમાઈ ત્યાં આવી પહોંચ્યો હતો જમાઈએ રાજારામને સમજવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ રાજારામએ હાથમાં ચપ્પુ લઈ જમાઈને મારવાનો પ્રયાસ કર્યો હતો. આખરે પરિવારે આવેશમાં આવી રાજારામને નીચે પાડી દીધો હતો.
હત્યાને કેવી રીતે અંજામ આપ્યો
સગીર વયના પુત્રએ રજારામના પગ પકડી રાખ્યા હતા. પત્નીએ હાથ પકડ્યો હતો. જમાઈએ મોબાઈલ ચાર્જિંગ કેબલથી રાજારામને ગળે ટુંપો આપી મોતને ઘાટ ઉતારી દીધો હતો. ઘટનાની કોઈને જાણ ના થાય તે માટે લાશનો નિકાલ કરવા મૃતકની લાશને પુત્ર અને જમાઈ રાત્રી દરમિયાન મોટરસાયકલ પર લઈને કૈલાશ નગર ત્રણ રસ્તાથી ગાંધીકુટીર તરફ જતા રોડ પર ખાડી પુલ પાસે ફેંકી ફરાર થઈ ગયા હતા. મરણજનાર રાજારામ ઉત્તર પ્રદેશના ગોરખપુરનો વતની છે. પાંડેસરા વિનાયક નગર સોસાયટીમાં પત્ની,પુત્ર સાથે રહેતો હતો. જ્યારે ગામની જમીન વેચી નશો કરી પરિવારને માર મારતો હતો. આખરે પરિવાર રાજા રામથી તંગ આવી પત્ની પુત્ર અને જમાઈએ તેની હત્યા કરી નાખી હતી. હાલ સમગ્ર મામલે પાંડેસરા પોલીસે પત્ની ઉર્મિલા રાજારામ યાદવ, જમાઈ રાજુ રામધારી યાદવ, સહિત કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર પુત્ર પર હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir