બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / સ્પોર્ટસ / team india who will be the next captain kl rahul rishabh pant shubman gill rohit sharma
Manisha Jogi
Last Updated: 08:48 AM, 21 June 2023
ભારતીય ક્રિકેટ ટીમ એક મહિના માટે આરામ કરી રહી છે. એપ્રિલ-મે દરમિયાન IPLમાં સતત ક્રિકેટ રમ્યા છે અને એક સપ્તાહ પછી ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ટેસ્ટ મેચ રમી હતી, જેમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
ભારતીય ક્રિકેટ ટીમે સપ્ટેમ્બરમાં એશિયા કપ માટે રમવાનું છે, ત્યાર પછી વન ડે વર્લ્ડ કપ રમવાનો છે. ભારતીય ટીમ રોહિત શર્માની કેપ્ટનશીપમાં આ તમામ મેચ રમશે અનો કોચિંગ રાહુલ દ્રવિડ કરશે.
દિગ્ગજ ખેલાડી નિવૃત્તિ તરફ
વર્લ્ડ કપ પછી BCCIએ ભારતીય ટીમ માટે એક નવો એક કેપ્ટન શોધવો પડશે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, ચેતેશ્વર પૂજારા અને આજિંક્યા રહાણે જેવા સ્ટાર ખેલાડીઓની વધતી ઉંમરને કારણે નવા કેપ્ટનની પસંદગી કરવી જરૂરી છે.
ટેસ્ટ ટીમમાં સ્ટાર ખેલાડીઓની ઉંમર
આ 4 દાવેદારો સાથે એક જેવી સમસ્યા
રોહિત શર્મા પછી ટેસ્ટ ટીમમી કેપ્ટનશીપના દાવેદારમાં કે.એલ. રાહુલ અને વિકેટકીપર ઋષભ પંત સૌથી આગળ છે. રાહુલને સતત ઈજા થવાને કારણે મેનેજમેન્ટ ચિંતિત છે, તેમની હાલમાં જ સર્જરી થઈ છે. ઋષભ પંત અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયા હતા અને હાલમાં રિકવર થઈ રહ્યા છે, ત્યાર પછી જાણી શકાશે કે, તેમીની દાવેદારીનું શું થશે.
રાહુલ અને પંત પછી શ્રૈય્યસ ઐય્યર, શુભમન ગિલ અને ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ટેસ્ટ માટે કેપ્ટનશીપના દાવેદાર છે. ઐય્યર અને બુમરાહ પણ ઈજાગ્રસ્ત થવાને કારણે ટીમમાંથી બહાર છે. આ બંને ખેલાડીઓની સર્જરી થઈ છે, ત્યારપછી તેઓ વાપસી કરી શક્યા નથી.
શુભમન ગિલ કેપ્ટનશીપ માટે મજબૂત દાવેદાર
શુભમન ગિલે તેમની બેટીંગથી અનેક વાર ટીમને જીત અપાવી છે. વન ડે મેટમાં બેવડી સદી ફટકારી છે અને IPL મેચમાં પણ ધમાકેદાર બેટીંગ કરી હતી. જેથી શુભમન ગિલ કેપ્ટનશીપ માટે મજબૂત દાવેદારી રજૂ કરી શકે છે.
શુભમન ગિલને કેપ્ટન બનાવવામાં આવે તો BCCIને ફાયદો થઈ શકે છે. ગિલ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં રમવા માટે સક્ષમ છે. જે પ્રકારે ટેસ્ટ મેચમાં રન કરે છે, તે પ્રકારે વનડે અને ટી20 મેચમાં ધમાકેદાર બેટીંગ કરે છે. વન ડે અને ટી20 માટે BCCIની પહેલી પસંદ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા છે.
ટેસ્ટ ટીમની કેપ્ટનશીપના દાવેદાર અને તેમની ઉંમર
કે.એલ. રાહુલ
કે.એલ. રાહુલને ભારતીય ટીમની કેપ્ટનશીપ માટે સૌથી વધુ તક મળી છે. કે.એલ. રાહુલે ત્રણેય ફોર્મટમાં કુલ 11 મેચની કેપ્ટનશીપ સંભાળી છે અને 7 મેચમાં જીત મેળવી છે. ઝિમ્બાબ્વે, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન સામે જીત મેળવી છે પરંતુ સાઉથ આફ્રિકા સામેની તમામ 5 મેચમાં હાર મેળવી છે.
શુભમન ગિલ અને શ્રેયસ ઐય્યર
ઋષભ પંચે સાઉથ આફ્રિકા સામે T20 મેચમાં કેપ્ટનશીપ સંભાળી હતી. જૂન 2022માં રમવામાં આવેલ આ સીરિઝ 2-2ની બરાબરી પર પૂર્ણ રહી હતી. જસપ્રીત બુમરાહે જુલાઈ 2022માં ઈંગ્લેન્ડ સામે બર્મિંઘમ ટેસ્ટમાં કેપ્ટનશીપ સંભાળી હતી અને ટીમને હાર મળી હતી.
શુભમન ગિલ અને શ્રૈયસ ઐય્યર અત્યાર સુધી કોઈપણ ફોર્મેટમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ કરી શક્યા નથી. શ્રૈયસ ઐય્યરે IPLમાં દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશીપ સંભાળી હતી. હાલમાં કોલકત્તા નાઈટ રાઈડર્સના કેપ્ટન છે, પરંતુ ઈજાને કારણે 2023ની સીઝન રમી શક્યા નહોતા.
કેપ્ટનશીપની તક
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir