બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Arohi
Last Updated: 05:44 PM, 14 August 2023
હાર્દિક પંડ્યાને રોહિત શર્માના બાદ ટીમ ઈન્ડિયા પરમનેન્ટ વનડે અને ટી20 કેપ્ટન બનવાના પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા હતા પરંતુ વેસ્ટઈન્ડિઝના સામે ટી20 સીરિઝમાં હારે તેમની કેપ્ટન્સીની પોલ ખોલી દીધી છે.
ભારતમાં આ વર્ષે થવા જઈ રહેલા 2023 વર્લ્ડ કપ બાદ રોહિત શર્મા ટીમ ઈન્ડિયાની કેપ્ટન્સી છોડવાની સાથે સાથે સન્યાસની જાહેરાત કરી શકે છે. એવામાં ટીમ ઈન્ડિયાને એક એવા વનડે અને ટી20 કેપ્ટનની જરૂર છે જે મેદાન પર ધોનીની જેમ નિર્ણય લે. આવો એક નજર કરીએ તે 3 ખેલાડીઓ પર જે ભારતના બીજા વનડે કેપ્ટન બની શકે છે.
ઋષભ પંત
ઋષભ પંત ટીમ ઈન્ડિયાના નવા વનડે કેપ્ટન બનવા માટે સૌથી મોટા દાવેદારમાંથી એક છે. હાલ અકસ્માત બાદ ઋષભ પંત ટીમ ઈન્ડિયામાં વાપસી માટે સતત મહેનત કરી રહ્યા છે. ઋષભ પંતની કેપ્ટન્સીમાં મહેન્દ્ર સિંહ ધોનીની ઝલક પણ જોવા મળે છે.
25 વર્ષના યુવા વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત હાલ યુવા છે અને લાંબા સમય સુધી ભારતની વનડે કેપ્ટ્નસી કરવાનો દમ રાખે છે. ઋષભ પંત ભારતના સૌથી મોટા મેચ વિનર છે. ઋષભ પંતના વિકેટકીપર બેટ્સમેન તરીકે પ્રદર્શનને જોતા તેમને ટીમ ઈન્ડિયા અને વનડે કેપ્ટન બનાવી શકાય છે.
શુભમન ગિલ
23 વર્ષની ઉંમરમાં જ શુભમન ગિલ ભારત માટે ટેસ્ટ, વનડે અને ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સેન્ચુરી મારનાર પહેલા બેટ્સમેન છે. શુભમન ગિલનું વનડે ક્રિકેટમાં ભવિષ્ય ખૂબ જ ઉજ્જવલ છે. એવામાં તે લાંબા સમય સુધી ટીમ ઈન્ડિયા માટે ઓપનિંગ કરી શકે છે અને કેપ્ટન્સીનો રોલ પણ કરી શકે છે.
શુભમન ગિલ જે રીતે બેટિંગ કરે છે તે જોતા તે આવનાર 10થી 15 વર્ષ સુધી ભારત માટે ક્રિકેટ રમી શકે છે અને કેપ્ટન્સી પણ કરી શકે છે.
શ્રેયસ અય્યર
જો શ્રેયસ અય્યર ભારતના બીજા વનડે કેપ્ટન બની જાય છે તો ટીમને તેનાથી ખૂબ ફાયદો થશે. ટીમ ઈન્ડિયાના ટેલેન્ટેડ મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ અય્યર પણ ભારતના ઉપરાંત વનડે કેપ્ટન બની શકે છે સૌથી મોટા દાવેદાર પણ છે. મુંબઈના 28 વર્ષીય બેટ્સમેન શ્રેયસ અય્યરે ભારતીય ટીમના માટે પોતાના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કરિયરની શરૂઆત વર્ષ 2017માં કરી હતી.
કેપ્ટન્સીની વાત કરીએ તો આઈપીએલ 2018માં અય્યરને દિલ્હી કેપિટલ્સના કેપ્ટન નિયુક્ત કરવામાં આવ્યા હતા. જ્યાર બાદ આઈપીએલ 2020માં દિલ્હી કેપિટલ્સની ટીમ તેમની કેપ્ટન્સીમાં ફાઈનલ સુધી પહોંચી. IPL 2022 સીઝનમાં કોલકત્તા નાઈટ રાઈડર્સે શ્રેયસ અય્યરને કેપ્ટન જાહેર કર્યા. તેનાથી તેમની ટીમ ઈન્ડિયાની કેપ્ટન્સી કરવાની તક પણ ખુલી ગઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir