બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Megha
Last Updated: 11:56 AM, 30 October 2022
સનાતન ધર્મમાં તુલસીને લઈને ઘણા પ્રકારના નિયમોની વાત કરવામાં આવી છે એ વાત આપણએ બધા જાણીએ છીએ. આપણા ધર્મમાં તુલસીને ખૂબ જ પવિત્ર અને પૂજનીય સ્થાન મળ્યું છે. એવું કહેવાય છે કે તુલસીની પૂજા કરવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને સંપત્તિ આવે છે. જણાવી દઈએ કે તુલસી પૂજાને લઈને શાસ્ત્રોમાં ઘણા નિયમો જણાવવામાં આવ્યા છે અને આ નિયમોનું પાલન કરવાથી જ મા લક્ષ્મી પ્રસન્ન થાય છે.
શસ્ત્રો અનુસાર કારતક મહિનામાં તુલસી પૂજાનું મહત્વ વધુ વધી જાય છે અને જો આ મહિનામાં નિયમ પ્રમાણે તુલસીની પૂજા કરવામાં આવે તો આખું વર્ષ ઘરમાં મા લક્ષ્મી રહે છે તેની વિશેષ કૃપા મળી રહે છે. આ સાથે જ જો તુલસી વિવાહના દિવસે કેટલાક ખાસ ઉપાય કરવામાં આવે તો તુલસી માના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે તુલસી વિવાહના દિવસે આ ઉપાય કરવાથી આખું વર્ષ મા લક્ષ્મીની કૃપા બની રહે છે.
તુલસી વિવાહના દિવસે કરો આ ઉપાયો
-જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એકાદશીના દિવસે તુલસી વિવાહ થાય છે અને આ વખતે 5 નવેમ્બરે તુલસી વિવાહ થશે. તુલસી વિવાહના દિવસે તુલસી પર શુદ્ધ દેશી ઘીનો દીવો પ્રગટાવો અને 'ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ' મંત્રનો 11, 21, 51 કે 101 વાર જાપ કરો. આમ કરવાથી મા તુલસી પ્રસન્ન થાય છે અને તેમની કૃપાથી લોકોના જીવનમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે.
- લગ્ન માટે ઘરમાં તુલસી લાવવી શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસે ઘરમાં તુલસી વાવીને તેમને આખું વર્ષ હરિયાળું રહેવાની પ્રાર્થના કરો. પણ આ સાથે એ વાતનું ધ્યાન રાખો કે તુલસીની આસપાસ કોઈ કાંટાવાળા છોડ ન હોવા જોઈએ. આ સિવાય તુલસી પાસે સાવરણી કે ડસ્ટબીન ન રાખવું જોઈએ.
- તુલસી વિવાહ પછી ઘરમાં તુલસી મંગલાષ્ટક મંત્રનો જાપ કરો. આ કરવાથી ઘરમાં તુલસીનો છોડ હંમેશા લીલો રહેશે અને મા લક્ષ્મી હંમેશા તમારા પર પ્રસન્ન રહેશે.
- તુલસી વિવાહના દિવસે સવારે અને સાંજે તુલસીની વિધિવત પૂજા કરો અને સાંજે શુદ્ધ દેશી ઘીનો દીવો પ્રગટાવો અને મા તુલસીની આરતી અને મંત્ર જાપ કરો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir