બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Vishal Khamar
Last Updated: 03:44 PM, 26 August 2023
ઈસરોનાં કથિત સાયન્ટીસ્ટ મિતુલ ત્રિવેદીનાં ચંદ્રયાન-3 ની ડિઝાઈન બનાવવાનો દાવો કર્યા બાદ સુરત પોલીસ કમિશ્નરે તેઓને પોલીસ મથકે બોલાવ્યા છે. ત્યારે સોશિયલ મીડિયામાં મિતુલ ત્રિવેદી વિશે પોસ્ટ ફરતી થયા બાદ કમિશ્નર દ્વારા તેઓને પોલીસ મથકે બોલાવ્યા છે. મિતુલ ત્રિવેદી લોકોને ગેરમાર્ગે દોરતા હોવાની પોસ્ટ બાદ પોલીસે તેઓને પૂછપરછ માટે પોલીસે બોલાવ્યા.
આવો કોઈ વ્યક્તિ તેમની સાથે નથીઃ ઈસરોનો ખુલાસો
મિતુલ ત્રિવેદી પોલીસ સમક્ષ જરૂરી દસ્તાવેજ આપવા માટે પોલીસ કમિશ્નર કચેરી પહોંચ્યા હતા. મિતુલ ત્રિવેદીને ઈસરો સાતે કોઈ લેવા-દેવા નથી તેવી પોસ્ટ સોશિયલ મીડિયામાં ફરતી થઈ હતી. તેમજ મિતુલ ત્રિવેદી ખોટી રીતે ચંદ્રયાન-3 ની ક્રિડિટ લેતા હોવાની પોસ્ટ વાયરલ થઈ હતી. ચંદ્રયાન-3 માં પોતાનો રોલ હોવાનું મિતુલ ત્રિવેદીએ જાહેર કર્યું હતું. તેમજ પોતે ઈસરો-બેંગાલુરૂ સાથે જોડાયેલો હોવાનું પણ જાહેર કર્યું હતું. અને તેઓ ઈસરો સાથે કન્સલ્ટીંગમાં કામગીરી કરી રહ્યા હોવાનું ત્રિવેદીએ કહ્યું હતું. તો બીજી તરફ ઈસરો દ્વારા એવો ખુલાસો છે કે આવો કોઈ વ્યક્તિ તેમની સાથે નથી.
પુરાવા રજૂ કર્યા વગર જ ભાગ્યા મિતુલ ત્રિવેદી
ચંદ્રયાન-3 ની ડિઝાઈન મામલે મિતુલ ત્રિવેદી દ્વારા નિવેદન આપ્યા બાદ તેઓને પોલીસ કમિશ્નર કચેરીએ બોલાવવામાં આવ્યા હતા. ત્યારે તેઓ ડોક્યુમેન્ટ લઈ પોલીસ કમિશ્નર કચેરી પહોંચ્યા હતા. પરંતું તેઓએ મીડિયા સમક્ષ કોઈ પણ ડોક્યુમેન્ટ રજૂ કર્યા ન હતા અને મીડિયા દ્વારા તેઓને પૂછવામાં આવેલ એક પણ સવાલનો જવાબ આપી શક્યા ન હતા મિતુલ ત્રિવેદી. તેઓ પોતે ઈસરોનાં વૈજ્ઞાનિક હોવાનાં ડોક્યુમેન્ટ સબમિટ કરવા કમિશ્નર કચેરી આવ્યા હોવાનું રટણ કરી રહ્યા હતા. પરંતુ પુરાવા રજૂ કર્યા વગર જ તેઓ ભાગી ગયા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir