બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

logo

Air Indiaની એકસાથે 70થી વધુ ફ્લાઇટ્સ રદ

VTV / Supreme court rejects the plea of Uddhav Thakrey on Shivsena name and symbol

રાજનીતિ / ઉદ્ધવ રહ્યાં નામના નેતા, શિવસેના પર કબજાની આશા ઠગારી નીવડી, સુપ્રીમે આપ્યો છેલ્લો ઝટકો

Vaidehi

Last Updated: 04:41 PM, 22 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉદ્ધવ ઠાકરેનાં વકીલ સિબ્બલે કહ્યું કે 'ચૂંટણી આયોગનાં નિર્ણયનો આધાર નબળો છે. આ મામલાનો અંતિમ નિર્ણય આવે ત્યાં સુધી સ્ટે લાગવો જોઈએ. આયોગનાં આ નિર્ણયથી ગંભીર ચિંતા પેદા થાય છે.'

  • ઉદ્ધવ ઠાકરેને ફરી SCએ આપ્યો ઝટકો
  • શિવસેના નામ અને ચિહ્ન અંગેની અરજી ફગાવી
  • વકીલ સિબ્બલે આયોગનાં નિર્ણય પર કર્યાં સવાલો

શિવસેના નામ અને ચિહ્નને લઈને આજે સુપ્રીમ કોર્ટમાં કોઈ નિર્ણય લેવાયો નથી. પરંતુ ઉદ્ધવ ઠાકરેને આ મુદે કોઈ પણ રાહત મળી શકી નથી. તેમના તરફથી એકનાથ શિંદે જૂથને શિવસેનાનાં નામ અને ચિહ્નનો ઉપયોગ કરવાની પરવાનગી પર રોક લગાવવાની માગ કરવામાં આવી હતી જે અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી છે. હાલમાં કોર્ટે બંને પક્ષોને નોટિસ મોકલીને જવાબ આપવાની માગ કરી છે. આ મામલા પર સુનાવણી હવે 2 અઠવાડિયા બાદ થશે.

ઉદ્ધવ ઠાકરેનાં વકીલે આયોગનાં નિર્ણય પર ઉઠાવ્યાં પ્રશ્નો
ઉદ્ધવ ઠાકરેનાં વકીલ કપીલ સિબ્બલે કહ્યું કે ચૂંટણી આયોગનાં નિર્ણયનો આધાર નબળો છે. આ મામલાનો અંતિમ નિર્ણય આવે ત્યાં સુધી સ્ટે લાગવો જોઈએ. આયોગનાં નિર્ણયથી ગંભીર ચિંતા પેદા થાય છે.' સિબ્બલે કહ્યું કે આયોગનાં વિધાયકો અને સાંસદોના બહુમતનાં આધાર પર નામ અને નિશાનનો આધાર શિંદેના જૂથને આપી દેવામાં આવ્યો છે પરંતુ તેનો આધાર યોગ્ય નથી. તેના માટે સંગઠન કોના સાથે છે તે પણ જાણવું જરૂરી છે. 

શિંદે જૂથનાં વકીલે અરજીને અયોગ્ય કહી
તો શિંદે જૂથનાં વકીલ એન.કે. કૌલે કહ્યું કે આ અરજી સુનાવણીને યોગ્ય જ નથી. તેમણે કહ્યું કે આ મામલામાં ઉદ્ધવ જૂથ સુપ્રીમ કોર્ટમાં શા માટે આવ્યું છે.. આ મુદા માટે પહેલા હાઈકોર્ટમાં જવું જોઈતું હતું.

આ આધારે નિર્ણય લેવાયો! 
ચૂંટણી પંચે આ નિર્ણય લેતા પહેલા કેટલાક આધાર પુરાવા તપસ્યા હતા. જેમાં વિધાનસભામાં કુલ 67 માંથી 40 ધારાસભ્યોનું શિંદે જૂથને સમર્થન છે. તો 13 સાંસદો શિંદે જૂથના ટેકામાં અને 7 સંસદો ઉદ્ધવ ઠાકરે સાથે છે ત્યારે. કેન્દ્રીય ચૂંટણી પંચ આ આધારને ધ્યાને લઈને શિંદે જૂથની તરફેણમાં આદેશ આપ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ