બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Ajit Jadeja
Last Updated: 12:58 PM, 10 March 2024
Saurashtra News: રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં 1.38 લાખ રેશનકાર્ડ ધારકોને અનાજ મળતુ બંધ થતા કફોડી સ્થિતીમાં મુકાયા છે. આ લાભાર્થી પરિવારોના રેશનકાર્ડ પુરવઠા વિભાગ દ્વારા રદ કરી દેવામાં આવ્યા છે. આધારકાર્ડ સાથે તેમનું રેશનકાર્ડ લીંક ન હોવાથી તંત્ર દ્વારા તેમને અનાજ વિતરણ બંધ કરવામાં આવ્યુ છે. જેને લઇને ગરીબ પરિવારો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ગરીબ પરિવારોને અનાજ નહી મળતા ભુખ્યા રહેવાનો વારો આવ્યો છે. સસ્તા અનાજના દુકાનદારો અને સંચાલક મંડળ દ્વારા લાભાર્થીઓ અનાજથી વંચિત ન રહે તે માટે લીંક કરાવવા એક મહિનાનો સમય આપવાની માંગણી કરવામાં આવી છે. લાભાર્થીઓને અનાજ નહી મળતા ભુખ્યા રહેવાનો વારો આવ્યો છે. અન્ન સુરક્ષા કાયદામાં આવી કોઇ જોગવાઇ નહી હોવા છતાં રેશનકાર્ડ રદ કરી અનાજ બંધ કરી દેવામાં આવતા લાભાર્થીઓ પણ રોષે ભરાયા છે.
લાભાર્થીઓને અનાજ ફરી ચાલુ કરવા માંગ
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આધાર કાર્ડ લિંક ન હોય તેવા પરિવારનું અનાજ વિતરણ બંધ કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રમાં 1 લાખ 38 હજારથી વધુ રેશનકાર્ડ રદ્દ થઈ જતા લોકોમાં રોષ ફેલાયો છે. રાજકોટ, જામનગર, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, દ્વારિકા, ભાવનગર, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ અને બોટાદ સહિતના જિલ્લામાં અસર જોવા મળી છે. આધાર કાર્ડનું જોડાણ ન થવાથી ગરીબ પરિવારોને અનાજ નથી મળી રહ્યુ. સસ્તા અનાજના દુકાનદારો દ્વારા લાભાર્થીઓને અનાજ ફરી ચાલુ કરવામાં આવે તે માટે રદ કરાયેલા કાર્ડ ફરી શરુ કરવા રજુઆત કરવામાં આવી છે.
વધુ વાંચોઃરેશન કાર્ડમાંથી તમારું નામ દૂર થઇ ગયું છે? તો ટેન્શન છોડો, બસ ફૉલો કરો આ સ્ટેપ્સ
તંત્ર દ્વારા આખુ રેશનકાર્ડ બ્લોક કરાતા રોષ
આ મામલે સસ્તા અનાજ વેપારી મહામંત્રી હિતુભા જાડેજાએ જણાવ્યુ હતુ કે નવા ફતવાથી લાભાર્થીઓને નુકસાન થઇ રહ્યુ છે. કાર્ડમાં ત્રણ વ્યક્તિના નામ હોય અને તેમાં એક જ વ્યક્તિનું આધાર મેપિંગ બાકી હોય તો પણ તંત્ર દ્વારા આખુ રેશનકાર્ડ બ્લોક કરી દેવામાં આવ્યુ છે. જેથી આખો લાભાર્થી પરિવાર અનાજથી વંચિત રહે છે. અન્ન સુરક્ષાના કાયદામાં કોઇ એવી જોગવાઇ નથી કે વ્યક્તિ આધાર કાર્ડ ધરાવતો હશે તો તેને અનાજ આપવામાં આવશે. તેમ છતાં તંત્ર દ્વારા મનસ્વી નિર્ણય કરવામાં આવ્યો છે. ચુંટણીનો સમય આવ્યો છે ત્યારે સરકારે પણ રહેમરાહ રાખવી જોઇએ. દરેક લાભાર્થીને એક મહિનાનો સમય આપવો જોઇએ જેથી આધારકાર્ડ સાથે રેશનકાર્ડ લીંક કરી શકે. 28 ફેબ્રુઆરી સુધી આવા કાર્ડ ચાલુ હતા પરંતુ 29 માર્ચથી સદંતર રદ કરી દેવામાં આવ્યા છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army