બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / Stress, financial crisis and suicide... why are people losing patience? What are the reasons behind taking the last step and how can it be avoided?
Vishal Khamar
Last Updated: 09:09 PM, 5 November 2023
કહેવત છે કે દુખના વાદળ છવાયા હોય છે. તો ખુશીઓનો વરસાદ પણ થશે જ. કેમ કે સુખ અને દુઃખ એ એક સિક્કાની બે બાજુ છે. સદંતર સુખ અને સદંતર દુઃખ કોઈપણ વ્યક્તિના જીવનમાં રહેતા નથી. આવું એટલા માટે કહેવું પડે છે કેમ કે કેટલાક લોકો ખુબ ઝડપથી નાસીપાસ થઈ જાય છે અને જીવન જીવવાની જીજીવિષા ગુમાવી દે છે. લોકોમાં હવે ધીરજ ખુટી રહી છે અને જીવન ટૂંકાવવાના કિસ્સા વધી રહ્યા છે. નાની ઉંમર હોય કે પછી સામૂહિક આપઘાત હોય. આ કિસ્સાઓ ચિંતામાં મુકનારા છે. બિમારી હોય કે, આર્થિક સંકડામણ, રોજગારી, ઘર કંકાસ, તણાવના કારણે લોકોમાં સહનશીલતા ઘટી ગઈ છે. જેના કારણે યુવાનો પણ જિંદગી ટૂંકાવી રહ્યા છે.. જે સમાજ સામે ફરી એકવાર લાલબત્તી સમાન છે. કારણ કોઈપણ હોય.. મુશ્કેલી, પરિસ્થિતિ કોઈપણ હોય પણ તેનો અંતિમ માર્ગ કે અંતિમ પગલું આપઘાત તો ન જ હોઈ શકે.. ભગવાને અમૂલ્ય જિંદગી આપી છે.. જેને આપઘાત કરીને વ્યર્થ ન જવા દેવી જોઈએ.
આપઘાતથી સમસ્યા ઉકેલાશે?
સમજણ અને સાચી દિશાના પ્રયાસોથી પરિણામ મળે છે. માનવી જીવનથી અમૂલ્ય આ સંસારમાં કંઈ પણ નથી. આત્મઘાત એ કોઈ પણ સમસ્યાનો ઉકેલ નથી. કોઈ પણ સમસ્યાનો ઉકેલ એ મોત નથી. સહનશીલતા અને સમજણથી દરેક સમસ્યા સામે લડી શકાય છે. એકક્ષણના ગુસ્સાથી આપઘાત કરવો તે સ્વસ્થ સમાજની નિશાની નથી.
આપઘાતના મુખ્ય કારણ શું?
કોરોનામાં ધંધા રોજગાર પર કોરોનાની માઠી અસર જોવા મળી છે. ધંધા રોજગારમાં મંદીના કારણે લોકો આર્થિક સંકડામણમાં ફસાયા છે. તો બીજી તરફ વ્યાજખોરોના ત્રાસથી અનેક યુવકોએ આપઘાત કર્યો છે. આપઘાત પાછળ પરીક્ષાનો ડર, માનસિક બીમારી, લાંબા સમયની માંદગી અને પ્રેમ સંબંધ સહિતના કારણ જવાબદાર છે. બેરોજગારી, લોન, ભણતર, નોકરી જતી રહેવાનો ડર, પારિવારીક સમસ્યા, નાની વાતમાં લાગી આવવું, પ્રિય વ્યક્તિનું મૃત્યુ થવું. બાળકો પર માતા-પિતાનું ખોટુ આનુશાસન અને એકલતા,સામાજિક તિરસ્કાર,લોકોનું દબાણ.
તણાવમાં શું કરવું જોઈએ?
તણાવમાં હોય તેમને સરકારની હેલ્પલાઈનો સંપર્ક કરવો જોઈએ. ગુજરાત સરકારની હેલ્પલાઈન 1096 પર ફોન કરવો જોઈએ. ભારત સરકારની જીવનસાથી હેલ્પલાઈન 1800 233 3330 પર કોલ કરો. મિત્રો-સંબંધીઓ સાથે પણ વાત કરવી જોઈએ. મિત્ર,પરિવારજન, સગા સબંધીની મદદ લેવી જોઈએ. પ્રેરણા આપે તેવા પુસ્તકોનું વાંચન કરવું જોઈએ. ખરાબ વિચાર આવે તો મનોવૈજ્ઞાનિકની સલાહ લેવી જોઈએ.
ગુજરાતમાં ચર્ચિત આપઘાતની ઘટનાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir