બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Statement of Superintendent Ganesh Govekar of Surat Civil Hospital regarding the fear of honor killing in Navsari
Dinesh
Last Updated: 01:22 PM, 26 April 2023
નવસારીમાં ઓનર કિંલિંગ આશંકા મામલે આજે યુવતીના મૃતદેહનું સુરતની ફોરેન્સિક પેનલે પોસ્ટમોર્ટમ કર્યું છે જે મામલે સિવિલ હોસ્પિટલના સુપ્રિમટેન્ડન્ટ ગણેશ ગોવેકરનું નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું કે, સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે યુવતીનું પેનલ PM કરાયું છે જે 2 તબીબોની ટીમ દ્વારા કરાયું છે જેની પ્રાથમિક તપાસમાં ગળેફાંસો ખાવાના કારણે મોત થયાનું જાણવા મળ્યું છે.
સિવિલ હોસ્પિટલના સુપ્રિમટેન્ડન્ટ નિવેદન
સુપ્રિન્ટેન્ડન્ટ ગણેશ ગોવેકરે જણાવ્યું કે, યુવતીના શરીર પર ઇજાના અન્ય કોઈ નિશાન નથી અને આઇડેન્ટિફિકેશન માટે DNA સેમ્પલ લેવામાં આવ્યા જેમાં DNA માટે દાતના સેમ્પલ લેવામાં આવ્યા છે તેમજ વિશેરા અને નખના તેમજ બ્લડગ્રુપ માટે દાતના સેમ્પલ લેવામાં આવ્યા છે. વધુમાં ઉમેર્યું કે, ઘટનામાં ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હોવાની શક્યતા વધુ છે. અત્રે આપને જણાવી દઈએ કે, આસિસ્ટન્ટ એસોસિયેટ કલ્પેશ ચૌધરી રેસિડેન્ટ તબીબ પ્રતીક પરમાર દ્વારા પેનલ પીએમ કર્યું છે
શુ છે સમગ્ર મામલો
વાત એમ છે કે, બ્રીજેશ પટેલ નામના યુવકને એક યુવતી સાથે પ્રેમ થયો હતો. અને આ યુવતી પ્રેમ સંબંધમાં બ્રીજેશને મળવા આવી હતી. જો કે, બંન્ને વલસાડ મળ્યા પછી યુવતી ઘરે ગઈ ત્યારે એવા સમાચાર આવ્યા કે, બ્રીજેશ જે યુવતીને પ્રેમ કરતો હતો તેણે આપઘાત કરી લીધો છે. જે સમગ્ર ઘટનામાં પ્રેમી બ્રીજેશ પટેલને એવી શંકા કે, મારી પ્રેમિકાની હત્યા કરી નાંખી અને તેની લાશને દફનાવી દીધી છે તેવું બ્રીજેશ જણાવી રહ્યો છે. પ્રેમિકા માટે પ્રેમીની સુરત રેન્જ IGને અરજી પણ કરી અને પ્રેમીકાની હત્યા થઈ લાશ દફનાવી નાંખવાનો આક્ષેપ કર્યો છે તેમજ પ્રેમીએ પોલીસને કબ્રસ્તાન પણ બતાવ્યું હતું અને તેવું કહેવું છે કે, તેની પ્રેમિકાની હત્યા કરી લાશને રાતો રાત દફનાવી દેવામાં આવી છે હત્યાને અંજામ આપ્યા બાદ તેનો પરિવાર આપઘાતનું નાટક કરે છે.
અબ્રામા ખાતે કબ્રસ્તાનમાં નવસારીના પ્રાંત અધિકારી પણ પહોંચ્યા હતા તેમજ યુવતીને મારીને દફન કરી દેવાની આશંકાના પગલે તપાસ આદરી હતી, પોલીસે અને વહીવટી તંત્ર તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. અત્રે તમને જણાવી દઈએ કે, યુવતીના ઘરેથી સ્યુસાઈડ નોટ મળી છે. બ્રીજેશ પટેલ એવું કહે છે કે, સ્થાનિક લોકોએ મને જણાવ્યું હતું કે, યુવતીએ આપઘાત કર્યો નથી. તેની હત્યા કરી દેવામા આવી છે. બ્રીજેશની માગ છે કે, જો પોલીસ પુરા મામલે તપાસ કરે તો સત્ય સામે આવી શકે છે. હાલ પોલીસ તપાસ આદરી છે અને તેનો મૃતદેહ કબરમાંથી બહાર નીકાળી પીએમ અર્થે ખસેડ્યો હતો જ્યાં તેનું પીએમ પણ કરાયું છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir