બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Some New Year resolutions you can make to improve your mental health this New Year
Pooja Khunti
Last Updated: 03:30 PM, 25 December 2023
તમને જાણીને હેરાની થશે કે આજે ચિંતા અને ડિપ્રેશન એક મોટી સમસ્યા બની ગયા છે. આજ 5 માંથી 1 વ્યક્તિ ચિંતા અથવા ડિપ્રેશનની સમસ્યા સામે સંઘર્ષ કરી રહી છે. દરેક વ્યક્તિને કોઈને કોઈ વાતની ચિંતા હોય છે. ચિંતા અને ડિપ્રેશનનાં કારણે લોકોને ઊંઘ આવતી નથી. જેના કારણે આપણું કામ અને અંગત જીવન પ્રભાવિત થાય છે. ચિંતા ન કરો તમે આ સમસ્યામાંથી બહાર આવી શકો છો. આ નવા વર્ષે ચિંતા અને ડિપ્રેશનથી દૂર રહેવા માટે આ રિઝોલ્યુશન લો.
લોકોને ના કહેતા શીખો
ચિંતાથી બચવા માટે કોઈને ના કહેતા શીખવું પણ જરૂરી છે. ઘણી વાર આપણે એવી બાબતો પૂર્ણ કરવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ જેનાથી આપણે સહમત નથી હોતા. હવે તમારે તમારી આદતો બદલવી પડશે. જે કામ તમને ન ગમતું હોય તેને તરત જ ના કહો.
તમારી જાત પર ધ્યાન આપો
તમારા વ્યસ્ત જીવનમાં થોડો સમય તમારી જાત માટે પણ નિકાળો. એવી કોઈ પ્રવૃતિ કરો જે તમને ગમતી હોય. તમારી હોબીને ફોલો કરો. કોઈને ગાવાનું, નૃત્ય અથવા ચિત્રકામ કરવું ગમતું હોય છે. આવું કરવાથી તમારું મૂડ સારું રહેશે.
સ્વાસ્થ્ય માટે બેદરકાર ન રહો
લોકો ઘણી વાર પોતાના સ્વાસ્થ્ય માટે બેદરકાર બની જતાં હોય છે. જેની અસર તેમના સ્વાસ્થ્ય પર પડે છે. શરૂઆતમાં લોકો આ બાબતને નજરઅંદાજ કરતા હોય છે પણ જ્યારે બીમાર પડે છે ત્યારે ટેસ્ટ કરાવવાથી ખબર પડે છે. તમને જ્યારે સ્વાસ્થ્યમાં કોઈ પરિવર્તન દેખાય તો તમારે તરત જ સારવાર લેવી જોઈએ. ઘણી વાત બીમારીની અસર માનસિક સ્વાસ્થ્ય પર પડે છે. તેથી તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન બનો. આ સાથે પૌષ્ટિક આહાર લો, વ્યાયામ અને ધ્યાન કરો.
મિત્રો અને પરિવારનાં લોકો સાથે સમય પસાર કરો
ઘણી વાર લોકો કામનાં લીધે પોતાના પરિવારનાં લોકોને સમય નથી આપી શકતા. જેની ખરાબ અસર સંબંધો પર જોવા મળે છે. જે યોગ્ય નથી. આવી સ્થિતિમાં લોકો એકલતા અનુભવવા લાગે છે. જેના કારણે ચિંતા અને ડિપ્રેશનની સમસ્યા વધી જાય છે. એટલા માટે મિત્રો અને પરિવારનાં લોકો સાથે સમય પસાર કરો.
દારુનાં સેવનથી દૂર રહો
દારુનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. લાંબા સમય સુધી દારુનાં સેવનનાં કારણે તમારું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. જેના કારણે એક સમય પછી તમને ચિંતા અને ડિપ્રેશનની જેવી સમસ્યાઓ થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir