બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / So the state government can stop the pension of government employees', an important judgment of the Gujarat High Court
Priyakant
Last Updated: 08:45 AM, 23 June 2023
ગુજરાત હાઇકોર્ટે હાલમાં જ એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. વાત જાણે એમ છે કે, હાઇકોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું છે કે, રાજ્ય સરકારના કર્મચારી કે અધિકારી નોકરીમાં ચાલુ હોય કે નિવૃત્ત થાય તે બાદ પણ જો તેમણે કોઈ ગંભીર ગુનામાં સજા થાય તો રાજ્ય સરકાર આવા સરકારી કર્મચારી કે અધિકારીનું પેન્શન બંધ કરી શકે.
હાઇકોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે, ગંભીર ગુનામાં સરકારી કર્મચારી કે અધિકારીને કોર્ટે સજા ફટકારી હોય તો રાજ્ય સરકાર તે પેન્શનરને કારણદર્શક નોટિસ આપ્યા વિના પણ તેનું પેન્શન બંધ કરી શકે છે. નિવૃત્તિ બાદ પડેલી સજાના કિસ્સામાં કાર્યવાહી કરવામાં માટે રાજ્ય સરકારને કોઈ બાધ નડતો નથી. નોંધનીય છે કે, ગુજરાત હાઇકોર્ટના આ ચુકાદાને લઈ રાજ્ય સરકારના લાખો કર્મચારીઓ-અધિકારીઓ અને નિવૃત કર્મચારીઓને બહુ મોટી અસરો થશે.
ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ એ.એસ.સુપહીયા અને જસ્ટિસ એમ.આર.મેંગડેની ખંડપીઠે પોતાના ચુકાદામાં કહ્યું કે, પેન્શન રૂલ્સ-2002ની રૂલ-23 અન્વયે જો કોઈ પેન્શનરને કોઈ ગંભીર ગુનામાં કે ગંભીર ગેરવર્તણુંકના ગંભીર ગુનામાં સજા થાય તો સરકારને તેનું પેન્શન અટકાવવાની કે પાછું ખેંચવાની સત્તા છે.
આ સાથે જોક કોઈ અધિકારી કે કર્મચારી સામે હાઇકોર્ટમાં કરેલી અપીલમાં સજા મોકૂફ કરાઇ હોય તો, જો ટ્રાયલ કોર્ટ દ્વારા પેન્શનરને ગંભીર ગુનામાં સજા ફરમાવાઇ હોય અને તેણે કરેલી ક્રિમિનલ અપીલમાં સજા મોકૂફ રખાઇ હોય તો તેવા કેસમાં પાણ ડિસિપ્લિનરી ઓથોરીટી અથવા રાજ્ય સરકારે અપીલના અંતિમ પરિણામની રાહ જોવાની જરૂર નથી.
નોંધનીય છે કે, હજારો સરકારી કર્મચારીઓના હક્ક લાભોને અસર કરતો ગુજરાત હાઇકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. સરકારી કર્મચારી કે અધિકારી નોકરીમાંથી નિવૃત્ત થાય તે બાદ જો તેને કાનૂની કેસમાં સજા પડે તો સરકાર આવા કર્મચારી કે અધિકારીનું પેન્શન બંધ કરી શકે છે. ગંભીર ગુનામાં અદાલતે સજા કરી હોય તો પેન્શનરને કારણદર્શક નોટિસ આપ્યા વિના પણ તેનું પેન્શન સરકાર બંધ કરી શકે છે. નિવૃત્તિ બાદ પડેલી સજાના કિસ્સામાં કાર્યવાહી કરવા માટે સરકારને સમય મર્યાદાના કાયદાનો બાધ નડતો નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir