બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / મનોરંજન / Sidhu Musewala's father received death threats, Salman Khan was also mentioned in the email
Megha
Last Updated: 02:54 PM, 5 March 2023
દિવંગત ગાયક સિદ્ધુ મુસેવાલાના પિતા બલકૌર સિંહને ફરી એકવાર જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. જણાવી દઈએ કે પોલીસ અધિકારી અને પરિવાર બલકૌર સિંહને આપવામાં આવેલી ધમકી વિશે કંઈપણ પુષ્ટિ કરી રહ્યા નથી પણ અહેવાલ છે કે ધમકી તેમને ઈમેલ દ્વારા આપવામાં આવી છે અને આ ધમકી બાદ સિદ્ધુ મુસેવાલાના પરિવારની સુરક્ષા વધુ કડક કરવામાં આવી છે.
સલમાન ખાનને મળી હતી જાનથી મારી નાખવાની ધમકી
ઈમેલમાં બલકૌર સિંહ અને તેના પરિવારને લૉરેન્સ બિશ્નોઈ જેવા ગેંગસ્ટરના નામ ન લેવાની સૂચના આપવામાં આવી છે .રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ધમકીભર્યા ઈમેલમાં અભિનેતા સલમાન ખાનનું નામ પણ છે. આ પહેલા સલમાન ખાનના પિતા સલીમ ખાનને એક પત્ર મળ્યો હતો, જેમાં સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ત્યારપછી સલમાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે.
સિદ્ધુ મુસેવાલાના પિતાને મળેલ ઈમેલમાં કહી આ વાત
સિદ્ધુ મુસેવાલાને ધમકી મળ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી છે અને કહેવામાં આવી રહ્યું છે કે ધમકીભર્યો ઈમેલ રાજસ્થાનથી આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, બલકૌર સિંહને અગાઉ પણ જાનથી મારી નાખવાની ધમકીઓ મળી ચુકી છે. સિદ્ધુ મુસેવાલાના પિતા બલકૌર સિંહને ધમકીભર્યા ઈમેલમાં કહેવામાં આવ્યું હતું કે જો તેઓ વારંવાર લોરેન્સ બિશ્નોઈનું નામ લેવાનું બંધ નહીં કરે તો તેના પરિણામો ખૂબ જચોંકાવનારું ખરાબ આવશે અને તેમને 25 એપ્રિલ સુધીનો સમય પણ આપવામાં આવ્યો છે.
સિદ્ધુ મુસેવાલાની પુણ્યતિથિ
નોંધપાત્ર રીતે, સિદ્ધુ મુસેવાલાની 29 મે, 2022 ના રોજ પંજાબના માનસામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. દિવંગત ગાયકના પિતા બલકૌર સિંહે તાજેતરમાં માનસામાં 19 માર્ચે તેમના પુત્રની પુણ્યતિથિ ઉજવવાની જાહેરાત કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે સિદ્ધુ મુસેવાલાની પુણ્યતિથિ પર મોટી સંખ્યામાં લોકો પહોંચશે, તેથી વધતી ગરમીને જોતા બલકૌર સિંહે સમય પહેલા પોતાના પુત્રની પુણ્યતિથિ મનાવવાની જાહેરાત કરી છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir