બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / shravan mass guruwar upay astro remedies on thursday to please lord vishnu

ધર્મ / ગુરૂવારના દિવસે આ ઉપાયો કરવાથી ખુલી જશે તમારા ભાગ્યનાં દ્વાર, માતા લક્ષ્મી કરશે અઢળક ધનવર્ષા

Arohi

Last Updated: 11:38 AM, 27 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Astro Remedies On Thursday: અલગ અલગ શુભ ફળોની પ્રાપ્તિ માટે ઘર-પરિવારની સુખ-સમૃદ્ધિમાં વધારા માટે જીવનમાં સફળતા મેળવવા માટે તમારે ગુરૂવારે શું ઉપાય કરવા જોઈએ તે જાણો.

  • ગુરૂવારના દિવસે કરો આ ઉપાય 
  • ખુલી જશે તમારા ભાગ્યનાં દ્વાર
  • માતા લક્ષ્મી કરશે અઢળક ધનવર્ષા

27 જુલાઈએ શ્રાવણ શુક્લ પક્ષની ઉદયા તિથિ નવમી અને ગુરૂવારનો દિવસ છે. નવમી તિથિ 27 જુલાઈએ બપોર બાદ 3.48 મિનિટ સુધી રહેશે. તેના બાદ દશમી તિથિ લાગી જશે. 27 જુલાઈએ બપોરે 1.38 મિનિટ સુધી શુભ યોગ રહેશે. પોતાના નામની જેમ જ યોગ ખૂબ જ શુભ માનવામાં આવે છે. 

આ યોગમાં કરવામાં આવેલા કાર્યોથી શુભ ફળોની પ્રાપ્તિ થઈ શકે છે. સાથે જ પ્રસિદ્ધિની પણ પ્રાપ્તિ થાય છે. સાથે જ 27 જુલાઈએ આખો દિવસ અને આખી રાત દરેક કાર્યોને સફળ બનાવનાર રવિ યોગ રહેશે. એવામાં અલગ અલગ શુભ ફળોની પ્રાપ્તિ માટે ઘર પરિવારની સુખ-સમૃદ્ધિમાં વધારો થશે. જીવનમાં સફળતા મેળવવા માટે તમને ગુરૂવારના દિવસે શું ઉપાય કરવો જોઈએ આવો જાણીએ. 

સમૃદ્ધ જીવન માટે 
જો તમે જીવનમાં સમૃદ્ધિ મેળવવા માંગો છો તો આ દિવસે વિશાખા નક્ષત્ર વખતે આંખો બંધ કરીને વિકંકતના ઝાડનું ધ્યાન કરતા તેને પ્રણામ કરો અને વિકંકતના ઝાડનું ધ્યાન કરતા તેને પ્રણામ કરો અને વિકંકતના ઝાડનું પાંચ વખત નામ લો. સંભવ હોય તો વિકંકતના ઝાડના મૂળમાં જળ ચડાવો અને પોતાના જીવનમાં સમૃદ્ધિ મેળવવાની પ્રાર્થના કરો. 

કેસરનું તિલક 
જો તમે આજના દિવસે પોતાના કોઈ મહત્વપૂર્ણ કાર્યથી બહાર જઈ રહ્યા છો કે કોઈ બિઝનેસ મીટિંગમાં જઈ રહ્યા છો તો આ દિવસે કેસરનો તિલક લગાવીને જાઓ. જો કેસર ઉપલબ્ધ નથી તો હળદરનો તિલક મસ્તક પર લગાવીને જાઓ. આમ કરવાથી તમને પોતાના મહત્વપૂર્ણ કાર્યો કે બિઝનેસ મીટિંગમાં સફળતા જરૂર મળશે. 

બિઝનેસમાં પ્રગતિ માટે 
જો તમે પોતાનો બિઝનેસ વધારવા માંગો છો તો તેના માટે આજના દિવસે ભગવાન વિષ્ણુને ચન્દનનું તિલક લગાવો. સાથે જ ભગવાન વિષ્ણુની સામે ચંદનના સુગંધ વાળી ધૂપબત્તી સળગાવો અને પોતાના બિઝનેસની પ્રગતિની પ્રાર્થના કરો. આમ કરવાથી તમારા બિઝનેસમાં વધારો થવા લાગશે. 

શત્રુ પર વિજય માટે 
જો તમે પોતાના કોઈ શત્રુથી પરેશાન છો અને તેના પર વિજય મેળવવા માંગો છો તો પોતાના શત્રુ પર વિજય મળવવા માટે આ દિવસે એક નાનું પીળા રંગનું કપડુ લો અને સાથે જ એક કટોરીમાં પાણની મદદથી થોડી હળદળ ઓગાળી લો. હવે તેનાથી પીળા રંગના કપડા પર પોતાના શત્રુનું નામ લખો અને તે કપડાને શ્રી વિષ્ણુના મંદિરમાં જઈને ભગવાનના ચરણોમાં મુકી દો. આમ કરવાથી તમને જલ્દી જ પોતાના શત્રુ પર વિજય પ્રાપ્ત થશે. 

સુખ-શાંતિ માટે 
જો તમે જીવનમાં સુખ-શાંતિ અને ઈચ્છા અનુસાર ફળની પ્રાપ્તિ કરવા માંગો છો તો આ દિવસે તમારે માતા દુર્ગાને અર્ગલા સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. આ સ્તોત્ર તમને દુર્ગા સપ્તશનીની પુસ્તકમાં મળશે. પરંતુ જો તમારી પાસે દુર્ગા સપ્તશમી નથી તો તમને ઈન્ટરનેટથી અર્ગલા સ્તોત્ર ખૂબ જ સરળતાથી મળી જશે. આ દિવસે અર્ગલા સ્તોત્રનો પાઠ કરવાથી તમને જીવનમાં સુખ-શાંતિ અને ઈચ્છા અનુસાર ફળની પ્રાપ્તિ થશે. 

જીવનસાથીની પ્રગતિ માટે 
જો તમને પોતાના જીવનસાથીની પ્રગતિને લઈને હંમેશા ચિંતા રહે છે તો આ દિવસે પોપટને લીલુ મરચુ ખવડાવો. જો આમ કરવું સંભવ ન હોય તો પોપટની એક મોટી તસવીર લાવીને ઘરની ઉત્તર દિશામાં લગાવો અને રોજ તેના દર્શન કરો. આમ કરવાથી જીવનસાથીની પ્રગતિને લઈને તમારા મનમાં રહેલી કોઈ પણ મુશ્કેલી દૂર થઈ જશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ