બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Arohi
Last Updated: 11:38 AM, 27 July 2023
27 જુલાઈએ શ્રાવણ શુક્લ પક્ષની ઉદયા તિથિ નવમી અને ગુરૂવારનો દિવસ છે. નવમી તિથિ 27 જુલાઈએ બપોર બાદ 3.48 મિનિટ સુધી રહેશે. તેના બાદ દશમી તિથિ લાગી જશે. 27 જુલાઈએ બપોરે 1.38 મિનિટ સુધી શુભ યોગ રહેશે. પોતાના નામની જેમ જ યોગ ખૂબ જ શુભ માનવામાં આવે છે.
આ યોગમાં કરવામાં આવેલા કાર્યોથી શુભ ફળોની પ્રાપ્તિ થઈ શકે છે. સાથે જ પ્રસિદ્ધિની પણ પ્રાપ્તિ થાય છે. સાથે જ 27 જુલાઈએ આખો દિવસ અને આખી રાત દરેક કાર્યોને સફળ બનાવનાર રવિ યોગ રહેશે. એવામાં અલગ અલગ શુભ ફળોની પ્રાપ્તિ માટે ઘર પરિવારની સુખ-સમૃદ્ધિમાં વધારો થશે. જીવનમાં સફળતા મેળવવા માટે તમને ગુરૂવારના દિવસે શું ઉપાય કરવો જોઈએ આવો જાણીએ.
સમૃદ્ધ જીવન માટે
જો તમે જીવનમાં સમૃદ્ધિ મેળવવા માંગો છો તો આ દિવસે વિશાખા નક્ષત્ર વખતે આંખો બંધ કરીને વિકંકતના ઝાડનું ધ્યાન કરતા તેને પ્રણામ કરો અને વિકંકતના ઝાડનું ધ્યાન કરતા તેને પ્રણામ કરો અને વિકંકતના ઝાડનું પાંચ વખત નામ લો. સંભવ હોય તો વિકંકતના ઝાડના મૂળમાં જળ ચડાવો અને પોતાના જીવનમાં સમૃદ્ધિ મેળવવાની પ્રાર્થના કરો.
કેસરનું તિલક
જો તમે આજના દિવસે પોતાના કોઈ મહત્વપૂર્ણ કાર્યથી બહાર જઈ રહ્યા છો કે કોઈ બિઝનેસ મીટિંગમાં જઈ રહ્યા છો તો આ દિવસે કેસરનો તિલક લગાવીને જાઓ. જો કેસર ઉપલબ્ધ નથી તો હળદરનો તિલક મસ્તક પર લગાવીને જાઓ. આમ કરવાથી તમને પોતાના મહત્વપૂર્ણ કાર્યો કે બિઝનેસ મીટિંગમાં સફળતા જરૂર મળશે.
બિઝનેસમાં પ્રગતિ માટે
જો તમે પોતાનો બિઝનેસ વધારવા માંગો છો તો તેના માટે આજના દિવસે ભગવાન વિષ્ણુને ચન્દનનું તિલક લગાવો. સાથે જ ભગવાન વિષ્ણુની સામે ચંદનના સુગંધ વાળી ધૂપબત્તી સળગાવો અને પોતાના બિઝનેસની પ્રગતિની પ્રાર્થના કરો. આમ કરવાથી તમારા બિઝનેસમાં વધારો થવા લાગશે.
શત્રુ પર વિજય માટે
જો તમે પોતાના કોઈ શત્રુથી પરેશાન છો અને તેના પર વિજય મેળવવા માંગો છો તો પોતાના શત્રુ પર વિજય મળવવા માટે આ દિવસે એક નાનું પીળા રંગનું કપડુ લો અને સાથે જ એક કટોરીમાં પાણની મદદથી થોડી હળદળ ઓગાળી લો. હવે તેનાથી પીળા રંગના કપડા પર પોતાના શત્રુનું નામ લખો અને તે કપડાને શ્રી વિષ્ણુના મંદિરમાં જઈને ભગવાનના ચરણોમાં મુકી દો. આમ કરવાથી તમને જલ્દી જ પોતાના શત્રુ પર વિજય પ્રાપ્ત થશે.
સુખ-શાંતિ માટે
જો તમે જીવનમાં સુખ-શાંતિ અને ઈચ્છા અનુસાર ફળની પ્રાપ્તિ કરવા માંગો છો તો આ દિવસે તમારે માતા દુર્ગાને અર્ગલા સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. આ સ્તોત્ર તમને દુર્ગા સપ્તશનીની પુસ્તકમાં મળશે. પરંતુ જો તમારી પાસે દુર્ગા સપ્તશમી નથી તો તમને ઈન્ટરનેટથી અર્ગલા સ્તોત્ર ખૂબ જ સરળતાથી મળી જશે. આ દિવસે અર્ગલા સ્તોત્રનો પાઠ કરવાથી તમને જીવનમાં સુખ-શાંતિ અને ઈચ્છા અનુસાર ફળની પ્રાપ્તિ થશે.
જીવનસાથીની પ્રગતિ માટે
જો તમને પોતાના જીવનસાથીની પ્રગતિને લઈને હંમેશા ચિંતા રહે છે તો આ દિવસે પોપટને લીલુ મરચુ ખવડાવો. જો આમ કરવું સંભવ ન હોય તો પોપટની એક મોટી તસવીર લાવીને ઘરની ઉત્તર દિશામાં લગાવો અને રોજ તેના દર્શન કરો. આમ કરવાથી જીવનસાથીની પ્રગતિને લઈને તમારા મનમાં રહેલી કોઈ પણ મુશ્કેલી દૂર થઈ જશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir