બ્રેકિંગ ન્યુઝ
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ
દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
Air Indiaની એકસાથે 70થી વધુ ફ્લાઇટ્સ રદ
Hiren
Last Updated: 11:28 PM, 9 August 2020
સુશાંતસિંહ રાજપૂતના મોત મામલે રાજનીતિ ગરમાતી જઇ રહી છે. આ કેસને લઇને મુંબઈ અને બિહાર પોલીસ વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. હવે આ મામલે મહારાષ્ટ્રની રાજનીતિનો મહત્વનો મુદ્દે બની ગયો છે. આ મામલાને લઇને હવે શિવસેનાના સાંસદ સંજય રાઉતે કેટલાક સવાલ ઉઠાવ્યા છે અને ગંભીર આરોપ પણ લગાવ્યા છે.
શિવસેનાના મુખપત્ર સામનામાં તેમણે બિહાર પોલીસ અને કેન્દ્ર સરકાર પર આરોપ લગાવ્યા છે કે તેઓ મળીને મહારાષ્ટ્ર સરકાર વિરૂદ્ધ ષડયંત્ર રચી રહ્યા છે. એટલું જ નહીં તેમણે બિહારના ડીજીપી પર આરોપ લગાવ્યા કે તેઓ ભાજપના કાર્યકર્તા તરફથી કામ કરી રહ્યા છે. એટલું જ નહીં તેમણે સુશાંતના પિતાના બીજા લગ્ન કરવા અને બાપ-દીકરાને એકબીજા સાથે સારા સંબંધ ન હોવાની વાત પણ કરી છે.
સંજય રાઉતે આરોપ લગાવ્યા કે સુશાંતના પરિવાર મતલબ પિતા પટનામાં રહે છે. તેમના પિતા સાથે તેમના સારા સંબંધો નહોતા. પિતાએ બીજા લગ્ન કરી લીધા હતા જે સુશાંત ને સ્વીકાર નહોતા. પિતા સાથે તેમે ભાવનાત્મક સંબંધો સહેજ પણ નહોતા બચ્યા. એજ પિતાને છેતરીને બિહારમાં એક ફરિયાદ દાખલ કરાવવામાં આવી અને મુંબઈમાં બનેલા બનાવોની તપાસ કરાવવા માટે બિહારની પોલીસ મુંબઈ આવી. જોકે, સુશાંતના મામા આરસી સિંહે સંજય રાઉતના નિવેદનને પાયાવિહોણું ગણાવ્યું છે. તેમનું કહેવું છે કે, બધા જાણે છે કે સુશાંતના પિતાએ એક જ લગ્ન કર્યા હતા.
સુશાંત અને તેમના પિતા વચ્ચે અણબનાવ હોવાનું રાઉતે નિવેદન કરતા તમામ લોકો સ્તબધ થયા છે. સુશાંત આત્મહત્યા કેસને રાજકીય રંગ આપીને ચાલતી તપાસ સામે તેમણે વાંધો ઉઠાવ્યો હતો. આ ઉપરાંત તેમણે બિહારના DGP ગુપ્તેશ્વર પાંડે ભાજપ સમર્થક હોવાનું નિવેદન આપ્યું હતું. આ પ્રકારના કેસની તપાસ બહાર કરાવીને મહારાષ્ટ્ર સરકારની છાપ બગાડવાનો પ્રયાસ કરાઈ રહ્યા છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ