બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / Shivranjani did not meet Prannath in Chhatarpur's Bageshwardham, had to return without meeting Dhirendra Shastri
Megha
Last Updated: 11:10 AM, 17 June 2023
ગંગોત્રી ધામથી બાગેશ્વર ધામ પહોંચેલી MBBSની વિદ્યાર્થીની શિવરંજની તિવારીને 'પ્રાણનાથ'ને મળ્યા વિના જ પરત ફરવું પડ્યું હતું. વાસ્તવમાં, તે બાગેશ્વર બાબા એટલે કે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી સાથે લગ્ન કરવાની પ્રતિજ્ઞા લઈને 1300 કિલોમીટર ચાલીને અહીં પહોંચી હતી. પરંતુ તે બાબાને જોઈ શકી નહતી અને હવે શિવરંજનીએ તેમને મળ્યા વિના જ પરત ફરવું પડ્યું હતું.
મળતી માહિતી મુજબ શિવરંજની 16 જૂને રાત્રે લગભગ 10 વાગ્યે સમયસર બાગેશ્વર ધામ પહોંચી ગયા હતા. શિવરંજની તિવારીએ બાગેશ્વર ધામના ભોલેનાથને ગંગા કલશનું જળ અર્પણ કર્યું હતું પરંતુ તેમના 'પ્રાણનાથ' એટલે કે બાબા બાગેશ્વરને મળ્યા વિના જ પાછા ફરવું પડ્યું. પાછા ફરતા સમયે નિરાશા તેના ચહેરા પર સ્પષ્ટ દેખાતી હતી કારણ કે તે યાત્રા પર ચાલતી વખતે સતત સ્મિત કરતી હતી. પરંતુ જ્યારથી શિવરંજનીને ખબર પડી કે બાબા બાગેશ્વર ત્યાં હાજર નથી અને તેઓ 5 દિવસથી અજ્ઞાતવાસ પર ગયા છે. ત્યારથી શિવરંજનીના ચહેરા પર નિરાશા દેખાવા લાગી.
શિવરંજનીનું સપનું હતું કે જ્યારે તે બાગેશ્વર ધામ પહોંચશે ત્યારે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી તેના ભાવિ ચિઠ્ઠી ખોલશે પણ શિવરંજનીના ભવિષ્યનો તે કાગળ ખૂલી શક્યો નહીં, જેમાં તે પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી સાથે લગ્ન કરવાનું સપનું જોઈ રહી હતી. જેની ચર્ચા મીડિયાની હેડલાઇન્સમાં પણ રહી હતી.
બાગેશ્વર ધામ પહોંચ્યા બાદ ભોલેનાથને જળ ચડાવ્યું ત્યારે તેણે મીડિયા સાથે વાત કરી ન હતી અને નિરાશ ચહેરા સાથે પરત ફર્યા હતા. શિવરંજનીએ 16 જૂને બપોરે 1 વાગ્યે મીડિયા સાથે વાત કરી હતી. ક્યાં તેને કહ્યું કે બાબા બાગેશ્વરનો એકાંત સમાપ્ત ન થાય ત્યાં સુધી ફરી દરબાર યોજવાની રાહ જોશે? આ સવાલના જવાબમાં શિવરંજનીએ કહ્યું હતું કે હવે જ્યારે ધીરેન્દ્ર શાસ્ત્રી બાગેશ્વર ધામમાં નથી તો હું અંહિયા રહીને શું કરીશ. જ્યારે તે આવશે, ત્યારે જ દરબાર યોજાશે. અત્યારે હું પાણી અર્પણ કરીને ઘરે જઈશ.
જ્યારે શિવરંજનીને પૂછવામાં આવ્યું કે બાબા બાગેશ્વરે તમને દીકરી કહી છે તો તમે આના પર શું કહેવા માગો છો? શિવરંજનીએ કહ્યું કે મેં ક્યારેય સાંભળ્યું નથી કે ધીરેન્દ્ર શાસ્ત્રીએ મને દીકરી કહીને બોલાવી છે, હું તેમને પ્રાણનાથ એટલે મારા ભગવાન માનું છું.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir