બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ
દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
VTV / Shiv Sena MP Sanjay Raut comes out in support of NCP leader Sharad Pawar ed
Bhushita
Last Updated: 12:01 PM, 27 September 2019
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના પ્રમુખ શરદ પવાર પર કરવામાં આવી રહેલી ઈડીની પૂછતાછનો વિરોધ સામે આવી રહ્યો છે. મુંબઈના બલાર્ડ એસ્ટેટની પાસેની ઈડી ઓફિસની આસપાસ કલમ 144 લાગૂ કરવામાં આવી છે. તો અન્ય તરફ શિવસેનાના સાંસદ સંજય રાઉત એનસીપી નેતા શરદ પવારના સમર્થનમાં જોવા મળ્યા હતા.
સંજય રાઉત આવ્યા પવારના સમર્થનમાં
NCPના અધ્યક્ષ શરદ પવાર પર ઈડીએ મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો છે ત્યારે શરદ પવારના સમર્થનમાં હવે શિવસેનાના સાંસદ સંજય રાઉત ઉતર્યા છે. શિવસેનાના સાંસદ અને પ્રવક્તા સંજય રાઉતે શરદ પવારનું સમર્થન કરતા કહ્યું કે, શરદ પવાર ભારતીય રાજનીતિના ભીષ્મ પિતામહ છે. સમગ્ર મહારાષ્ટ્ર જાણે છે કે જે બેંક કૌભાંડમાં EDએ તેમનું નામ સામેલ કર્યુ છે. તે બેંકમાં શરદ પવાર કોઈ પણ પદ પર હતા નહીં. ફરિયાદીએ પણ કહ્યું છે કે, તેઓએ શરદ પવારનું ક્યાંય નામ આપ્યું નથી.
અન્ના હજારેએ પણ આપી ક્લીનચીટ
અન્ના હજારે પણ પવારને ક્લીનચીટ આપી ચૂક્યા છે. શરદ પવારે મહારાષ્ટ્ર અને કૃષિ ક્ષેત્રમાં પણ ખૂબ જ કામ કર્યું છે. શરદ પવારથી અમારી પાર્ટી અને વિચારધારા અલગ છે. પરંતુ હું એટલું કહીશ કે EDએ તેમની સાથે ખોટું કર્યું છે. બીજી તરફ, મુંબઈમાં પણ શરદ પવારના સમર્થકો ઈડીની પૂછપરછને લઈને વિરોધ કરી રહ્યા છે. ત્યારે મુંબઈના બલાર્ડ એસ્ટેટ સ્થિત ઈડી કાર્યાલયની બહાર પણ કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ