બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Shani sadasati dhaiya mahadasha: Makar karka Vrushchik min kumbh rashi can be affected

શનિ માર્ગી / રાજા હોય કે રંક આ ગ્રહની દશા કોઈને નહીં છોડે, આવનાર 3 વર્ષ આ રાશિ માટે કપરાકાળ સમાન, શનિની ક્રૂરતા પહેલા અત્યારથી કરીલો અચૂક ઉપાય

Vaidehi

Last Updated: 06:35 PM, 13 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શનિદેવની સાડાસાતી અને ઢૈયાથી મકર, કુંભ, મીન,કર્ક અને મીન રાશિ પ્રભાવિત છે. શનિ નારાજ ન થાય અને શુભ ફળ પ્રદાન કરે તે માટે જાણી લો ઉપાયો.

  • શનિદેવની સાડાસાતી અને ઢૈયાથી કેટલીક રાશિઓ પ્રભાવિત
  • મકર, કુંભ, મીન,કર્ક અને મીન રાશિ પર શનિની નજર
  • શનિદેવને પ્રસન્ન કરવાથી ટળી શકે છે ખરાબ પરિણામો

શનિનું નામ સાંભળીને લોકોનાં પરસેવા છૂટી જાય છે. કારણકે શનિ કોઈ દિવસ કોઈ પર દયા નથી કરતાં. તે એવા લોકો માટે દયાભાવ રાખતા જ નથી જે નિયમ, અનુસાશન, દયા, દાન વગેરે નથી કરતાં. જાણો કઈ રાશિઓ પર શનિની સાડાસાતી અને ઢૈયા ચાલી રહી છે. અને શું છે ઉપાય?

કર્મોનું ફળ આપે છે
શનિદેવ જ મનુષ્યોને તેમના કર્મોનું ફળ આપે છે. કર્માનુસાર શનિ શુભ-અશુભ ફળ પ્રદાન કરે છે. શનિનાં આ જ ગુણને કારણે તેમને કળયુગનાં ન્યાયાધીશ માનવામાં આવે છે. શનિને હંમેશા ખુશ રાખવા જોઈએ નહીંતર શનિ સાડાસાતી, શનિ ઢૈયા અને શનિ મહાદશાનાં સમયે ખતરનાક પરિણામ મળી શકે છે.

શનિ સાડાસાતી 2023

 

રાશિ ચરણ
મકર અંતિમ ચરણ
કુંભ   મધ્ય ચરણ
મીન પ્રથમ ચરણ
કર્ક   ઢૈયા
વૃશ્ચિક ઢૈયા

રાશિ માટે ઉપાય
શનિની દ્રષ્ટિ કર્ક, વૃશ્ચિક, મકર, કુંભ અને મીન રાશિ પર છે. તેથી આ રાશિનાં લોકોએ વિશેષ સાવધાની રાખવાની આવશ્યકતા છે. શનિ નારાજ ન થાય અને શુભ ફળ પ્રદાન કરે તે માટે આ બાબતોને ધ્યાનમાં લેવું:

કંફર્ટ ઝોનથી બહાર આવવું
શનિનો નેચર કર્મપ્રધાન છે. શનિ મહેનતુ લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. તેથી જે લોકો આળસ કરે છે અને આજનાં કામને કાલ પર ટાળવાનાં પ્રયાસ કરે છે શનિવેદ એ લોકોને માફ નથી કરતાં અને કઠોર દંડ આપે છે.

પડકારોથી ગભરાવું નહીં
કોઈપણ પરીક્ષા કે પડકારથી ગભરાવું નહીં. જે લોકો પડકારોનો સામનો કરે છે શનિદેવ તેમને પોતાની દશા અને સાડાસાતી, ઢૈયા દરમિયાન પણ શુભ ફળ પ્રદાન કરે છે.

કમજોર લોકોની મદદ કરવી
શનિદેવ એ લોકોને ઘણાં ખુશ રાખે છે જે કમજોરોને મદદ કરે છે. સમય આવવા પર શનિ ચમત્કારી ફળ પ્રદાન કરે છે.

શનિ ઉપાય

  • ગીતાનો પાઠ કરવો
  • હનુમાનજીની પૂજા કરવી
  • શનિવારે શનિદેવને સરસવનું તેલ ચઢાવવું
  • શનિનાં મંત્રોનો જાપ કરવો
  • રક્તપિત્તના દર્દીઓની ખાસ સેવા કરવી
  • પરિશ્રમ કરનારાઓનું સન્માન કરવું
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ