બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / shani margi 2023 in kumbh rashi know which Rashi will get positive effect

Shani Margi 2023 / શનિના કારણે આ રાશિના જાતકોને તો પડી જશે જલસા! શરૂ થવાનો છે જીવનનો બેસ્ટ ટાઈમ, જુઓ લિસ્ટ

Bijal Vyas

Last Updated: 12:08 PM, 23 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Shani Margi 2023: નવેમ્બર મહિનામાં આ રાશિ પર શનિદેવની સીધી કૃપા થવા જઈ રહી છે, જેના કારણે તમામ 12 રાશિઓ પ્રભાવિત થશે

  • શનિના માર્ગને કારણે વિવિધ યોગ અને રાજયોગ પણ બનશે
  • કુંભ રાશિના જાતકોની આર્થિક સમસ્યા દૂર થશે 
  • વૃષભ રાશિના જાતકો માટે પણ શનિની વક્રતા શુભ માનવામાં આવે છે

Shani Margi 2023: જ્યોતિષ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે શનિદેવ કર્મના દેવતા છે. જ્યોતિષીય પંચાગ અનુસાર, અત્યારના સમયમાં શનિ કુંભ રાશિમાં વક્રી સ્થિતિમાં ચાલી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે નવેમ્બર મહિનામાં આ રાશિ પર શનિદેવની સીધી કૃપા થવા જઈ રહી છે, જેના કારણે તમામ 12 રાશિઓ પ્રભાવિત થશે. જ્યોતિષીય ગણતરી મુજબ શનિના માર્ગને કારણે વિવિધ યોગ અને રાજયોગ પણ બનશે. આ સમય દરમિયાન ષષ્ઠ રાજયોગ બનશે, જે જ્યોતિષશાસ્ત્રમાં કેટલીક રાશિઓ માટે ફળદાયી હોવાનું કહેવાય છે. તો આવો જાણીએ, કઇ રાશિઓને મળશે ભાગ્યનો સાથ?

આ 2 રાશિના જાતકો પર શનિદેવ છે વધુ મહેરબાન, આપે છે સુખ-શાંતિ અને સમૃદ્ધિ shani  dev powerful rashi kumbh makar gives money and prosperity in life

1. કુંભ રાશિ
કુંભ રાશિમાં શનિ માર્ગી થવા જઇ રહ્યોછે. આ રાશિમાં ષષ્ઠ રાજ યોગ બનવાથી વર્તમાન સમયમાં ચાલી રહેલી આર્થિક સમસ્યાઓ દૂર થશે અને મહેનતનું પૂરેપૂરું ફળ મળશે. તેની સાથે જીવનસાથી પણ આ સમયગાળા દરમિયાન પ્રગતિ કરી શકે છે. વેપાર-વ્યવસાય ક્ષેત્રે પાર્ટનરશિપમાં કરેલા કાર્યોમાં સફળતા મળી શકે છે. શનિ માર્ગી થવાથી આત્મવિશ્વાસ પણ વધશે.

2. સિંહ રાશિ
સિંહ રાશિના જાતકો માટે શનિ માર્ગી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દરમિયાન સિંહ રાશિના જાતકોને ભૌતિક સુખ મળશે. તેની સાથે જ વિવાહિત જીવનમાં આવતી સમસ્યાઓ દૂર થઈ શકે છે. આ સાથે સાધકોને આર્થિક ક્ષેત્રમાં પણ વિશેષ લાભ મળશે. શનિ માર્ગીના ષષ્ઠ રાજયોગના કારણે ન્યાયિક ક્ષેત્રે પણ સફળતા મળી શકે છે.

આ 4 રાશિના જાતકોની તો લોટરી લાગી ગઈ! શનિએ બનાવ્યો દુર્લભ રાજયોગ, જોરદાર  ધનલાભના બની રહ્યા છે યોગ/ shani gochar 2023 shani dev making shash  mahapurush yog lucky for 5 zodiac signs

3. વૃષભ રાશિ 
વૃષભ રાશિના જાતકો માટે પણ શનિની વક્રતા શુભ માનવામાં આવે છે. આ દરમિયાન જાતકોની તમામ મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે. તેની સાથે જ કાર્યક્ષેત્ર અને વ્યવસાયમાં પ્રગતિની નવી તકો મળી શકે છે. શનિ વક્રીના સમયગાળા દરમિયાન આર્થિક લાભ થવાની સંભાવનાઓ વધુ છે. જે લોકો વ્યાપાર ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેમને પણ સારો નફો મળી શકે છે. આ સાથે તે આ સમયગાળા દરમિયાન બિઝનેસનો ફેલાવો વધુ સારો થઇ શકે છે.

DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ