બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
Bijal Vyas
Last Updated: 11:49 AM, 26 April 2023
Shani Ashubh Yog:જ્યોતિષશાસ્ત્રમાં શનિને ક્રૂર અને ન્યાયી દેવ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે શનિ વ્યક્તિના સારા-ખરાબ કર્મો પ્રમાણે ફળ આપે છે. શનિદેવની કૃપાથી વ્યક્તિને જીવનમાં કોઈ વસ્તુની કમી નથી રહેતી. બીજી તરફ, શનિની ખરાબ નજર વ્યક્તિને સંપૂર્ણ રીતે બરબાદ કરી દે છે. જ્યોતિષ શાસ્ત્રમાં શનિની કેટલીક દશાઓ અને યોગોને ખૂબ જ ખતરનાક અને નુકસાનકારક માનવામાં આવે છે.
જ્યોતિષશાસ્ત્રમાં આવા ત્રણ યોગો છે, જે શનિ સાથે રચાય છે. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં આ ખતરનાક યોગ હોય તો તેનો સંપૂર્ણ નાશ કર્યા પછી જ માને છે. આ યોગના કારણે વ્યક્તિને જીવનમાં દરેક પગલે ઉતાર-ચઢાવનો સામનો કરવો પડે છે. એટલું જ નહીં, વ્યક્તિને દરેક પગલે નિષ્ફળતા મળે છે. જાણો આ ત્રણ યોગ વિશે.
1. શનિ-રાહુ યોગ
જ્યોતિષમાં શનિ અને રાહુ બંનેને ક્રૂર ગ્રહ માનવામાં આવે છે. જો વ્યક્તિની કુંડળીમાં આ બંને ગ્રહો એકસાથે હોય તો તે વ્યક્તિને આર્થિક સ્તરની સાથે પરિવારમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. કહેવાય છે કે આ યોગના કારણે ગુપ્ત યોગ વ્યક્તિની પકડમાં આવી જાય છે. જેના કારણે વ્યક્તિને અચાનક ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડે છે. આ યોગના કારણે વ્યક્તિના જીવનમાં સમસ્યાઓ વધે છે.
ઉપાયઃ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આ યોગના દુષ્ટપ્રભાવોથી બચવા માટે શનિવારના દિવસે સાંજના સમયે પીપળાના ઝાડ નીચે સરસિયાના તેલનો દિવો કરો, તે સાથે સરસિયાના તેલનું દાન કરો.
2. શનિ-ચંદ્ર યોગ
કહેવાય છે કે જો વ્યક્તિની કુંડળીમાં આ યોગ હોય તો તેને નશીલા પદાર્થની લત લાગી જાય છે. વ્યક્તિ ખોટા રસ્તે ચાલવા લાગે છે. એટલું જ નહીં, એવું કહેવાય છે કે જો શનિની સ્થિતિ ખરાબ થઈ જાય છે, તો તે વ્યક્તિ અપરાધ પણ કરવા લાગે છે. એટલું જ નહીં, વ્યક્તિ ડિપ્રેશનનો શિકાર પણ બની શકે છે.
ઉપાયઃ તેની દુષ્ટપ્રભાવથી બચવા માટે વ્યક્તિએ સોમવારે ઉપવાસ કરવો જોઈએ. શેરડીના રસથી ભગવાન શિવનો અભિષેક કરો. શનિવારે દવાઓનું દાન કરો. વ્રત દરમિયાન માત્ર પાણી અને દૂધનું સેવન કરો.
3. શનિ-સૂર્યનો યોગ
આ યોગના કારણે વ્યક્તિને દરેક કામમાં નિષ્ફળતાનો સામનો કરવો પડે છે. તમામ પ્રયત્નો અને પરિશ્રમ છતાં વ્યક્તિ પોતાના લક્ષ્ય સુધી પહોંચી શકતો નથી. પિતા-પુત્રના સંબંધોમાં મનભેદ થઇ શકે છે. તેમજ વ્યક્તિ હાડકાના રોગથી ઘેરાઈ જાય છે.
ઉપાયઃ આ યોગની દુષ્ટપ્રભાવોથી બચવા માટે વ્યક્તિએ નિયમિતપણે ઉગતા સૂર્યને જળ ચઢાવવું જોઈએ. તેમજ સાંજે પીપળના ઝાડને જળ અર્પિત કરવુ જોઇએ. તાંબાના વાસણમાં ભોજન કરવું. આ સાથે સૂર્ય મંત્ર "ॐ सुर्यपुत्राय नमः" નો જાપ કરો.
DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir