બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / Seven terrorists of Lashkar carried out the attack planning sitting in the forest
Kishor
Last Updated: 04:29 PM, 21 April 2023
જમ્મુ-કાશ્મીરના પૂંછમા ગુરુવારે (તા.21,4) ના રોજ આતંકી હુમલાની ઘટના સામે આવી હતી. જેની તપાસ દરમિયાન લશ્કર-એ-તૈયબાના ગ્રુપની સંડોવણી હોવાનું સામે આવી રહ્યું છે. પ્રાથમીમ તપાસમાં એવું ઉજાગર થયું છે કે આ ગુન્હામાં પાકિસ્તાની આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના સાત આતંકવાદીઓની ભૂમિકા છે. એક આખબારના અહેવાલ મુજબ જ્યા આ ઘટના બની છે તે પુંછ વિસ્તાર નિયંત્રણ રેખાની ભીમબેર ગલીથી માત્ર 7 કિલોમીટર દૂર આવેલ છે અને સંપૂર્ણ જંગલ વિસ્તારથી તે ઘેરાયેલો છે. આ જંગલનો ફાયદો ઉઠાવીને જ હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.
જમ્મુ-કાશ્મીર પોલીસ પાસેથી મળેલી માહિતી...
હુમલાખોર આતંકવાદી આ વિસ્તારમાં છુપાઈને સેનાના જવાનો આવવાની રાહમાં હતા. જે સંતાઈને બેઠા હતા. આ દરમિયાન જવાનોનું વાહન આવવાની સાથે જ આતંકીઓએ હુમલો કર્યો હતો. આ ખતરનાક હુમલામાં કારમાં આગ લાગતા કાર ભસ્મીભૂત થઈ ગઈ હતી. પુંછમાં આ આતંકી ઘટનામાં સેનાના પાંચ જવાન શહીદ થયા હતા. મહત્વનું છે કે હુમલા પહેલા પોલીસને આ વિસ્તારમાં આતંકવાદીઓ હોવાના પણ વાવડ મળ્યા હતા. જમ્મુ-કાશ્મીર પોલીસ પાસેથી મળેલી માહિતી અને રિપોર્ટ અનુસાર, આતંકવાદીઓએ ટ્રકમાં મુસાફરી કરી રહેલા સૈનિકો પર હુમલો કરવા માટે રોકેટથી ચાલતા ગ્રેનેડ અને એસોલ્ટ રાઈફલ્સનો ઉપયોગ કર્યો છે.
ટ્રકમા આગ પણ ભભૂકી ઉઠી હતી
નોંધનીય છે કે મે મહિનામાં શ્રીનગરમાં જી-20 બેઠક યોજાશે. જેનો પાકિસ્તાન દ્વારા વિરોધ કરવામાં આવ્યો હોવાથી પુંછમાં થયેલા આતંકવાદી હુમલાને પણ તેની સાથે જોડવામાં આવી રહ્યો છે. પાકિસ્તાન સરકારે G20 સભ્ય દેશો ખાસ કરીને ચીનને પણ બહિષ્કાર કરવા જણાવ્યું હતું. હુમલા બાદ જે ટ્રકમાં સેનાના જવાનો મુસાફરી કરી રહ્યા હતા તે ટ્રકમા આગ પણ ભભૂકી ઉઠી હતી. હુમલા બાદ સેનાએ સમગ્ર વિસ્તાર કોર્ડન કરી આરોપીઓને ભોભીંતર કરવા અભિયાન ઉપાડ્યું હતું.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir