બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / service charge in restaurants is not compulsory
Khevna
Last Updated: 12:37 PM, 28 May 2022
શું છે સર્વિસ ચાર્જ?
મિનિસ્ટ્રી ઓફ કન્ઝ્યુમર અફેર્સે સર્વિસ ચાર્જને લઈને મોટો પ્રશ્ન ઉઠાવ્યો છે. સર્વિસ ચાર્જ એટલે કે આપણે જ્યારે બહાર જમવા જઈએ ત્યારે બિલમાં પ્રાઈસ અને સર્વિસ ચાર્જ લેવામાં આવે છે અને તે બંનેના ટોટલ પરથી GST લગાવવામાં આવે છે. કોઈપણ રેસ્ટોરન્ટમાં આપણે સામાન્ય રીતે 5% GST ભરીએ છીએ અને જો કોઈપણ એવી હોટલમાં 7500 કરતા મોંઘા રૂમ હોય, તો 18% સુધીનું GST પણ આપણે ભરીએ છીએ. ઘણી બધી હોટલો સર્વિસ ચાર્જ એટલા માટે લેતી હોય છે કેમકે તેઓ એવો દાવો કરે છે કે આ ચાર્જ સ્ટાફનાં વેલફેર માટે જાય છે અને સ્ટાફનાં બેનિફિટ માટે ખર્ચવામાં આવે છે. સ્ટાફમાં જો કોઈપણ પ્રકારની ઈમરજન્સી આવે તો આ તેના માટે એક પ્રકારનું ફંડ ઉભું કરવામાં આવે છે.
સર્વિસ ચાર્જને લઈને શું કહે છે મિનિસ્ટ્રી ઓફ કન્ઝ્યુમર અફેર્સ?
મિનિસ્ટ્રીનું કહેવું છે કે 2017નાં નિયમો મુજબ સર્વિસ ચાર્જ એ વોલેન્ટરી વસ્તુ હોવી જોઈએ, એક સ્વૈચ્છિક વસ્તુ હોવી જોઈએ. પરંતુ બિલમાં હોટલો સર્વિસ ચાર્જ ઉમેરીને જ આપે છે તથા આ રકમ વિશેની માહિતી તેમના મેનુમાં કે ભાવમાં લખેલી હોતી નથી. મિનિસ્ટ્રી ઓફ કન્ઝ્યુમર અફેર્સ કહે છે કે કોઈપણ કસ્ટમર જો પોતાના બિલમાં સર્વિસ ચાર્જ જુએ છે, તો તે રેસ્ટોરન્ટનાં મેનેજરને કહી શકે છે કે મારે સર્વિસ ચાર્જ ભોગવવો નથી અને તેમણે તે બાદ પણ કરી આપવો પડે છે. પરંતુ હોટલો આ ચાર્જ મરજીયાત છે, તે કસ્ટમરને જણાવતા નથી. મિનિસ્ટ્રી ઓફ કન્ઝ્યુમર અફેર્સ એમ પણ કહે છે કે જો કોઈ રેસ્ટોરન્ટ જગ્યા યૂઝ કરવાનો ચાર્જ લે છે કે પછી કોઈ સ્પેશિયલ સર્વિસ માટે ચાર્જ લે છે, તેને રીસ્ટ્રીકટીવ ટ્રેડ પ્રેક્ટીસ કહેવામાં આવે છે. આમ રેસ્ટોરન્ટ મેન્યુમાં દર્શાવેલા ચાર્જ અને તેના પર લાગતા ટેક્સ સિવાય બીજો કોઈપણ પ્રકારનો ચાર્જ ફરજીયાત ન લઇ શકે, તેને ગેરકાયદેસર પણ કહી શકાય.
શું કહે છે નેશનલ રેસ્ટોરન્ટ અસોસિએશન ઓફ ઇન્ડિયા?
2 જૂન 2022નાં રોજ નેશનલ રેસ્ટોરન્ટ અસોસિએશન ઓફ ઇન્ડિયા સાથે મિનિસ્ટ્રી ઓફ કન્ઝ્યુમર અફેર્સે એક મિટિંગ પણ ફિક્સ કરી છે. નેશનલ રેસ્ટોરન્ટ અસોસિએશન ઓફ ઇન્ડિયાનું કહેવું છે કે જો કોઈપણ રેસ્ટોરન્ટ સર્વિસ ચાર્જ લે છે, તો મેન્યુમાં તે દર્શાવવું જરૂરી છે અને પ્રિમાઈસમાં પણ આ વિષે જણાવવું પડશે અને આ જોયા બાદ જો કોઈપણ વ્યક્તિ ઓર્ડર આપે છે, તો તે હોટલ અને ગ્રાહક વચ્ચેનું અગ્રીમેન્ટ ગણાય છે, જે કાયદેસર છે. આ વિષે જ 2 જૂનનાં રોજ મિટિંગમાં ચર્ચા થવા જઈ રહી છે. હવે જાણવાનું એ રહેશે કે આ ચર્ચાનું શું નિવારણ આવે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir