બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Malay
Last Updated: 10:15 AM, 22 May 2023
રાજકોટમાં RTE હેઠળ એડમિશનમાં ગોટાળા સામે આવ્યા છે. શહેર અને જિલ્લાની ખાનગી સ્કૂલોમાં ધોરણ 1માં અભ્યાસ કરી ચૂકેલા 400 જેટલા વિદ્યાર્થીઓએ ફરી રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત ધોરણ 1માં પ્રવેશ લીધો હોવાનું સામે આવતા ભારે ખળભળાટ મચી ગયો છે. RTEમાં પ્રવેશ મેળવી આગામી ધોરણ માટે ફીનો લાભ લેવા પ્રવેશકાંડ સામે આવ્યો છે. જેમાં વાલીઓએ RTE અંતર્ગત લાભ લેવા માટે બાળકોનું ફરી ધોરણ-1માં એડમિશન લીધું છે.
પહેલા રાઉન્ડમાં 5200 જેટલા વિદ્યાર્થીઓને અપાયો પ્રવેશ
ફરી ધોરણ-1માં પ્રવેશ લેવા અંગે રાજકોટ DEOનું નિવેદન સામે આવ્યું છે. DEOએ કહ્યું કે, રાજકોટ જિલ્લામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કુલ 1004 જેટલી પ્રાથમિક ખાનગી શાળાઓ છે અને આ ખાનગી શાળાઓમાં 6100 જેટલી RTE હેઠળની ધોરણ 1ની કેપેસીટી છે. RTE હેઠળ ધોરણ 1માં પ્રવેશ માટે જે વિદ્યાર્થીઓએ ફોર્મ ભરેલા એમાંથી લગભગ 5200 જેટલા વિદ્યાર્થીઓને પહેલા રાઉન્ડમાં પ્રવેશ આપવામાં આવ્યો છે.
'400 વિદ્યાર્થીઓએ ફરી લીધું એડમિશન'
તેઓએ જણાવ્યું કે, 5200માંથી વાલીઓના સ્કૂલમાં રિપોર્ટિંગ બાદ 4600 જેટલા વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી લીધો છે. 600 જેટલા વિદ્યાર્થીઓ પ્રેવેશ લીધો નથી. આ 600 પૈકી 200 વિદ્યાર્થીઓ એવા છે, જેમને પોતાની પસંદગીની શાળાઓ મળી નથી. તો 400 વિદ્યાર્થીઓ એવા છે કે જેઓ ગયા વર્ષે ખાનગી શાળાઓમાં ધોરણ 1માં અભ્યાસ કરી ચૂક્યા છે. છતાં તેમના વાલીઓએ વિગતો છૂપાવીને તેમનું RTE હેઠળ ધોરણ-1માં એડમિશન લેવા માટે ફોર્મ ભર્યું હતું અને એડમિશન મળી ગયું છે. આ 400 જેટલા બાળકોના વાલીઓ જ્યારે સ્કૂલમાં રિપોર્ટિંગ માટે પહોંચ્યા ત્યારે આ મામલો સામે આવ્યો છે. એટલે કે RTE અંતર્ગત લાભ લેવા માટે વાલીઓએ બાળકોનો ફરી ધોરણ-1માં પ્રવેશ અપાવ્યો છે.
...તો સ્કૂલો સામે થશે કાર્યવાહીઃ DDO
તેઓએ જણાવ્યું કે, ધોરણ 1માં અભ્યાસ કરી ચૂકેલા વિદ્યાર્થીઓને બીજીવાર પ્રવેશ આપનારી સ્કૂલો સામે કાર્યવાહી થશે. સ્કૂલો એડમિશન રદ કરવાને બદલે ક્ન્ફર્મ કરશે તો કાર્યવાહી થશે.
શું છે આ RTE?
ગુજરાતના ગરીબ અને વંચિત જૂથના બાળકોને ખાનગી સ્કૂલોમાં ફરજીયાત શિક્ષણ અધિનિયમ લાગુ કરવામાં આવ્યો છે જેમાં ગરીબ અને વંચિત બાળકોને ખાનગી શાળાઓમાં શિક્ષણ પ્રાપ્ત કરવાનો અધિકાર આપવામાં આવે છે. દેશના દરેક બાળકને શિક્ષણ પ્રાપ્ત કરવાનો અધિકાર છે જેથી ખાનગી શાળાઓમાં કેટલીક સીટો RTE હેઠળના બાળકો માટે અનામત રાખવામાં આવે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir