બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Dinesh
Last Updated: 03:49 PM, 21 December 2022
વડોદરામાં સસ્તા અનાજની દુકાનોમાં કૌભાંડનો મામલો સામે આવ્યો છે. સસ્તા અનાજની 12 દુકાનોમાં અનાજ વિતરણમાં કૌભાંડ સામે આવ્યું છે. આધારકાર્ડ આધારિત વિતરણ વ્યવસ્થામાં સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે. આધાર અને ફિંગર પ્રિન્ટ વ્યવસ્થાના કારણે સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે
વડોદરામાં સસ્તા અનાજની દુકાનમાં કૌભાંડ
વડોદરામાં સસ્તા અનાજની દુકાનોમાં કૌભાંડનો મામલો સામે આવ્યો છે. જે સમગ્ર કૌભાંડ આધાર અને ફિંગર પ્રિન્ટ વ્યવસ્થાના કારણે બહાર આવ્યું છે. એક જ કાર્ડધારકના નામે અન્ય દુકાનમાંથી પણ પુરવઠો લેવાયાની આશંકા સામે આવી છે. થમ્બ ડિવાઈસ અને લેપટોપના અલગ અલગ દુકાનમાં ઉપયોગ થયો હોવાની આશંકા સેવાઈ રહી છે. કૌભાંડ બહાર આવ્યા બાદ સસ્તા અનાજની 12 દુકાનોમાં તપાસના આદેશ અપાયા છે. રાજ્યકક્ષાએથી તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જિલ્લા પુરવઠા અધિકારીએ પુરવઠા ઈન્સ્પેક્ટર્સને તપાસનો આદેશ આપ્યો છે.
રાજ્યકક્ષાએથી તપાસના આદેશ
સમગ્ર કૌભાંડ મામલે રાજ્યકક્ષાથી તપાસના આદેશ આપવામાં આવ્યા છે. 3 દિવસમાં તપાસ કરી અહેવાલ આપવા સૂચના આપવામાં આવી છે. 12 દુકાનોના ગ્રાહકોને છેલ્લા 3 મહિનાનો જથ્થો મળ્યો કે નહીં તેની ગ્રાહકોને રૂબરૂ મળી તપાસ કરવા આદેશ આપવામાં આવ્યો છે. ગ્રાહકોનું ક્રોસ વેરિફિકેશન કરવા પણ આદેશ આપવામાં આવ્યો છે. એવા પણ આરોપ છે કે, રાજ્યકક્ષાએથી તપાસનો આદેશ આપ્યા બાદ પણ તપાસ કરવામાં નથી આવતી.
આ ગરીબોના ગુનેગાર
શાહ મયુરકુમાર ફુલચંદ, દિલીપ લાલચંદ સોલંકી, દક્ષાબેન જગદીશ દીક્ષિત, દિલીપ જી સોનારા, પટેલ અખિલેશકુમાર ગોપાલભાઈ, સાધુ કૃષ્ણવદન પુરણદાસ, ખટિક બંસીલાલ ભેરૂલાલ, જયસ્વાલ નયનાબેન અવિનાશ, જે.જી.વસાવા, ગજ્જર રાજેશકુમાર નટવરલાલ, કેવલ રામાણી જાનકીબેન, રાજેશ મારવાડી
કૌભાંડ મામલે સળગતા સવાલ
ગરીબોનું અનાજ ખાનારા કોણ છે?
રાજ્યમાં થતો ભ્રષ્ટાચાર ક્યારે બંધ થશે?
ભ્રષ્ટાચારીઓને ક્યારે સજા મળશે?
રાજ્યકક્ષાએથી આદેશ આપવામાં આવ્યો છતાં તપાસ કેમ નથી થતી?
કૌભાંડીઓને કોણ છાવરી રહ્યું છે?
કૌભાંડીઓને કાયદાનો ભય કેમ નથી?
કૌભાંડીઓ વિરુદ્ધ દાખલારૂપ કાર્યવાહી ક્યારે થશે?
સસ્તા અનાજની કેટલી દુકાનમાં કૌભાંડ થયું?
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir