બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Bijal Vyas
Last Updated: 11:09 PM, 5 July 2023
Wednesday Remedies:હિંદુ ધાર્મિક ગ્રંથોમાં વ્યક્તિની દરેક સમસ્યાને લઈને કેટલાક ઉપાય જણાવવામાં આવ્યા છે. બીજી તરફ લગ્ન પછી દરેક ઘરમાં પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા, વાદ-વિવાદ વગેરે થાય છે, જેનાથી ઘરની શાંતિ ભંગ થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જો તમારી સાથે પણ આવું થાય છે. પત્ની સાથે દરરોજ ઝઘડા થાય છે અને તમે પણ તેમાંથી છૂટકારો મેળવવા માંગો છો, તો તેમના માટે શ્રાવણનો બુધવાર શ્રેષ્ઠ છે.
શાસ્ત્રો અનુસાર, વ્યક્તિના જીવનમાં આવી પરેશાનીઓ ગ્રહ દોષ અથવા વાસ્તુ દોષના કારણે આવે છે. આવી સ્થિતિમાં વ્યક્તિએ શ્રાવણના બુધવારે કેટલાક ઉપાય કરવા જોઈએ. બુધવાર ભગવાન ગણેશનો દિવસ છે. તેમજ ભગવાન શિવની કૃપા તેને વધુ શક્તિશાળી બનાવે છે. કહેવાય છે કે, આ દિવસે શિવલિંગ પર કેટલાક ઉપાય કરવાથી માતા પાર્વતી અને ભગવાન શિવ પ્રસન્ન થાય છે. વિવાહિત જીવનમાં આવતી સમસ્યાઓથી છુટકારો મળે છે.
મનગમતો જીવનસાથી મેળવવા માટે કરો આ ઉપાય
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જો તમે તમારો મનગમતો જીવનસાથી મેળવવા ઈચ્છો છો તો સ્વચ્છ પાણીમાં થોડું દૂધ, કેસર અને લાલ ફૂલ નાખીને બુધવારે શિવલિંગ પર ચઢાવો. આ સાથે તમે સોમવારે પણ વ્રત રાખી શકો છો. આનાથી ભગવાન શિવ અને માતા પાર્વતી પ્રસન્ન થાય છે અને ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે.
દંપતિમાં જડવાઇ રહેશે પ્રેમ-મીઠાશ
જો તમારા વિવાહિત જીવનમાં રોજેરોજ ઝઘડા થાય છે અને તમને પ્રેમનો અભાવ લાગે છે. પતિ-પત્ની વચ્ચે મતભેદ થાય છે. બુધવારના દિવસે ભગવાન શિવનું ધ્યાન કરો. તેની સાથે તેમાં એક ગ્લાસ પાણી, દૂધ, કેસર અને લાલ રંગના ફૂલ ચઢાવો. અને તેને શિવલિંગ પર ચઢાવો. તેનાથી પતિ-પત્ની વચ્ચે પ્રેમ વધશે.
જીવનસાથીને નજીક લાવવા માટે
જો પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલા ઝઘડાઓને કારણે જીવનસાથી દૂર ગયો હોય તો તેને નજીક લાવવા અને મનાવવા માટે શ્રાવણનાં બુધવારે સફેદ કાગળ પર સ્વચ્છ સિંદૂરથી ચિઠ્ઠી લખી તેના ખિસ્સા અને તિજોરીમાં મૂકી દો. તેની સાથે ભગવાન શિવ અને માતા પાર્વતીનું ધ્યાન કરો. જ્યારે પતિ-પત્ની વચ્ચે બધુ બરાબર હોય, ત્યારે આ ચીઠ્ઠીને વહેતા પાણીમાં પ્રવાહિત કરી દો.
પ્રેમને વ્યક્ત કરવા માટે શુભ છે આ દિવસ
જો તમે કોઈને પસંદ કરો છો અને તેની સામે તમારા દિલની વાત વ્યક્ત કરવા માંગો છો, તો તેના માટે શ્રાવણનો બુધવાર ખૂબ જ ખાસ છે. જો તમે તમારા દિલની વાત કોઈની સામે શેર કરવા જઈ રહ્યા છો, તો તમારી સાથે સફેદ ફૂલ લઈ જાઓ. તેની સાથે આ ફૂલ તે વ્યક્તિને આપી શકાય છે. તેનાથી તમારું કામ થઈ જશે.
DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir