બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Manisha Jogi
Last Updated: 03:40 PM, 24 June 2023
ભગવાન શિવનો પાવન પર્વ શરૂ થવામાં હવે થોડો સમય જ બાકી છે. આ વર્ષે 4 જુલાઈના રોજ મંગળવારથી શ્રાવણ મહિનો શરૂ થશે અને 31 ઓગસ્ટના રોજ પૂર્ણ થશે. આ વર્ષે શ્રાવણ મહિનો 2 મહિના સુધી રહેશે એટલે કે, 58 દિવસ સુધી રહેશે. 19 વર્ષો પછી આ સંયોગ બની રહ્યો છે.
શ્રાવણ મહિનામાં ભગવાન ભોળેનાથની પૂજાનું ખાસ મહત્ત્વ રહેલું છે. કહેવામાં આવે છે કે, શ્રાવણ મહિનામાં શિવજીની પૂજા કરવાથી જીવનની તમામ સમસ્યા દૂર થાય છે. શ્રાવણ મહિનામાં કઈ ભૂલ ના કરવી જોઈએ, તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે.
રીંગણા ના ખાવા જોઈએ- શ્રાવણ મહિનામાં રીંગણા ના ખાવા જોઈએ. રીંગણાને અશુદ્ધ શાકભાજી માનવામાં આવે છે, આ કારણોસર અનેક લોકો બારસ અને ચૌદશના દિવસે રીંગણા ખાતા નથી.
માંસાહારી ભોજનનું સેવન ના કરવું- શ્રાવણ મહિનામાં ખાવા પીવા બાબતે સતર્કતા રાખવી. આ મહિનામાં માંસ માછલી અથવા દારૂનું સેવન ના કરવું જોઈએ.
મનમાં ખોટા વિચાર ના લાવવા- શ્રાવણ મહિનામાં શિવલિંગ પર જળાભિષેકને શુભ માનવામાં આવે છે. આ પવિત્ર મહિના દરમિયાન કોઈપણ વ્યક્તિનું અપમાન ના કરવું અને મનમાં ખોટા વિચાર ના લાવવા. વડીલ, ગુરુ, જીવનસાથી તથા માતા પિતાનું માન જાળવવું.
કેતકી અર્પણ ના કરો- શ્રાવણ મહિના દરમિયાન ભગવાન શિવ અથવા શિવલિંગ પર કેતકીના ફૂલ અર્પણ ના કરવા. આ મહિના દરમિયાન બપોરે ના સૂવું જોઈએ.
(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir