બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / ગુજરાત / અમદાવાદ / Said to go to Ayodhya Yajna and sacrificed his life: Family of Karsevak of Ahmedabad received invitation
Vishal Khamar
Last Updated: 02:54 PM, 6 January 2024
22 જાન્યુઆરી, 2023 આ દિવસ કેમ મહત્વનો છે. કારણ કે, આ દિવસે દરેકના દિલમાં વસતા ભગવાન રામના ભવ્ય મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે.. ત્યારે રામ મંદિર માટે છેલ્લા 500 વર્ષમાં અનેક લોકોએ પોતાના બલિદાન પણ આપ્યાં છે.. જેમાંના એક કારસેવક અમદાવાદના પણ હતા.. અને તેમના પરિવારને આ મહોત્સવ માટે ખાસ આમંત્રણ મોકલાયું છે.. ત્યારે વીટીવી ન્યૂઝે આ પરિવાર સાથે મુલાકાત કરીને આ ઘડી નજીક આવતા તેઓ શું મહેસૂસ કરી રહ્યા છે તે જાણવાનો પ્રયાસ કર્યો..
અમદાવાદના જાધવ પરિવારને આમંત્રણ
સાચા અર્થમાં આજે અમદાવાદના આ કારસેવક પરિવાર માટે દિવાળીનો પર્વ આવ્યો છે. કારણ કે, આજે તેમના ઘરે ભગવાન રામના ઘરેથી સંદેશો આવ્યો છે. કે, અમે તમારા બલિદાનને ભૂલ્યા નથી. અયોધ્યામાં ભવ્યરામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં તમે પધારો. અને આ કાર્યમાં સહભાગી બનો. અમદાવાદ શહેરના અમરાઈવાડી વિસ્તારમાં આવેલા કેવડાવાડી સોસાયચટીમાં રહેતો જાધવ પરિવાર છે.
સદાશિવ જાધવેનું ગોધરામાં થયું હતું મૃત્યુ
આ દિવસ જાધવ પરિવાર ક્યારેય નહીં ભૂલે.કારણ કે, કારસેવકોને લઈને જતી ટ્રેનને ગોધરામાં સળગાવાઈ હતી. અને તેમાં સવાર કાર સેવક અને વિશ્વહિંદુ પરિષદના કાર્યકર સદાશિવ જાધવનું પણ મોત નિપજ્યું હતું. અયોધ્યામાં થતા યજ્ઞમાં જવાનું કહીને નિકળેલા સદાશિવ તો યજ્ઞમાં તે સમયે ન પહોંચ્યા. પરંતુ ભવ્ય રામ મંદિરના યજ્ઞમાં હવે તેમનો પરિવાર ચોક્કસથી પહોંચશે.
આમંત્રણ મળતા જાધવ પરિવારમાં ખુશી
સેંકડો વર્ષના સંઘર્ષ બાદ હવે રામજી નિજ મંદિરમાં પ્રવેશ કરશે. અને આ શુભપ્રસંગે હાજર રહેવા સદાશિવ જાધવના પરિવારને પણ આમંત્રણ પત્રિકા મળી ગઈ છે. ત્યારે તેમની ખુશીનો કોઈ પાર નથી રહ્યો.
જાધવ પરિવાર માટે આજે સાચા અર્થમાં દિવાળી
આમંત્રણ મળતાની સાથે જાધવ પરિવારમાં અનેરો માહોલ છવાયો છે. અત્યારથી જ જાધવ પરિવાર અયોધ્યા જવાની તૈયારીઓમાં લાગી ગયો છે. કારણ કે, આ શુભ દિવસ તેમના માટે તો વર્ષો પછી આવેલી દિવાળી છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir