બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Said to go to Ayodhya Yajna and sacrificed his life: Family of Karsevak of Ahmedabad received invitation

અયોધ્યા રામ મંદિર / અયોધ્યાના યજ્ઞમાં જઉં છું કહીને નીકળ્યા અને પોતાના જીવની આહુતિ આપી: અમદાવાદના કારસેવકના પરિવારને મળ્યું આમંત્રણ

Vishal Khamar

Last Updated: 02:54 PM, 6 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અયોધ્યામાં ફરી દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદનાં જાધવ પરિવારને પણ આમંત્રણ મળ્યું છે. આમંત્રણ મળતાની સાથે જ જાધવ પરિવારમાં ખુશી છવાઈ જવા પામી હતી.

  • અમદાવાદના જાધવ પરિવારને આમંત્રણ
  • કારસેવક પરિવારોને મળ્યું આમંત્રણ
  • આમંત્રણ મળતા જાધવ પરિવારમાં ખુશી

22 જાન્યુઆરી, 2023 આ દિવસ કેમ મહત્વનો છે. કારણ કે, આ દિવસે દરેકના દિલમાં વસતા ભગવાન રામના ભવ્ય મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે.. ત્યારે રામ મંદિર માટે છેલ્લા 500 વર્ષમાં અનેક લોકોએ પોતાના બલિદાન પણ આપ્યાં છે.. જેમાંના એક કારસેવક અમદાવાદના પણ હતા.. અને તેમના પરિવારને આ મહોત્સવ માટે ખાસ આમંત્રણ મોકલાયું છે.. ત્યારે વીટીવી ન્યૂઝે આ પરિવાર સાથે મુલાકાત કરીને આ ઘડી નજીક આવતા તેઓ શું મહેસૂસ કરી રહ્યા છે તે જાણવાનો પ્રયાસ કર્યો.. 

અમદાવાદના જાધવ પરિવારને આમંત્રણ
સાચા અર્થમાં આજે અમદાવાદના આ કારસેવક પરિવાર માટે દિવાળીનો પર્વ આવ્યો છે. કારણ કે, આજે તેમના ઘરે ભગવાન રામના ઘરેથી સંદેશો આવ્યો છે. કે, અમે તમારા બલિદાનને ભૂલ્યા નથી. અયોધ્યામાં ભવ્યરામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં તમે પધારો. અને આ કાર્યમાં સહભાગી બનો. અમદાવાદ શહેરના અમરાઈવાડી વિસ્તારમાં આવેલા કેવડાવાડી સોસાયચટીમાં રહેતો જાધવ પરિવાર છે. 

સદાશિવ જાધવેનું ગોધરામાં થયું હતું મૃત્યુ
આ દિવસ જાધવ પરિવાર ક્યારેય નહીં ભૂલે.કારણ કે, કારસેવકોને લઈને જતી ટ્રેનને ગોધરામાં સળગાવાઈ હતી. અને તેમાં સવાર કાર સેવક અને વિશ્વહિંદુ પરિષદના કાર્યકર સદાશિવ જાધવનું પણ મોત નિપજ્યું હતું. અયોધ્યામાં થતા યજ્ઞમાં જવાનું કહીને નિકળેલા સદાશિવ તો યજ્ઞમાં તે સમયે ન પહોંચ્યા. પરંતુ ભવ્ય રામ મંદિરના યજ્ઞમાં હવે તેમનો પરિવાર ચોક્કસથી પહોંચશે. 

આમંત્રણ મળતા જાધવ પરિવારમાં ખુશી
સેંકડો વર્ષના સંઘર્ષ બાદ હવે રામજી નિજ મંદિરમાં પ્રવેશ કરશે. અને આ શુભપ્રસંગે હાજર રહેવા સદાશિવ જાધવના પરિવારને પણ આમંત્રણ પત્રિકા મળી ગઈ છે. ત્યારે તેમની ખુશીનો કોઈ પાર નથી રહ્યો. 

જાધવ પરિવાર માટે આજે સાચા અર્થમાં દિવાળી
આમંત્રણ મળતાની સાથે જાધવ પરિવારમાં અનેરો માહોલ છવાયો છે. અત્યારથી જ જાધવ પરિવાર અયોધ્યા જવાની તૈયારીઓમાં લાગી ગયો છે. કારણ કે, આ શુભ દિવસ તેમના માટે તો વર્ષો પછી આવેલી દિવાળી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ